અનેક જગ્યાઓ પર લાગ્યા ભાજપ વિરુદ્ધ બેનર, અનેક સમાજ કરી રહ્યા છે ભાજપનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:08:53

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટી અનેક પ્રકારે પ્રવાસ કરી રહી છે. ભાજપ પણ ગૌરવ યાત્રા કરી જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના ઉમેદવારો વોટ માગવા પોતાના મતવિસ્તારમાં જતા હોય છે. ત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપના નેતાને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ભાજપની ચિંતામાં વધારો

ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પ્રકારે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગ રૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. પરંતુ તેને પણ અનેક જગ્યાઓ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રહેતા અનેક સમાજ જાણે ભાજપથી ત્રાસિ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ભાજપની ચિંતામાં વધારો થયો છે. અનેક સમાજો ભાજપ વિરોધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. 


વોટ માગવા ન આવવું તેવા લગાવાયા પોસ્ટર 

ચૂંટણી નજીક આવતા ઉમેદવારો મતદારો પાસે જઈ વોટની માગણી કરતા હોય છે. ત્યારેત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ અથવા તો આગેવાનોએ મત માગવા આવવું નહીં.


પોરબંદરમાં પણ લાગ્યા ભાજપના વિરોધમાં બેનર 

આવા જ પોસ્ટર પોરબંદરના ઈન્દિરા નગર ખાતે લાગ્યા હતા. તેમાં પણ એવું જ લખવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર માલધારી વિરોધી સરકાર છે. મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ સરકારથી નારાજ ચાલી રહ્યો છે અનેક વખત સરકાર વિરુદ્ધ તેમણે પ્રદર્શન પણ કર્યું હતું તેમજ થોડા સમય પહેલા મહાસંમેલન યોજી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.