Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ચાલુ ભાષણ દરમિયાન થયા ભાવુક, મતદાતાઓને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-15 15:49:35

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે કારણ કે બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટર પર સવાર થઈ ગેનીબેન ઠાકોર સભા સ્થળ પર ગયા હતા. જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અચાનક ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોરના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. 

ગેનીબેન ઠાકોરે ભર્યું નામાંકન ફોર્મ 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગતે મતદાન યોજાવાનું છે. આજથી લોકસભાના ઉમેદવારો દ્વારા નામાંકન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારોએ આજે નામાંકન ભર્યું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામાન્ય રીતે પણ ચર્ચામાં રહેતા હોય છે. પોતાના અંદાજ તેમજ પોતાના ભાષણને કારણે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી હોય છે. જનસભા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક દેખાયા હતા. પોલીસ પર પણ તેમણે અનેક વખત આક્ષેપો કર્યા છે. આ બધા વચ્ચે આજે ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જાય તે પહેલા જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. 



 

ભાષણ દરમિયાન ભાવુક થયા ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે જનસભાને સંબોધી રહ્યા હતા તે વખતે તે ચાલુ ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ પર રડી પડ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચ લોકોએ જ ઉપાડી દીધો છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. રેખાબેન ચૌધરી આવતી કાલે નામાંકન ભરવાના છે....   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે