Banaskantha Loksabha : Congressના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે BJPના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, કહ્યું કે બીજેપીએ સીધી....


  • Published By :
  • Published Date : 2024-03-14 14:52:57

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આપણે નેતાઓના તીખા નિવેદનો સાંભળવા રેડી થઈ જવું પડશે. નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં દેખાશે. જેમ જેમ પ્રચાર તેજ બનશે તેમ તેમ આવા નિવેદનો આપણી સામે આવવાના છે. હજી તો કોંગ્રેસે બનાસકાંઠા માટે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી છે અને ત્યાંના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે  ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકીટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનાવી દીધા છે" 

બનાસકાંઠા બેઠક બંને પક્ષોએ મહિલાને બનાવ્યા છે ઉમેદવાર

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી. 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં. અનેક મહિલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.  બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી ભાજપે કરી છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગેનીબેન ઠાકોરે તો જાણે ચૂંટણીને લઈ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 


કોઈએ દાદા થવાની જરૂર નથી - ગેનીબેન ઠાકોર

નામ જાહેર થયા બાદ પણ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે વધુ એક નિવેદન ગેનીબેનનું આવ્યું છે જેમાં તે રેખા ચૌધરી વિશે કહી રહ્યા છે. રેખાબેન ચૌધરીને લઈ નિવેદન આપતા કહ્યું કે" ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકિટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનવી દીધા છે" સાથે જ ગેનીબેન ઠાકોરે વિરોધીઓને પણ ચીમકી આપતા કહ્યું કે કોઈએ દાદા થવાની જરૂર નથી દાદા ખાલી હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.  


થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કર્યા હતા ભાજપના વખાણ!

જોકે થોડા દિવસ પહેલા ગેનીબેન ભાજપની તારીફ કરતાં દેખાયા હતા ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. એટલે બીજેપીના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા સીટના મતદાતાઓ કોને મત આપીને જીતાડે છે? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે