Banaskantha Loksabha : ગેનીબેન ઠાકોરે માન્યો લોકોનો આભાર, કાર્યક્રમ દરમિયાન કહ્યું પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી કે....સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-04-12 17:34:23

26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ ચર્ચાઓ માત્ર અમુક બેઠકોની થતી હોય છે. ચૂંટણીનો માહોલ જાણે અનેક બેઠકો પર જ જામ્યો હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક, બીજી છે બનાસકાંઠા લોકસભા બેઠક, ત્રીજી છે વલસાડ લોકસભા બેઠક છે. અમુક જ બેઠકો એવી છે જે ચર્ચામાં રહેતી હોય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાં બંને રાજકીય પાર્ટીઓએ મહિલાને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તેની ચર્ચા થઈ રહી છે...

ગેનીબેન ઠાકોર જોરશોરથી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર 

જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન અનેક વખત આક્રામક દેખાયા હતા. અનેક વખત એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ પણ સર્જાયા.. થોડા સમય પહેલા તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે, લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.



આ બેઠક રસપ્રદ રહેવાની છે કારણ કે... 

વધુમાં તેમણે તેમણે કહ્યું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે, જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો. મહત્વનું છે કે આ બેઠક રસપ્રદ રહેવાની છે ત્યારે જોવું રહ્યું કે કોને સાંસદ તરીકે બનાસકાંઠાના લોકો પસંદ કરે છે અને સંસદ સુધી પહોંચાડે છે.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.