Banaskanthaના સાંસદ Geniben Thakor જીતે માટે સમર્થકે રાખી માનતા, જીત થતા ગેનીબેન ઠાકોરે માનતા પૂરી કરી.


  • Published By :
  • Published Date : 2024-07-08 14:47:31

ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠક જીતવાની આશા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી.. પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક પર INDIAllianceના ઉમેદવાર જીત્યા અને તે બેઠક હતી બનાસકાંઠાની.. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીત થાય તેમના અનેક સમર્થકોએ બાધા રાખી હતી. જીત બાદ ગેનીબેન માનતા પૂરી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગેનીબેન પાલનપુરના જહુ ધામ ગયા હતા માનતા પૂરી કરવા જ્યાં તેમને સાકરથી તોલવામાં આવ્યા..     

અનેક એવી બેઠકો હતી જ્યાં હતી રસાકસી 

લોકસભાની ચુંટણી જાહેર થઈ અને જ્યારે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીતે એ માટે ત્યાંના લોકોએ પ્રયાસ શરૂ કરી દીધા. ક્યારેક પ્રચાર, ક્યારેક ફંડીંગ કર્યું તો ક્યારેક બનાસની બેન માટે માનતા રાખી..ગેનીબેન જીતે તે માટે તેમના સમર્થકો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીત્યા બાદ માનતા ગેનીબેન પૂર્ણ કરી રહ્યા છે. 



સમર્થકોએ રાખી હતી ગેનીબેન જીતે તે માટે માનતા 

ગેનીબેનના સમર્થકોએ જહુધામમાં માતાજીની માનતા રાખી હતી કે જો ગેનીબેન જીતે તો એમને દર્શન કરાવવા લઈને આવીશું. તેમજ સાકર ભારો ભાર તોલીશું.. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. એટલે રાખેલી માનતાને પૂરી કરવા ગઈકાલે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીને ધજા પણ ચઢાવી અને પછી ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરાઈ. 



ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

આ કાર્યક્રમ બાદ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે અમે દેશના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડીશું. હવે વિપક્ષ મજબૂત બન્યું છે એટલે સંસદમાં પણ અવાજ મજબૂતાઈથી ઉઠશે. એ પછી રોજગારીનો પ્રશ્ન હોય કે પેપરલીકનો... આ વખતે પણ સંસદના સત્ર દરમિયાન નીટનો પ્રશ્ન ઉપાડ્યો વિપક્ષે અને એક દિવસ માટે સંસદ સ્થગિત પણ કરવામાં આવી. એટલે લોકોએ જે અમારા પર વિશ્વાસ મુક્યો છે એ કામ અમે કરીશું ... ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.