Banaskantha : BSFની ટ્રેનિગં પૂર્ણ કરીને આવેલા 19 વર્ષીય જવાન બન્યો Heart Attackનો શિકાર, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-28 12:46:47

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે બનાસકાંઠામાં એક બીએસએફ જવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર દિયોદરના મકડાલા ગામમાં રહેતા બીએસએફ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે તેવી વિગતો સામે આવી છે. બીએસએફની ટ્રેનિંગ લઈ 19 વર્ષીય યુવાન પોતાના માદરે વતન આવ્યા હતા. ફરજ પર જતી વખતે અમદાવાદમાં તે પોતાના ભાઈના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું છે. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.   


યુવાનો તેમજ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર  

આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ કે જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. વાત પણ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મોતને ભેટે તે અંગે જાણી શકાતું નથી. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધારો થયો છે તેનાથી તો આપણે માહિતગાર છીએ. પ્રતિદિન અનેક વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. 

Banaskantha: A 19-year-old BSF jawan died of a heart attack Banaskantha: 19 વર્ષના BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો ઘરે


ગાર્ડ ઓફ ઓનર સાથે બીએસએફ જવાનના કરાયા અંતિમ સંસ્કાર  

ત્યારે બનાસકાંઠામાં 19 વર્ષીય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તે કાળનો કોળિયો બન્યા. ત્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન રાહુલ આવ્યા હતા. માદરે વતનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી