બનાસકાંઠા: થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા અનોખી પહેલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 21:18:13

રાજ્યમાં હવે દારૂબંધી માત્ર માત્ર નામની જ રહી છે, દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહેશે. જો કે જાગૃત સમાજ દારૂબંધીનો અમલ કરાવવા કટિબધ્ધ છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઠાકોર સમાજના લોકોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અનોખી પહેલ કરી છે. ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. 


દંડરૂપે પાંચ બોરી અનાજ લેવાશે


પઠામડા ગામના અગ્રણીઓ દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. જે મુજબ દારૂ વેચતા, દારૂ પી તોફાન કરતા, દારૂ પીનાર અને કોઈ યુવાનને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.


ગામમાં સુખ-શાંતિ માટે દારૂબંધી


પઠામડા ગામના  ઠાકોર સમાજના આગેવાનો નકળંગ ભગવાનના મંદિરે એકઠા થયા હતા. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. ખૂબ ચર્ચા-વિચારણા બાદ ગામના વડીલોએ ગામમાં દારૂનું દુષણ તો ડામવા નિયમો બનાવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ દારૂના વ્યસનથી ઘર ના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે આ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે. જે થકી ગામમાં સુખ-શાંતિ સ્થપાશે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે