Banaskantha Loksabha : Congressના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે BJPના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર કર્યા પ્રહાર, કહ્યું કે બીજેપીએ સીધી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 14:52:57

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આપણે નેતાઓના તીખા નિવેદનો સાંભળવા રેડી થઈ જવું પડશે. નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં દેખાશે. જેમ જેમ પ્રચાર તેજ બનશે તેમ તેમ આવા નિવેદનો આપણી સામે આવવાના છે. હજી તો કોંગ્રેસે બનાસકાંઠા માટે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરી છે અને ત્યાંના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે  ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકીટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનાવી દીધા છે" 

બનાસકાંઠા બેઠક બંને પક્ષોએ મહિલાને બનાવ્યા છે ઉમેદવાર

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની યાદી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત માટે માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચાર બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી. 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં. અનેક મહિલા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.  બનાસકાંઠામાં ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી ભાજપે કરી છે તો કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગેનીબેન ઠાકોરે તો જાણે ચૂંટણીને લઈ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. 


કોઈએ દાદા થવાની જરૂર નથી - ગેનીબેન ઠાકોર

નામ જાહેર થયા બાદ પણ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે વધુ એક નિવેદન ગેનીબેનનું આવ્યું છે જેમાં તે રેખા ચૌધરી વિશે કહી રહ્યા છે. રેખાબેન ચૌધરીને લઈ નિવેદન આપતા કહ્યું કે" ભાજપે તો 70 લોકોને છોડીને રેખાબેનને સીધી ટિકિટ આપી સીધા એમને ઉપર ડ્રોનથી ઉતાર્યા છે હવામાં ઉમેદવાર બનવી દીધા છે" સાથે જ ગેનીબેન ઠાકોરે વિરોધીઓને પણ ચીમકી આપતા કહ્યું કે કોઈએ દાદા થવાની જરૂર નથી દાદા ખાલી હનુમાન દાદા અને ગણપતિ દાદા છે.  


થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે કર્યા હતા ભાજપના વખાણ!

જોકે થોડા દિવસ પહેલા ગેનીબેન ભાજપની તારીફ કરતાં દેખાયા હતા ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી અને કહ્યું હતું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. એટલે બીજેપીના નિર્ણયને વધાવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠા લોકસભા સીટના મતદાતાઓ કોને મત આપીને જીતાડે છે? 



થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે.. અનેક બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થઈ છે.. બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક બેઠકો એવી છે જે ચર્ચામાં રહી છે..

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...

વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...