બાપુ કરી શકે છે કોંગ્રેસમાં રિ-એન્ટ્રી, મલ્લિકાર્જૂન ખડગે સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-11-11 10:47:22

ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર થયા બાદ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસને દિગ્ગજ નેતાનો સાથ મળી શકે છે. શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Gandhinagar Gujarat Assembly Election Shankarsinh Vaghela meeting  bharatsinh Solanki Congress – News18 Gujarati

શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી 

ગુજરાતની રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી હતી જે બાદ એવું માનવામાં રહ્યું છે કે બાપુ 12 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. બાપુ પાર્ટીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ થામી લીધો છે. 

ખડગે સાથે કરી હતી મુલાકાત 

મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી તેવી અટકળો વહેતી થઈ હતી કે બાપુ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બાપુએ 2017ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સાડા પાંચ વર્ષ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં જવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. થોડા દિવસ પહેલા બાપુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.