Banaskantha લોકસભા સીટ : ભાજપના રેખાબેન ચૌધરી આ તારીખે તો ગેનીબેન ઠાકોર આ દિવસે ભરશે ઉમેદવારી ફોર્મ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 11:20:39

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે ચાર બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. આ બધા વચ્ચે ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે.   


બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જામશે જંગ  

લોકસભા ચૂંટણી માટે જ્યારથી રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ચૂંટણીનો જંગ જામી ગયો લાગે છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. ગુજરાતની અનેક બેઠકો સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે જેવી કે ભરૂચ લોકસભા સીટ જ્યાં ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાની પસંદગી કરી છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે.  બનાસકાંઠા લોકસભા સીટ પર બંને પાર્ટી દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. 


આ તારીખે ઉમેદવારો ભરી શકે છે ઉમેદવારી ફોર્મ

ઉમેદવાર તરીકે નામની જાહેરાત થયા બાદ જાહેર સભાના, પ્રચારના અનેક વીડિયો સામે આવતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારોની ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો પણ ધીમે ધીમે સામે આવી રહી છે. પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બનાસકાંઠામાં બંને પાર્ટીના ઉમેદવાર કઈ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેની માહિતી સામે આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે નામાંકન નોંધાવશે. મહત્વનું છે કે ટૂંક સમયમાં બેઠકો માટે ઉમેદવારો નામાંકન નોંધાવશે. ઉલ્લેખનિય છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ માટે ઉમેદવાર જશે ત્યારે શક્તિપ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવશે



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.