ગોવામાં બાર-રેસ્ટોરન્ટના માલિકોએ દારુના નશામાં રહેલા લોકોને કેબથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:06:34

ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

Goa makes 'Don't drink and drive' signages must for bars - Daijiworld.com

ગોવામાં દારૂ પીને ગાડી ડ્રાઈવ કરવાને લગતી ઘટના સતત વધી રહી છે. આ સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, આ અંગે સરકાર ગંભીર બની ગઈ છે. સોમવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ડ્રંક એન્ડ ડ્રાઈવ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યમાં એક નવા માપદંડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે બાર તથા રેસ્ટોરન્ટના માલિકોએ નશામાં ધુત ગ્રાહકો માટે હવે કેબની વ્યવસ્થા કરવી પડશે,જેથી તેઓ ઘરે અથવા હોટલ સુધી પહોંચાડી શકાય.


ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.


બાર માલિકની જવાબદારી

In midst of political row, Goa bar now under town planner lens | Cities  News,The Indian Express

મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓને કહી રહ્યો છું કે ભારે ભીડવાળા બાર અને રેસ્ટોરન્ટનો સંપર્ક કરો, જ્યાં લોકો આવે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં છે તો તે બાર માલિકની જવાબદારી છે કે તે કેબ ભાડે લઈ તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. આવા લોકોને કાર ચલાવી ઘરે જવા દેવામાં ન આવે. લોકોની સુરક્ષા માટે આ નવો નિયમ છે. હવે અમે આ નિયમને વધારે કડક કરશું.


11મા રાજ્ય માર્ગ સુરક્ષા સપ્તાહ 2022 કાર્યક્રમમાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું કે અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા પડશે. ગોડિન્હોએ કહ્યું કે ખાડાઓથી ભરેલા માર્ગો જેવી સમસ્યાને લોક નિર્માણ વિભાગ દ્વારા ઉકેલ મેળવવો જોઈએ, જેના માટે તે પોતાની સમકક્ષ સાથે કામ કરશે.તેમણે કહ્યું કે અન્ય વિભાગના કેટલાક અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને હળવાસથી લઈ રહ્યા છે. તેઓ બેઠકોમાં પણ આવતા નથી. હવે સમય આવી ગયો છે કે અધિકારી આ મુદ્દાને ગંભીરતાતી લે.


મંત્રી વધુમાં કહ્યું કે પરિવહન વિભાગના અધિકારીઓને બાર તથા પબની જગ્યાએ તપાસ કરવા ઉપરાંત રાત્રીના સમયમાં મહત્વના સ્થાનો પર નજર રાખવા માટે કહેવામાં આવશે, જેથી દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટનાને અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મલ્ટી-મોડલ પરિવહન સુવિધા શરૂ કરવા કામ કરી રહી છે, જે એક એપ પર ઉપલબ્ધ બનશે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.