Banaskanthaના સાંસદ Geniben Thakor જીતે માટે સમર્થકે રાખી માનતા, જીત થતા ગેનીબેન ઠાકોરે માનતા પૂરી કરી.


  • Published By :
  • Published Date : 2024-07-08 14:47:31

ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠક જીતવાની આશા ભારતીય જનતા પાર્ટીએ રાખી હતી.. પરંતુ આ વખતે ગુજરાતની એક બેઠક પર INDIAllianceના ઉમેદવાર જીત્યા અને તે બેઠક હતી બનાસકાંઠાની.. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેનની જીત થાય તેમના અનેક સમર્થકોએ બાધા રાખી હતી. જીત બાદ ગેનીબેન માનતા પૂરી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગેનીબેન પાલનપુરના જહુ ધામ ગયા હતા માનતા પૂરી કરવા જ્યાં તેમને સાકરથી તોલવામાં આવ્યા..     

અનેક એવી બેઠકો હતી જ્યાં હતી રસાકસી 

લોકસભાની ચુંટણી જાહેર થઈ અને જ્યારે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી બનાસકાંઠા બેઠક ગેનીબેન ઠાકોર જીતે એ માટે ત્યાંના લોકોએ પ્રયાસ શરૂ કરી દીધા. ક્યારેક પ્રચાર, ક્યારેક ફંડીંગ કર્યું તો ક્યારેક બનાસની બેન માટે માનતા રાખી..ગેનીબેન જીતે તે માટે તેમના સમર્થકો દ્વારા, ત્યાંના લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જીત્યા બાદ માનતા ગેનીબેન પૂર્ણ કરી રહ્યા છે. 



સમર્થકોએ રાખી હતી ગેનીબેન જીતે તે માટે માનતા 

ગેનીબેનના સમર્થકોએ જહુધામમાં માતાજીની માનતા રાખી હતી કે જો ગેનીબેન જીતે તો એમને દર્શન કરાવવા લઈને આવીશું. તેમજ સાકર ભારો ભાર તોલીશું.. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે.. એટલે રાખેલી માનતાને પૂરી કરવા ગઈકાલે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીને ધજા પણ ચઢાવી અને પછી ગેનીબેન ઠાકોરની સાકર તુલા કરાઈ. 



ગેનીબેન ઠાકોરે કહ્યું કે... 

આ કાર્યક્રમ બાદ એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું કે એક મજબૂત વિપક્ષ તરીકે અમે દેશના પ્રશ્નો સંસદ સુધી પહોંચાડીશું. હવે વિપક્ષ મજબૂત બન્યું છે એટલે સંસદમાં પણ અવાજ મજબૂતાઈથી ઉઠશે. એ પછી રોજગારીનો પ્રશ્ન હોય કે પેપરલીકનો... આ વખતે પણ સંસદના સત્ર દરમિયાન નીટનો પ્રશ્ન ઉપાડ્યો વિપક્ષે અને એક દિવસ માટે સંસદ સ્થગિત પણ કરવામાં આવી. એટલે લોકોએ જે અમારા પર વિશ્વાસ મુક્યો છે એ કામ અમે કરીશું ... ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.