Banaskantha લોકસભા સીટ : ભાજપના રેખાબેન ચૌધરી આ તારીખે તો ગેનીબેન ઠાકોર આ દિવસે ભરશે ઉમેદવારી ફોર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 11:20:39

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે ચાર બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ બધા વચ્ચે ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે.   


બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જામશે જંગ  

લોકસભા ચૂંટણી માટે જ્યારથી રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચૂંટણીનો જંગ જામી ગયો લાગે છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ગુજરાતની અનેક બેઠકો સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે જેવી કે ભરૂચ લોકસભા સીટ જ્યાં ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાની પસંદગી કરી છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે.  બનાસકાંઠા લોકસભા સીટ પર બંને પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. 


આ તારીખે ઉમેદવારો ભરી શકે છે ઉમેદવારી ફોર્મ

ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારોની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો પણ ધીમે ધીમે સામે આવી રહી છે. પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બનાસકાંઠામાં બંને પાર્ટીના ઉમેદવાર કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેની માહિતી સામે આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે નામાંકન નોંધાવશે. મહત્વનું છે કે ટૂંક સમયમાં બેઠકો માટે ઉમેદવારો નામાંકન નોંધાવશે. ઉલ્લેખનિય છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ માટે ઉમેદવાર જશે ત્યારે શક્તિપ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવશે



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે