બનાસકાંઠા: થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા અનોખી પહેલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-10 21:18:13

રાજ્યમાં હવે દારૂબંધી માત્ર માત્ર નામની જ રહી છે, દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહેશે. જો કે જાગૃત સમાજ દારૂબંધીનો અમલ કરાવવા કટિબધ્ધ છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પઠામડા ગામમાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઠાકોર સમાજના લોકોએ ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે અનોખી પહેલ કરી છે. ગામના ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા દારૂ વેચનાર, દારૂ પીનાર અને યુવાનોને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં અને દંડ વસુલાશે તેવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. 


દંડરૂપે પાંચ બોરી અનાજ લેવાશે


પઠામડા ગામના અગ્રણીઓ દ્વારા દારૂબંધી માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. જે મુજબ દારૂ વેચતા, દારૂ પી તોફાન કરતા, દારૂ પીનાર અને કોઈ યુવાનને ખોટે રવાડે ચડાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે. બંધારણ અનુસાર જો કોઈ વ્યક્તિ દારૂ વેચે તો પાંચ બોરી અનાજનું ધર્મદાન ગૌશાળામાં કરાવવામાં આવશે. જો વ્યક્તિ દારૂ પી અને તોફાન કરશે તેના દ્વારા બે બોરીનું ધર્મદાન કરાવામાં આવશે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનવાની કોશિશ કરશે તેને એક બોરી અનાજનું ધર્મદાન કરાવામાં આવશે. સામૂહિક બંધારણ બનાવી નિર્ણય લેવામાં આવ્યો.


ગામમાં સુખ-શાંતિ માટે દારૂબંધી


પઠામડા ગામના  ઠાકોર સમાજના આગેવાનો નકળંગ ભગવાનના મંદિરે એકઠા થયા હતા. દારૂબંધીનો કડક અમલ થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. ખૂબ ચર્ચા-વિચારણા બાદ ગામના વડીલોએ ગામમાં દારૂનું દુષણ તો ડામવા નિયમો બનાવ્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ દારૂના વ્યસનથી ઘર ના ભંગાય તે માટે કડક નિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગામ લોકોનું કહેવું છે કે આ દારૂબંધીના નિયમોનો કડક અમલ કરાવવામાં આવશે. જે થકી ગામમાં સુખ-શાંતિ સ્થપાશે. 



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.