ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું


  • Published By :
  • Published Date : 2022-11-18 18:28:37


જાહેરક્ષેત્રની બેંકો કર્મચારીઓ દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. બેંકોમાં આડેધડ થતી બદલીઓ તથા મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય કરારના ભંગ સહિતના મુદ્દાઓ પર બેંક કર્મચારીઓના સંગઠને હડતાલની જાહેરાત કરી છે. દેશવ્યાપી બેંક  હડતાળનું એલાન કરવામાં આવ્યુ હોવાથી અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. 


ખાનગીકરણની નીતિ સામે લડત


રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજમેન્ટ તથા બેંક કર્મચારી યુનિયનો વચ્ચે છેલ્લે અનેક મુદ્દાઓ પર સમજુતી કરાર થયા હતા. પરંતુ તેનો અમલ ન થતા અથવા તેનો ભંગ થતા કર્મચારી યુનિયનોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું કે કે ખાનગીકરણની નીતિ સામે લડત લડતા કર્મચારીઓને રોકવા માટે મેનેજમેન્ટે અન્ય માર્ગ અપનાવ્યો હોય તેમ અલગ રીતે હેરાનગતી શરૂ કરવામાં આવી રહી છે. 


કર્મચારીઓની છટણીનો વિરોધ


બેંકમાં રોકડ પહોંચાડવાની કામગીરી પણ કાયમી કર્મચારીને બદલે કરાર આધારિત કર્મચારી મારફત કરાવવાનું શરૂ કરાયું છે. અમુક બેંકોએ કર્મચારીની છટણી કરી છે. નવી ભરતીને બદલે સ્ટાફ ઘટાડવામાં આવી રહ્યો છે તે સામે વિરોધ દર્શાવવા આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાળ પડશે. કેટલીક બેંકોએ કર્મચારીઓની આડેધડ બદલી કરી છે અને તેમાં પણ નિયમોનો ભંગ કરાયો છે. આ સિવાય પગપાળાની કેડર નાબુદ કરવાની હોય તેમ હંગામી ભરતી કરવામાં આવી રહી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.