ગોવામાં બાર-રેસ્ટોરન્ટના માલિકોએ દારુના નશામાં રહેલા લોકોને કેબથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:06:34

ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

Goa makes 'Don't drink and drive' signages must for bars - Daijiworld.com

ગોવામાં દારૂ પીને ગાડી ડ્રાઈવ કરવાને લગતી ઘટના સતત વધી રહી છે. આ સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, આ અંગે સરકાર ગંભીર બની ગઈ છે. સોમવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ડ્રંક એન્ડ ડ્રાઈવ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યમાં એક નવા માપદંડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે બાર તથા રેસ્ટોરન્ટના માલિકોએ નશામાં ધુત ગ્રાહકો માટે હવે કેબની વ્યવસ્થા કરવી પડશે,જેથી તેઓ ઘરે અથવા હોટલ સુધી પહોંચાડી શકાય.


ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.


બાર માલિકની જવાબદારી

In midst of political row, Goa bar now under town planner lens | Cities  News,The Indian Express

મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓને કહી રહ્યો છું કે ભારે ભીડવાળા બાર અને રેસ્ટોરન્ટનો સંપર્ક કરો, જ્યાં લોકો આવે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં છે તો તે બાર માલિકની જવાબદારી છે કે તે કેબ ભાડે લઈ તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. આવા લોકોને કાર ચલાવી ઘરે જવા દેવામાં ન આવે. લોકોની સુરક્ષા માટે આ નવો નિયમ છે. હવે અમે આ નિયમને વધારે કડક કરશું.


11મા રાજ્ય માર્ગ સુરક્ષા સપ્તાહ 2022 કાર્યક્રમમાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું કે અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા પડશે. ગોડિન્હોએ કહ્યું કે ખાડાઓથી ભરેલા માર્ગો જેવી સમસ્યાને લોક નિર્માણ વિભાગ દ્વારા ઉકેલ મેળવવો જોઈએ, જેના માટે તે પોતાની સમકક્ષ સાથે કામ કરશે.તેમણે કહ્યું કે અન્ય વિભાગના કેટલાક અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને હળવાસથી લઈ રહ્યા છે. તેઓ બેઠકોમાં પણ આવતા નથી. હવે સમય આવી ગયો છે કે અધિકારી આ મુદ્દાને ગંભીરતાતી લે.


મંત્રી વધુમાં કહ્યું કે પરિવહન વિભાગના અધિકારીઓને બાર તથા પબની જગ્યાએ તપાસ કરવા ઉપરાંત રાત્રીના સમયમાં મહત્વના સ્થાનો પર નજર રાખવા માટે કહેવામાં આવશે, જેથી દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટનાને અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મલ્ટી-મોડલ પરિવહન સુવિધા શરૂ કરવા કામ કરી રહી છે, જે એક એપ પર ઉપલબ્ધ બનશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.