Banaskanthaના સાંસદ Geniben Thakor મળ્યા Rahul Gandhiને, આ વિષય પર બંને વચ્ચે થઈ હોઈ શકે છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-08-07 17:15:25

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હમણાંથી સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં કઈક ઉઠલ પાથલ થાય એવા એંધાણ થાય તેવું લાગી રહ્યું છે. ગેનીબેનની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.. હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને ઉઠાવતા હોય છે.  

રાહુલ ગાંધીને મળ્યા ગેનીબેન ઠાકોર 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા છે અને મળ્યા બાદ એમણે ટ્વિટ કરી છે એ ચર્ચાનું કેન્દ્ર છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે ગઈકાલે LOP રાહુલગાંધી શ્રીને મળ્યા અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી! અને તેમણે એકજુટ થઈને લોકોના કામ કરવાની સલાહ આપી! 


ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં ફૂંકાયા નવા પ્રાણ

એમાં જે પહેલી વાત છે કે ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરી એટલે શું કોંગ્રેસ અત્યારથી આગળની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે? કે પછી બનાસકાંઠાની પેટા ચુંટણી વિશે વાત થઈ? એ પ્રશ્ન છે પણ રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું એ પ્રમાણે જે હવે ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે એ પ્રમાણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે? જોકે ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે અને ગેનીબેન પણ દિલ્હી જઈને પ્રદેશના અલગ અલગ મુદ્દા ઉઠાવે છે એ પછી વાઇરસનો હોય કે ગૌ મોતા . થોડા દિવસ પહેલા સંસદમાં તેમણે ગૌ માતાને લઈ નિવેદન આપ્યું હતું.



બનાસકાંઠાની ચૂંટણીને લઈ કરી હોઈ શકે છે વાત 

ગુજરાત અંગે થયેલી ચર્ચાઓની વાત કરીએ તો બનાસકાંઠાની પેટા ચુંટણી અંગે વાત થઈ હોઈ શકે કારણ કે એ સીટ કોંગ્રેસ જીતવા માંગે છે અને તૈયારીઓ પણ ખૂબ કરી રહ્યા છે ત્યારે સંગઠન કે પછી ચુંટણીની ચર્ચા થઈ એ ગેનીબેન જ કહી શકે પણ તમને શું લાગે છે ગેનીબેને રાહુલ ગાંધી સાથે હું વાત કરી હશે તે જોવાનું રહ્યું...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.