Banaskantha : BSFની ટ્રેનિગં પૂર્ણ કરીને આવેલા 19 વર્ષીય જવાન બન્યો Heart Attackનો શિકાર, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-28 12:46:47

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે બનાસકાંઠામાં એક બીએસએફ જવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર દિયોદરના મકડાલા ગામમાં રહેતા બીએસએફ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે તેવી વિગતો સામે આવી છે. બીએસએફની ટ્રેનિંગ લઈ 19 વર્ષીય યુવાન પોતાના માદરે વતન આવ્યા હતા. ફરજ પર જતી વખતે અમદાવાદમાં તે પોતાના ભાઈના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું છે. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.   


યુવાનો તેમજ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર  

આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ કે જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. વાત પણ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મોતને ભેટે તે અંગે જાણી શકાતું નથી. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધારો થયો છે તેનાથી તો આપણે માહિતગાર છીએ. પ્રતિદિન અનેક વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. 

Banaskantha: A 19-year-old BSF jawan died of a heart attack Banaskantha: 19 વર્ષના BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો ઘરે


ગાર્ડ ઓફ ઓનર સાથે બીએસએફ જવાનના કરાયા અંતિમ સંસ્કાર  

ત્યારે બનાસકાંઠામાં 19 વર્ષીય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તે કાળનો કોળિયો બન્યા. ત્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન રાહુલ આવ્યા હતા. માદરે વતનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.