Banaskatha : Geniben Thakorએ આક્ષેપ લગાવ્યો કે ઈરાદા પૂર્વક ખેડૂતોને સરકાર દ્વારા પાણી નથી આપવામાં આવતું!


  • Published By :
  • Published Date : 2023-11-23 13:09:37

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન અને પોતાના અંદાજને કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ગેનીબેન ઠાકોરનો આક્રામક અંદાજ અનેક વખત જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત તેમનો આક્રામક અંદાજ જોવા મળ્યો હતો. આ વખતે ગેનીબહેન ઠાકોરના નિવેદનની ચર્ચા નથી કરવી પરંતુ તેમણે જે કર્યું છે તેની ચર્ચા કરવી છે. ગેની બેન ઠાકોરે સરકારી અધિકારીની ઓફિસને તાળાં મારી દીધા. અને અધિકારીની ખુરશી પર લેટર લગાવી દીધો.

નર્મદા વિભાગની કચેરીએ પહોંચ્યા ગેનીબેન અને પછી... 

પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા ગેનીબેન ઠાકોરે આ વખતે સરકારી અધિકારીની ઓફિસને તાળા મારી દીધા છે. બનાસકાંઠાના ખેડૂતોને સરકાર દ્વારા ઈરાદા પૂર્વક પાણી નથી આપવામાં આવતું તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા. સાથે જ નર્મદા વિભાગની કચેરીએ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચી ગયા હતા. ધારાસભ્ય જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં જવાબદાર અધિકારીઓ હાજર ન હતા. 


અધિકારી હાજર ન હતા તેથીગેનીબેને ઓફિસને માર્યું તાળુ!

ઓફિસમાં જવાબદાર અધિકાર ન હોવાને કારણે કચેરીને તાળું મારીને ગેનીબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડી ખેડૂતોને પાણી આપવા અપીલ કરી હતી. વાવ ભાભર સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોને રવિ સિઝનમાં નર્મદા વિભાગ મારફત ઇરાદાપૂર્વક સિંચાઈ માટે માગણી મુજબ પાણી ન આપતા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા 


ગેનીબેન ઠાકોરો લગાવ્યા આક્ષેપ 

બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી આપવામાં આવી રહ્યું કારણ કે રાજસ્થાનમાં ચુંટણી છે એવા આક્ષેપો ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેની બેન કોંગ્રેસના ધારાસભ્ય છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અને ચૂંટણીઓ વખતે કોંગ્રેસની સરકારને ફાયદો ન થાય તે માટે ગુજરાત સરકાર કિન્નાખોરી કરી રહી છે તેવા આક્ષેપો ગેનીબેન દ્વારા થોડા દિવસ પહેલા જ લગાવવામાં આવ્યા હતા



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી