મથુરાઃ બાંકે બિહારી મંદિર પાસે બિલ્ડિંગની છત ધરાશાયી, 5 શ્રદ્ધાળુઓના મોત, 10 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-08-15 22:06:52

ઉત્તર પ્રદેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ મથુરામાં આજે 15મી ઓગસ્ટના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રખ્યાત બાંકે બિહારી મંદિર પાસે બે માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાને કારણે  શ્રધ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી પાંચના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ પીડિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાંકે બિહારી મંદિરથી માત્ર 200 મીટર દૂર એક જૂની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ ગઈ અને આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. 


શ્રધ્ધાળુઓ નિકળ્યા ત્યારે સર્જાઈ દુર્ઘટના


શ્રધ્ધાળુઓ દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના કારણે અરેરાટી વ્યાપી ગઈ હતી. પીડિતોને બચાવવા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


આ લોકોના થયા મૃત્યુ


હોસ્પિટલમાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાંથી ત્રણ કાનપુરના છે, જ્યારે એક વૃંદાવનનો છે અને મૃતકોનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં ગીતા કશ્યપ, અરવિંદ કુમાર, રશ્મિ ગુપ્તા, અંજુ અને એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે.


સાંકડી ગલીમાં 60 લોકો ફસાયા હતા

 

આ દુર્ઘટના મથુરાના દુસાયત વિસ્તારમાં આજે સાંજે 5 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી, દુર્ઘટના વખતે સાંકડી ગલીમાં લગભગ 60થી વધુ લોકો હતા. ભારે ભીડના કારણે રેસ્ક્યુ ટીમ ઝડપથી પહોંચી શકી ન હતી. ત્યાં પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી જેના કારણે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો. સ્થાનિક લોકોએ જાતે જ કાટમાળ હટાવી ઘાયલો અને મૃતકોને તાકીદે હોસ્પિટલ પહોંચાડ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.