Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakor ચાલુ ભાષણ દરમિયાન થયા ભાવુક, મતદાતાઓને કહ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-15 15:49:35

બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે કારણ કે બંને પાર્ટીએ મહિલાને ટિકીટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટર પર સવાર થઈ ગેનીબેન ઠાકોર સભા સ્થળ પર ગયા હતા. જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર અચાનક ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોરના આંખોમાંથી આંસુ આવી ગયા હતા. 

ગેનીબેન ઠાકોરે ભર્યું નામાંકન ફોર્મ 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગતે મતદાન યોજાવાનું છે. આજથી લોકસભાના ઉમેદવારો દ્વારા નામાંકન કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારોએ આજે નામાંકન ભર્યું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામાન્ય રીતે પણ ચર્ચામાં રહેતા હોય છે. પોતાના અંદાજ તેમજ પોતાના ભાષણને કારણે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી હોય છે. જનસભા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક દેખાયા હતા. પોલીસ પર પણ તેમણે અનેક વખત આક્ષેપો કર્યા છે. આ બધા વચ્ચે આજે ગેનીબેન ઠાકોર નામાંકન ભરવા જાય તે પહેલા જનસભાને સંબોધી હતી અને આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. 



 

ભાષણ દરમિયાન ભાવુક થયા ગેનીબેન ઠાકોર

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે જનસભાને સંબોધી રહ્યા હતા તે વખતે તે ચાલુ ભાષણ દરમિયાન અચાનક સ્ટેજ પર રડી પડ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે તેમના ચૂંટણી પ્રચારનો ખર્ચ લોકોએ જ ઉપાડી દીધો છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા. રેખાબેન ચૌધરી આવતી કાલે નામાંકન ભરવાના છે....   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે