Banaskatha : Geniben Thakorએ આક્ષેપ લગાવ્યો કે ઈરાદા પૂર્વક ખેડૂતોને સરકાર દ્વારા પાણી નથી આપવામાં આવતું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 13:09:37

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન અને પોતાના અંદાજને કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ગેનીબેન ઠાકોરનો આક્રામક અંદાજ અનેક વખત જોવા મળતો હોય છે ત્યારે ફરી એક વખત તેમનો આક્રામક અંદાજ જોવા મળ્યો હતો. આ વખતે ગેનીબહેન ઠાકોરના નિવેદનની ચર્ચા નથી કરવી પરંતુ તેમણે જે કર્યું છે તેની ચર્ચા કરવી છે. ગેની બેન ઠાકોરે સરકારી અધિકારીની ઓફિસને તાળાં મારી દીધા. અને અધિકારીની ખુરશી પર લેટર લગાવી દીધો.

નર્મદા વિભાગની કચેરીએ પહોંચ્યા ગેનીબેન અને પછી... 

પોતાના આક્રામક અંદાજ માટે જાણીતા ગેનીબેન ઠાકોરે આ વખતે સરકારી અધિકારીની ઓફિસને તાળા મારી દીધા છે. બનાસકાંઠાના ખેડૂતોને સરકાર દ્વારા ઈરાદા પૂર્વક પાણી નથી આપવામાં આવતું તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા. સાથે જ નર્મદા વિભાગની કચેરીએ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચી ગયા હતા. ધારાસભ્ય જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં જવાબદાર અધિકારીઓ હાજર ન હતા. 


અધિકારી હાજર ન હતા તેથીગેનીબેને ઓફિસને માર્યું તાળુ!

ઓફિસમાં જવાબદાર અધિકાર ન હોવાને કારણે કચેરીને તાળું મારીને ગેનીબેન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર સુધી ખેડૂતોની વાત પહોંચાડી ખેડૂતોને પાણી આપવા અપીલ કરી હતી. વાવ ભાભર સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોને રવિ સિઝનમાં નર્મદા વિભાગ મારફત ઇરાદાપૂર્વક સિંચાઈ માટે માગણી મુજબ પાણી ન આપતા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા 


ગેનીબેન ઠાકોરો લગાવ્યા આક્ષેપ 

બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી આપવામાં આવી રહ્યું કારણ કે રાજસ્થાનમાં ચુંટણી છે એવા આક્ષેપો ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેની બેન કોંગ્રેસના ધારાસભ્ય છે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અને ચૂંટણીઓ વખતે કોંગ્રેસની સરકારને ફાયદો ન થાય તે માટે ગુજરાત સરકાર કિન્નાખોરી કરી રહી છે તેવા આક્ષેપો ગેનીબેન દ્વારા થોડા દિવસ પહેલા જ લગાવવામાં આવ્યા હતા



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.