ગોવામાં બાર-રેસ્ટોરન્ટના માલિકોએ દારુના નશામાં રહેલા લોકોને કેબથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:06:34

ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

Goa makes 'Don't drink and drive' signages must for bars - Daijiworld.com

ગોવામાં દારૂ પીને ગાડી ડ્રાઈવ કરવાને લગતી ઘટના સતત વધી રહી છે. આ સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, આ અંગે સરકાર ગંભીર બની ગઈ છે. સોમવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ડ્રંક એન્ડ ડ્રાઈવ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યમાં એક નવા માપદંડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે બાર તથા રેસ્ટોરન્ટના માલિકોએ નશામાં ધુત ગ્રાહકો માટે હવે કેબની વ્યવસ્થા કરવી પડશે,જેથી તેઓ ઘરે અથવા હોટલ સુધી પહોંચાડી શકાય.


ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.


બાર માલિકની જવાબદારી

In midst of political row, Goa bar now under town planner lens | Cities  News,The Indian Express

મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓને કહી રહ્યો છું કે ભારે ભીડવાળા બાર અને રેસ્ટોરન્ટનો સંપર્ક કરો, જ્યાં લોકો આવે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં છે તો તે બાર માલિકની જવાબદારી છે કે તે કેબ ભાડે લઈ તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. આવા લોકોને કાર ચલાવી ઘરે જવા દેવામાં ન આવે. લોકોની સુરક્ષા માટે આ નવો નિયમ છે. હવે અમે આ નિયમને વધારે કડક કરશું.


11મા રાજ્ય માર્ગ સુરક્ષા સપ્તાહ 2022 કાર્યક્રમમાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું કે અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા પડશે. ગોડિન્હોએ કહ્યું કે ખાડાઓથી ભરેલા માર્ગો જેવી સમસ્યાને લોક નિર્માણ વિભાગ દ્વારા ઉકેલ મેળવવો જોઈએ, જેના માટે તે પોતાની સમકક્ષ સાથે કામ કરશે.તેમણે કહ્યું કે અન્ય વિભાગના કેટલાક અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને હળવાસથી લઈ રહ્યા છે. તેઓ બેઠકોમાં પણ આવતા નથી. હવે સમય આવી ગયો છે કે અધિકારી આ મુદ્દાને ગંભીરતાતી લે.


મંત્રી વધુમાં કહ્યું કે પરિવહન વિભાગના અધિકારીઓને બાર તથા પબની જગ્યાએ તપાસ કરવા ઉપરાંત રાત્રીના સમયમાં મહત્વના સ્થાનો પર નજર રાખવા માટે કહેવામાં આવશે, જેથી દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટનાને અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મલ્ટી-મોડલ પરિવહન સુવિધા શરૂ કરવા કામ કરી રહી છે, જે એક એપ પર ઉપલબ્ધ બનશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.