ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By :
  • Published Date : 2022-11-18 18:28:37


જાહેરક્ષેત્રની બેંકો કર્મચારીઓ દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. બેંકોમાં આડેધડ થતી બદલીઓ તથા મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય કરારના ભંગ સહિતના મુદ્દાઓ પર બેંક કર્મચારીઓના સંગઠને હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી બેંક  હડતાળનું એલાન કરવામાં આવ્યુ હોવાથી અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. 


ખાનગીકરણની નીતિ સામે લડત


રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજમેન્ટ તથા બેંક કર્મચારી યુનિયનો વચ્ચે છેલ્લે અનેક મુદ્દાઓ પર સમજુતી કરાર થયા હતા. પરંતુ તેનો અમલ ન થતા અથવા તેનો ભંગ થતા કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું કે કે ખાનગીકરણની નીતિ સામે લડત લડતા કર્મચારીઓને રોકવા માટે મેનેજમેન્ટે અન્ય માર્ગ અપનાવ્યો હોય તેમ અલગ રીતે હેરાનગતી શરૂ કરવામાં આવી રહી છે. 


કર્મચારીઓની છટણીનો વિરોધ


બેંકમાં રોકડ પહોંચાડવાની કામગીરી પણ કાયમી કર્મચારીને બદલે કરાર આધારિત કર્મચારી મારફત કરાવવાનું શરૂ કરાયું છે. અમુક બેંકોએ કર્મચારીની છટણી કરી છે. નવી ભરતીને બદલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે તે સામે વિરોધ દર્શાવવા આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાળ પડશે. કેટલીક બેંકોએ કર્મચારીઓની આડેધડ બદલી કરી છે અને તેમાં પણ નિયમોનો ભંગ કરાયો છે. આ સિવાય પગપાળાની કેડર નાબુદ કરવાની હોય તેમ હંગામી ભરતી કરવામાં આવી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.