ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By :
  • Published Date : 2022-11-18 18:28:37


જાહેરક્ષેત્રની બેંકો કર્મચારીઓ દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. બેંકોમાં આડેધડ થતી બદલીઓ તથા મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય કરારના ભંગ સહિતના મુદ્દાઓ પર બેંક કર્મચારીઓના સંગઠને હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી બેંક  હડતાળનું એલાન કરવામાં આવ્યુ હોવાથી અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. 


ખાનગીકરણની નીતિ સામે લડત


રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજમેન્ટ તથા બેંક કર્મચારી યુનિયનો વચ્ચે છેલ્લે અનેક મુદ્દાઓ પર સમજુતી કરાર થયા હતા. પરંતુ તેનો અમલ ન થતા અથવા તેનો ભંગ થતા કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું કે કે ખાનગીકરણની નીતિ સામે લડત લડતા કર્મચારીઓને રોકવા માટે મેનેજમેન્ટે અન્ય માર્ગ અપનાવ્યો હોય તેમ અલગ રીતે હેરાનગતી શરૂ કરવામાં આવી રહી છે. 


કર્મચારીઓની છટણીનો વિરોધ


બેંકમાં રોકડ પહોંચાડવાની કામગીરી પણ કાયમી કર્મચારીને બદલે કરાર આધારિત કર્મચારી મારફત કરાવવાનું શરૂ કરાયું છે. અમુક બેંકોએ કર્મચારીની છટણી કરી છે. નવી ભરતીને બદલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે તે સામે વિરોધ દર્શાવવા આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાળ પડશે. કેટલીક બેંકોએ કર્મચારીઓની આડેધડ બદલી કરી છે અને તેમાં પણ નિયમોનો ભંગ કરાયો છે. આ સિવાય પગપાળાની કેડર નાબુદ કરવાની હોય તેમ હંગામી ભરતી કરવામાં આવી રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.