Banaskatha : Geniben Thakorએ આક્ષેપ લગાવ્યો કે ઈરાદા પૂર્વક ખેડૂતોને સરકાર દ્વારા પાણી નથી આપવામાં આવતું!


  • Published By :
  • Published Date : 2023-11-23 13:09:37

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન અને પોતાના અંદાજને કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ગેનીબેન ઠાકોરનો આક્રામક અંદાજ અનેક વખત જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત તેમનો આક્રામક અંદાજ જોવા મળ્યો હતો. આ વખતે ગેનીબહેન ઠાકોરના નિવેદનની ચર્ચા નથી કરવી પરંતુ તેમણે જે કર્યું છે તેની ચર્ચા કરવી છે. ગેની બેન ઠાકોરે સરકારી અધિકારીની ઓફિસને તાળાં મારી દીધા. અને અધિકારીની ખુરશી પર લેટર લગાવી દીધો.

નર્મદા વિભાગની કચેરીએ પહોંચ્યા ગેનીબેન અને પછી... 

પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા ગેનીબેન ઠાકોરે આ વખતે સરકારી અધિકારીની ઓફિસને તાળા મારી દીધા છે. બનાસકાંઠાના ખેડૂતોને સરકાર દ્વારા ઈરાદા પૂર્વક પાણી નથી આપવામાં આવતું તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા. સાથે જ નર્મદા વિભાગની કચેરીએ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચી ગયા હતા. ધારાસભ્ય જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં જવાબદાર અધિકારીઓ હાજર ન હતા. 


અધિકારી હાજર ન હતા તેથીગેનીબેને ઓફિસને માર્યું તાળુ!

ઓફિસમાં જવાબદાર અધિકાર ન હોવાને કારણે કચેરીને તાળું મારીને ગેનીબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડી ખેડૂતોને પાણી આપવા અપીલ કરી હતી. વાવ ભાભર સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોને રવિ સિઝનમાં નર્મદા વિભાગ મારફત ઇરાદાપૂર્વક સિંચાઈ માટે માગણી મુજબ પાણી ન આપતા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા 


ગેનીબેન ઠાકોરો લગાવ્યા આક્ષેપ 

બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી આપવામાં આવી રહ્યું કારણ કે રાજસ્થાનમાં ચુંટણી છે એવા આક્ષેપો ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેની બેન કોંગ્રેસના ધારાસભ્ય છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અને ચૂંટણીઓ વખતે કોંગ્રેસની સરકારને ફાયદો ન થાય તે માટે ગુજરાત સરકાર કિન્નાખોરી કરી રહી છે તેવા આક્ષેપો ગેનીબેન દ્વારા થોડા દિવસ પહેલા જ લગાવવામાં આવ્યા હતા



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.