Banaskantha : BSFની ટ્રેનિગં પૂર્ણ કરીને આવેલા 19 વર્ષીય જવાન બન્યો Heart Attackનો શિકાર, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-28 12:46:47

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે બનાસકાંઠામાં એક બીએસએફ જવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર દિયોદરના મકડાલા ગામમાં રહેતા બીએસએફ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે તેવી વિગતો સામે આવી છે. બીએસએફની ટ્રેનિંગ લઈ 19 વર્ષીય યુવાન પોતાના માદરે વતન આવ્યા હતા. ફરજ પર જતી વખતે અમદાવાદમાં તે પોતાના ભાઈના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું છે. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.   


યુવાનો તેમજ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર  

આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ કે જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. વાત પણ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મોતને ભેટે તે અંગે જાણી શકાતું નથી. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધારો થયો છે તેનાથી તો આપણે માહિતગાર છીએ. પ્રતિદિન અનેક વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. 

Banaskantha: A 19-year-old BSF jawan died of a heart attack Banaskantha: 19 વર્ષના BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો ઘરે


ગાર્ડ ઓફ ઓનર સાથે બીએસએફ જવાનના કરાયા અંતિમ સંસ્કાર  

ત્યારે બનાસકાંઠામાં 19 વર્ષીય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તે કાળનો કોળિયો બન્યા. ત્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન રાહુલ આવ્યા હતા. માદરે વતનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.