બાંગ્લાદેશમાં 2 દિવસમાં 14 હિંદુ મંદિરો પર હુમલા, મૂર્તિઓ ખંડિત કરી તળાવમાં ફેંકાઈ


  • Published By :
  • Published Date : 2023-02-06 21:20:12

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા વધી રહ્યા છે, હિંદુઓના પવિત્ર મંદિરોને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. આ વખતે બે દિવસમાં 14 હિંદુ મંદિરો પર હુમલો થયો છે. આ મંદિરોને રાતના અંધકારમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. તોફાની તત્વોએ મંદિરોમાં ઘુસીને તોડફોડ કરી હતી. 


ક્યાં થયા હતા હુમલા?


બાંગ્લાદેશના પશ્ચિમ ભાગમાં આખી રાત મંદિરોમાં હુમલા થયા હતા, ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપજીલામાં 14 મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી પાડી હતી. સ્થાનિક હિંદુ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ હિંદુ મંદિર પર હમલો કર્યો અને મૂર્તિઓને નજીકના તળાવમાં ફેંકી દીધી હતી. આ લોકોએ સરકાર પાસે ન્યાયની માગ કરી છે અને કહ્યું છે કે તેમના મંદિરોની રક્ષા કરવામાં આવે. તોફાની તત્વોને પકડીને કડક સજા કરવાની પણ આ લોકોએ માગ કરી છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .