Banaskanthaના સાંસદ Geniben Thakor જીતે માટે સમર્થકે રાખી માનતા, જીત થતા ગેનીબેન ઠાકોરે માનતા પૂરી કરી.


  • Published By :
  • Published Date : 2024-07-08 14:47:31

ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠક જીતવાની આશા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી.. પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક પર INDIAllianceના ઉમેદવાર જીત્યા અને તે બેઠક હતી બનાસકાંઠાની.. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીત થાય તેમના અનેક સમર્થકોએ બાધા રાખી હતી. જીત બાદ ગેનીબેન માનતા પૂરી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગેનીબેન પાલનપુરના જહુ ધામ ગયા હતા માનતા પૂરી કરવા જ્યાં તેમને સાકરથી તોલવામાં આવ્યા..     

અનેક એવી બેઠકો હતી જ્યાં હતી રસાકસી 

લોકસભાની ચુંટણી જાહેર થઈ અને જ્યારે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીતે એ માટે ત્યાંના લોકોએ પ્રયાસ શરૂ કરી દીધા. ક્યારેક પ્રચાર, ક્યારેક ફંડીંગ કર્યું તો ક્યારેક બનાસની બેન માટે માનતા રાખી..ગેનીબેન જીતે તે માટે તેમના સમર્થકો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીત્યા બાદ માનતા ગેનીબેન પૂર્ણ કરી રહ્યા છે. 



સમર્થકોએ રાખી હતી ગેનીબેન જીતે તે માટે માનતા 

ગેનીબેનના સમર્થકોએ જહુધામમાં માતાજીની માનતા રાખી હતી કે જો ગેનીબેન જીતે તો એમને દર્શન કરાવવા લઈને આવીશું. તેમજ સાકર ભારો ભાર તોલીશું.. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. એટલે રાખેલી માનતાને પૂરી કરવા ગઈકાલે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીને ધજા પણ ચઢાવી અને પછી ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરાઈ. 



ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

આ કાર્યક્રમ બાદ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે અમે દેશના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડીશું. હવે વિપક્ષ મજબૂત બન્યું છે એટલે સંસદમાં પણ અવાજ મજબૂતાઈથી ઉઠશે. એ પછી રોજગારીનો પ્રશ્ન હોય કે પેપરલીકનો... આ વખતે પણ સંસદના સત્ર દરમિયાન નીટનો પ્રશ્ન ઉપાડ્યો વિપક્ષે અને એક દિવસ માટે સંસદ સ્થગિત પણ કરવામાં આવી. એટલે લોકોએ જે અમારા પર વિશ્વાસ મુક્યો છે એ કામ અમે કરીશું ... ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.