Banaskantha Loksabha : Congressના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે BJPના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, કહ્યું કે બીજેપીએ સીધી....


  • Published By :
  • Published Date : 2024-03-14 14:52:57

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આપણે નેતાઓના તીખા નિવેદનો સાંભળવા રેડી થઈ જવું પડશે. નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં દેખાશે. જેમ જેમ પ્રચાર તેજ બનશે તેમ તેમ આવા નિવેદનો આપણી સામે આવવાના છે. હજી તો કોંગ્રેસે બનાસકાંઠા માટે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી છે અને ત્યાંના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે  ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકીટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનાવી દીધા છે" 

બનાસકાંઠા બેઠક બંને પક્ષોએ મહિલાને બનાવ્યા છે ઉમેદવાર

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી. 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં. અનેક મહિલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.  બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી ભાજપે કરી છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગેનીબેન ઠાકોરે તો જાણે ચૂંટણીને લઈ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 


કોઈએ દાદા થવાની જરૂર નથી - ગેનીબેન ઠાકોર

નામ જાહેર થયા બાદ પણ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે વધુ એક નિવેદન ગેનીબેનનું આવ્યું છે જેમાં તે રેખા ચૌધરી વિશે કહી રહ્યા છે. રેખાબેન ચૌધરીને લઈ નિવેદન આપતા કહ્યું કે" ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકિટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનવી દીધા છે" સાથે જ ગેનીબેન ઠાકોરે વિરોધીઓને પણ ચીમકી આપતા કહ્યું કે કોઈએ દાદા થવાની જરૂર નથી દાદા ખાલી હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.  


થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કર્યા હતા ભાજપના વખાણ!

જોકે થોડા દિવસ પહેલા ગેનીબેન ભાજપની તારીફ કરતાં દેખાયા હતા ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. એટલે બીજેપીના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા સીટના મતદાતાઓ કોને મત આપીને જીતાડે છે? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.