બનાસકાંઠા: થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા અનોખી પહેલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 21:18:13

રાજ્યમાં હવે દારૂબંધી માત્ર માત્ર નામની જ રહી છે, દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહેશે. જો કે જાગૃત સમાજ દારૂબંધીનો અમલ કરાવવા કટિબધ્ધ છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઠાકોર સમાજના લોકોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અનોખી પહેલ કરી છે. ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. 


દંડરૂપે પાંચ બોરી અનાજ લેવાશે


પઠામડા ગામના અગ્રણીઓ દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. જે મુજબ દારૂ વેચતા, દારૂ પી તોફાન કરતા, દારૂ પીનાર અને કોઈ યુવાનને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.


ગામમાં સુખ-શાંતિ માટે દારૂબંધી


પઠામડા ગામના  ઠાકોર સમાજના આગેવાનો નકળંગ ભગવાનના મંદિરે એકઠા થયા હતા. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. ખૂબ ચર્ચા-વિચારણા બાદ ગામના વડીલોએ ગામમાં દારૂનું દુષણ તો ડામવા નિયમો બનાવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ દારૂના વ્યસનથી ઘર ના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે આ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે. જે થકી ગામમાં સુખ-શાંતિ સ્થપાશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.