Banaskantha : BSFની ટ્રેનિગં પૂર્ણ કરીને આવેલા 19 વર્ષીય જવાન બન્યો Heart Attackનો શિકાર, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-28 12:46:47

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે બનાસકાંઠામાં એક બીએસએફ જવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર દિયોદરના મકડાલા ગામમાં રહેતા બીએસએફ જવાનને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે તેવી વિગતો સામે આવી છે. બીએસએફની ટ્રેનિંગ લઈ 19 વર્ષીય યુવાન પોતાના માદરે વતન આવ્યા હતા. ફરજ પર જતી વખતે અમદાવાદમાં તે પોતાના ભાઈના ઘરે આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું છે. તેમની પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.   


યુવાનો તેમજ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર  

આપણે અનેક વાર કહેતા હોઈએ છીએ કે જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. વાત પણ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મોતને ભેટે તે અંગે જાણી શકાતું નથી. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધારો થયો છે તેનાથી તો આપણે માહિતગાર છીએ. પ્રતિદિન અનેક વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. 

Banaskantha: A 19-year-old BSF jawan died of a heart attack Banaskantha: 19 વર્ષના BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો ઘરે


ગાર્ડ ઓફ ઓનર સાથે બીએસએફ જવાનના કરાયા અંતિમ સંસ્કાર  

ત્યારે બનાસકાંઠામાં 19 વર્ષીય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તે કાળનો કોળિયો બન્યા. ત્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન રાહુલ આવ્યા હતા. માદરે વતનથી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા હતા. જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે સુરતમાં પણ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.