બનાસકાંઠા: થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા અનોખી પહેલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 21:18:13

રાજ્યમાં હવે દારૂબંધી માત્ર માત્ર નામની જ રહી છે, દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહેશે. જો કે જાગૃત સમાજ દારૂબંધીનો અમલ કરાવવા કટિબધ્ધ છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઠાકોર સમાજના લોકોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અનોખી પહેલ કરી છે. ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. 


દંડરૂપે પાંચ બોરી અનાજ લેવાશે


પઠામડા ગામના અગ્રણીઓ દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. જે મુજબ દારૂ વેચતા, દારૂ પી તોફાન કરતા, દારૂ પીનાર અને કોઈ યુવાનને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.


ગામમાં સુખ-શાંતિ માટે દારૂબંધી


પઠામડા ગામના  ઠાકોર સમાજના આગેવાનો નકળંગ ભગવાનના મંદિરે એકઠા થયા હતા. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. ખૂબ ચર્ચા-વિચારણા બાદ ગામના વડીલોએ ગામમાં દારૂનું દુષણ તો ડામવા નિયમો બનાવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ દારૂના વ્યસનથી ઘર ના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે આ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે. જે થકી ગામમાં સુખ-શાંતિ સ્થપાશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.