બાપુ કરી શકે છે કોંગ્રેસમાં રિ-એન્ટ્રી, મલ્લિકાર્જૂન ખડગે સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-11-11 10:47:22

ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર થયા બાદ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અનેક નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસને દિગ્ગજ નેતાનો સાથ મળી શકે છે. શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Gandhinagar Gujarat Assembly Election Shankarsinh Vaghela meeting  bharatsinh Solanki Congress – News18 Gujarati

શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં ઘરવાપસી 

ગુજરાતની રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગમે ત્યારે રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે સાથે તેમણે મુલાકાત કરી હતી જે બાદ એવું માનવામાં રહ્યું છે કે બાપુ 12 નવેમ્બરના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ શકે છે. બાપુ પાર્ટીમાં જોડાય તે પહેલા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનો હાથ થામી લીધો છે. 

ખડગે સાથે કરી હતી મુલાકાત 

મહેન્દ્રસિંહ વાઘેલા જ્યારથી કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી તેવી અટકળો વહેતી થઈ હતી કે બાપુ પણ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે. બાપુએ 2017ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સાડા પાંચ વર્ષ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ચૂંટણી સમયે કોંગ્રેસમાં જવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. થોડા દિવસ પહેલા બાપુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.