ગોવામાં બાર-રેસ્ટોરન્ટના માલિકોએ દારુના નશામાં રહેલા લોકોને કેબથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 13:06:34

ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.

Goa makes 'Don't drink and drive' signages must for bars - Daijiworld.com

ગોવામાં દારૂ પીને ગાડી ડ્રાઈવ કરવાને લગતી ઘટના સતત વધી રહી છે. આ સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, આ અંગે સરકાર ગંભીર બની ગઈ છે. સોમવારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે ડ્રંક એન્ડ ડ્રાઈવ પર નિયંત્રણ લાદવા માટે રાજ્યમાં એક નવા માપદંડ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિયમ પ્રમાણે બાર તથા રેસ્ટોરન્ટના માલિકોએ નશામાં ધુત ગ્રાહકો માટે હવે કેબની વ્યવસ્થા કરવી પડશે,જેથી તેઓ ઘરે અથવા હોટલ સુધી પહોંચાડી શકાય.


ગોવાના મંત્રી મૌવિન ગોડિન્હોએ કહ્યું કે તે રાજ્ય પરિવહન વિભાગના અધિકારીઓને રાજ્યમાં બાર તથા પબની બહાર ચેકિંગ કરવા અને દારૂ પી ગાડી ચલાવવાની ઘટના અટકાવવા માટે રાત્રીના સમયમાં મહત્વના સ્થળો પર વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.


બાર માલિકની જવાબદારી

In midst of political row, Goa bar now under town planner lens | Cities  News,The Indian Express

મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓને કહી રહ્યો છું કે ભારે ભીડવાળા બાર અને રેસ્ટોરન્ટનો સંપર્ક કરો, જ્યાં લોકો આવે છે. જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં છે તો તે બાર માલિકની જવાબદારી છે કે તે કેબ ભાડે લઈ તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. આવા લોકોને કાર ચલાવી ઘરે જવા દેવામાં ન આવે. લોકોની સુરક્ષા માટે આ નવો નિયમ છે. હવે અમે આ નિયમને વધારે કડક કરશું.


11મા રાજ્ય માર્ગ સુરક્ષા સપ્તાહ 2022 કાર્યક્રમમાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું કે અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને વધારે ગંભીરતાથી લેવા પડશે. ગોડિન્હોએ કહ્યું કે ખાડાઓથી ભરેલા માર્ગો જેવી સમસ્યાને લોક નિર્માણ વિભાગ દ્વારા ઉકેલ મેળવવો જોઈએ, જેના માટે તે પોતાની સમકક્ષ સાથે કામ કરશે.તેમણે કહ્યું કે અન્ય વિભાગના કેટલાક અધિકારીઓ માર્ગ સુરક્ષાના મુદ્દાને હળવાસથી લઈ રહ્યા છે. તેઓ બેઠકોમાં પણ આવતા નથી. હવે સમય આવી ગયો છે કે અધિકારી આ મુદ્દાને ગંભીરતાતી લે.


મંત્રી વધુમાં કહ્યું કે પરિવહન વિભાગના અધિકારીઓને બાર તથા પબની જગ્યાએ તપાસ કરવા ઉપરાંત રાત્રીના સમયમાં મહત્વના સ્થાનો પર નજર રાખવા માટે કહેવામાં આવશે, જેથી દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટનાને અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યમાં મલ્ટી-મોડલ પરિવહન સુવિધા શરૂ કરવા કામ કરી રહી છે, જે એક એપ પર ઉપલબ્ધ બનશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .