Banaskantha Loksabha : Congressના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે BJPના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, કહ્યું કે બીજેપીએ સીધી....


  • Published By :
  • Published Date : 2024-03-14 14:52:57

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આપણે નેતાઓના તીખા નિવેદનો સાંભળવા રેડી થઈ જવું પડશે. નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં દેખાશે. જેમ જેમ પ્રચાર તેજ બનશે તેમ તેમ આવા નિવેદનો આપણી સામે આવવાના છે. હજી તો કોંગ્રેસે બનાસકાંઠા માટે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી છે અને ત્યાંના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે  ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકીટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનાવી દીધા છે" 

બનાસકાંઠા બેઠક બંને પક્ષોએ મહિલાને બનાવ્યા છે ઉમેદવાર

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી. 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં. અનેક મહિલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.  બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી ભાજપે કરી છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગેનીબેન ઠાકોરે તો જાણે ચૂંટણીને લઈ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 


કોઈએ દાદા થવાની જરૂર નથી - ગેનીબેન ઠાકોર

નામ જાહેર થયા બાદ પણ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે વધુ એક નિવેદન ગેનીબેનનું આવ્યું છે જેમાં તે રેખા ચૌધરી વિશે કહી રહ્યા છે. રેખાબેન ચૌધરીને લઈ નિવેદન આપતા કહ્યું કે" ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકિટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનવી દીધા છે" સાથે જ ગેનીબેન ઠાકોરે વિરોધીઓને પણ ચીમકી આપતા કહ્યું કે કોઈએ દાદા થવાની જરૂર નથી દાદા ખાલી હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.  


થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કર્યા હતા ભાજપના વખાણ!

જોકે થોડા દિવસ પહેલા ગેનીબેન ભાજપની તારીફ કરતાં દેખાયા હતા ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. એટલે બીજેપીના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા સીટના મતદાતાઓ કોને મત આપીને જીતાડે છે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.