અનેક જગ્યાઓ પર લાગ્યા ભાજપ વિરુદ્ધ બેનર, અનેક સમાજ કરી રહ્યા છે ભાજપનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 15:08:53

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટી અનેક પ્રકારે પ્રવાસ કરી રહી છે. ભાજપ પણ ગૌરવ યાત્રા કરી જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના ઉમેદવારો વોટ માગવા પોતાના મતવિસ્તારમાં જતા હોય છે. ત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપના નેતાને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ભાજપની ચિંતામાં વધારો

ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પ્રકારે મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગ રૂપે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. પરંતુ તેને પણ અનેક જગ્યાઓ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં રહેતા અનેક સમાજ જાણે ભાજપથી ત્રાસિ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ભાજપની ચિંતામાં વધારો થયો છે. અનેક સમાજો ભાજપ વિરોધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. 


વોટ માગવા ન આવવું તેવા લગાવાયા પોસ્ટર 

ચૂંટણી નજીક આવતા ઉમેદવારો મતદારો પાસે જઈ વોટની માગણી કરતા હોય છે. ત્યારેત્યારે ગીર સોમનાથમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા છે. વેરાવળમાં રહેતા ભરવાડ, રબારી તેમજ માલધારી સમાજના લોકોએ ભાજપ વિરોધી પોસ્ટર લગાવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ અથવા તો આગેવાનોએ મત માગવા આવવું નહીં.


પોરબંદરમાં પણ લાગ્યા ભાજપના વિરોધમાં બેનર 

આવા જ પોસ્ટર પોરબંદરના ઈન્દિરા નગર ખાતે લાગ્યા હતા. તેમાં પણ એવું જ લખવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર માલધારી વિરોધી સરકાર છે. મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ સરકારથી નારાજ ચાલી રહ્યો છે અનેક વખત સરકાર વિરુદ્ધ તેમણે પ્રદર્શન પણ કર્યું હતું તેમજ થોડા સમય પહેલા મહાસંમેલન યોજી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.