અનેક જગ્યાઓ પર લાગ્યા ભાજપ વિરુદ્ધ બેનર, અનેક સમાજ કરી રહ્યા છે ભાજપનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:08:53

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટી અનેક પ્રકારે પ્રવાસ કરી રહી છે. ભાજપ પણ ગૌરવ યાત્રા કરી જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના ઉમેદવારો વોટ માગવા પોતાના મતવિસ્તારમાં જતા હોય છે. ત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપના નેતાને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ભાજપની ચિંતામાં વધારો

ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પ્રકારે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગ રૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. પરંતુ તેને પણ અનેક જગ્યાઓ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રહેતા અનેક સમાજ જાણે ભાજપથી ત્રાસિ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ભાજપની ચિંતામાં વધારો થયો છે. અનેક સમાજો ભાજપ વિરોધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. 


વોટ માગવા ન આવવું તેવા લગાવાયા પોસ્ટર 

ચૂંટણી નજીક આવતા ઉમેદવારો મતદારો પાસે જઈ વોટની માગણી કરતા હોય છે. ત્યારેત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ અથવા તો આગેવાનોએ મત માગવા આવવું નહીં.


પોરબંદરમાં પણ લાગ્યા ભાજપના વિરોધમાં બેનર 

આવા જ પોસ્ટર પોરબંદરના ઈન્દિરા નગર ખાતે લાગ્યા હતા. તેમાં પણ એવું જ લખવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર માલધારી વિરોધી સરકાર છે. મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ સરકારથી નારાજ ચાલી રહ્યો છે અનેક વખત સરકાર વિરુદ્ધ તેમણે પ્રદર્શન પણ કર્યું હતું તેમજ થોડા સમય પહેલા મહાસંમેલન યોજી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે