ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By :
  • Published Date : 2022-11-18 18:28:37


જાહેરક્ષેત્રની બેંકો કર્મચારીઓ દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. બેંકોમાં આડેધડ થતી બદલીઓ તથા મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય કરારના ભંગ સહિતના મુદ્દાઓ પર બેંક કર્મચારીઓના સંગઠને હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી બેંક  હડતાળનું એલાન કરવામાં આવ્યુ હોવાથી અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. 


ખાનગીકરણની નીતિ સામે લડત


રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજમેન્ટ તથા બેંક કર્મચારી યુનિયનો વચ્ચે છેલ્લે અનેક મુદ્દાઓ પર સમજુતી કરાર થયા હતા. પરંતુ તેનો અમલ ન થતા અથવા તેનો ભંગ થતા કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું કે કે ખાનગીકરણની નીતિ સામે લડત લડતા કર્મચારીઓને રોકવા માટે મેનેજમેન્ટે અન્ય માર્ગ અપનાવ્યો હોય તેમ અલગ રીતે હેરાનગતી શરૂ કરવામાં આવી રહી છે. 


કર્મચારીઓની છટણીનો વિરોધ


બેંકમાં રોકડ પહોંચાડવાની કામગીરી પણ કાયમી કર્મચારીને બદલે કરાર આધારિત કર્મચારી મારફત કરાવવાનું શરૂ કરાયું છે. અમુક બેંકોએ કર્મચારીની છટણી કરી છે. નવી ભરતીને બદલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે તે સામે વિરોધ દર્શાવવા આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાળ પડશે. કેટલીક બેંકોએ કર્મચારીઓની આડેધડ બદલી કરી છે અને તેમાં પણ નિયમોનો ભંગ કરાયો છે. આ સિવાય પગપાળાની કેડર નાબુદ કરવાની હોય તેમ હંગામી ભરતી કરવામાં આવી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.