Banaskanthaના સાંસદ Geniben Thakor મળ્યા Rahul Gandhiને, આ વિષય પર બંને વચ્ચે થઈ હોઈ શકે છે ચર્ચા..


  • Published By :
  • Published Date : 2024-08-07 17:15:25

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જે હમણાંથી સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં કઈક ઉઠલ પાથલ થાય એવા એંધાણ થાય તેવું લાગી રહ્યું છે. ગેનીબેનની વાત એટલા માટે કરવી છે કારણ કે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.. હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓને ઉઠાવતા હોય છે.  

રાહુલ ગાંધીને મળ્યા ગેનીબેન ઠાકોર 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા છે અને મળ્યા બાદ એમણે ટ્વિટ કરી છે એ ચર્ચાનું કેન્દ્ર છે. ગેનીબેન ઠાકોરે લખ્યું કે ગઈકાલે LOP રાહુલગાંધી શ્રીને મળ્યા અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી! અને તેમણે એકજુટ થઈને લોકોના કામ કરવાની સલાહ આપી! 


ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં ફૂંકાયા નવા પ્રાણ

એમાં જે પહેલી વાત છે કે ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરી એટલે શું કોંગ્રેસ અત્યારથી આગળની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે? કે પછી બનાસકાંઠાની પેટા ચુંટણી વિશે વાત થઈ? એ પ્રશ્ન છે પણ રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું હતું એ પ્રમાણે જે હવે ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે એ પ્રમાણે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે? જોકે ગેનીબેન ઠાકોરના જીત્યા બાદ કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે અને ગેનીબેન પણ દિલ્હી જઈને પ્રદેશના અલગ અલગ મુદ્દા ઉઠાવે છે એ પછી વાઇરસનો હોય કે ગૌ મોતા . થોડા દિવસ પહેલા સંસદમાં તેમણે ગૌ માતાને લઈ નિવેદન આપ્યું હતું.



બનાસકાંઠાની ચૂંટણીને લઈ કરી હોઈ શકે છે વાત 

ગુજરાત અંગે થયેલી ચર્ચાઓની વાત કરીએ તો બનાસકાંઠાની પેટા ચુંટણી અંગે વાત થઈ હોઈ શકે કારણ કે એ સીટ કોંગ્રેસ જીતવા માંગે છે અને તૈયારીઓ પણ ખૂબ કરી રહ્યા છે ત્યારે સંગઠન કે પછી ચુંટણીની ચર્ચા થઈ એ ગેનીબેન જ કહી શકે પણ તમને શું લાગે છે ગેનીબેને રાહુલ ગાંધી સાથે હું વાત કરી હશે તે જોવાનું રહ્યું...  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."