Banaskanthaના સાંસદ Geniben Thakor મળ્યા Rahul Gandhiને, આ વિષય પર બંને વચ્ચે થઈ હોઈ શકે છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-08-07 17:15:25

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હમણાંથી સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં કઈક ઉઠલ પાથલ થાય એવા એંધાણ થાય તેવું લાગી રહ્યું છે. ગેનીબેનની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.. હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને ઉઠાવતા હોય છે.  

રાહુલ ગાંધીને મળ્યા ગેનીબેન ઠાકોર 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા છે અને મળ્યા બાદ એમણે ટ્વિટ કરી છે એ ચર્ચાનું કેન્દ્ર છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે ગઈકાલે LOP રાહુલગાંધી શ્રીને મળ્યા અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી! અને તેમણે એકજુટ થઈને લોકોના કામ કરવાની સલાહ આપી! 


ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં ફૂંકાયા નવા પ્રાણ

એમાં જે પહેલી વાત છે કે ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરી એટલે શું કોંગ્રેસ અત્યારથી આગળની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે? કે પછી બનાસકાંઠાની પેટા ચુંટણી વિશે વાત થઈ? એ પ્રશ્ન છે પણ રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું એ પ્રમાણે જે હવે ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે એ પ્રમાણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે? જોકે ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે અને ગેનીબેન પણ દિલ્હી જઈને પ્રદેશના અલગ અલગ મુદ્દા ઉઠાવે છે એ પછી વાઇરસનો હોય કે ગૌ મોતા . થોડા દિવસ પહેલા સંસદમાં તેમણે ગૌ માતાને લઈ નિવેદન આપ્યું હતું.



બનાસકાંઠાની ચૂંટણીને લઈ કરી હોઈ શકે છે વાત 

ગુજરાત અંગે થયેલી ચર્ચાઓની વાત કરીએ તો બનાસકાંઠાની પેટા ચુંટણી અંગે વાત થઈ હોઈ શકે કારણ કે એ સીટ કોંગ્રેસ જીતવા માંગે છે અને તૈયારીઓ પણ ખૂબ કરી રહ્યા છે ત્યારે સંગઠન કે પછી ચુંટણીની ચર્ચા થઈ એ ગેનીબેન જ કહી શકે પણ તમને શું લાગે છે ગેનીબેને રાહુલ ગાંધી સાથે હું વાત કરી હશે તે જોવાનું રહ્યું...  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.