બરોડા ડેરી ફરી એકવાર ચર્ચામાં, ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે આપ્યું રાજીનામું, દીનુમામાને આપ્યો ટેકો


  • Published By :
  • Published Date : 2023-10-31 16:26:18

બરોડા ડેરી વહીવટમાં ગેરરીતિને લઇને ઘણી વખત વિવાદમાં રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બરોડા ડેરી ચર્ચામાં આવી છે. બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનિય છે કે સતીશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખની એમ બેવડી જવાબદારી નિભાવી રહ્યા હતા. સતીશ પટેલ 3 જુલાઈએ બરોડા ડેરીની ચૂંટણીમાં પ્રમુખ બન્યા હતા. સતીષ પટેલે પ્રેસ કોન્ફ્રન્સ કરીને કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. મેં રાજી-ખુશીથી બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશુ. લોકસભામાં પૂરતો સમય આપવા રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દીનુ મામા જો બરોડા ડેરીના પ્રમુખ બને તો તેમને સહકાર આપીશું. 


દીનુમામા ફરી પ્રમુખ બનશે?


દીનુમામા છેલ્લા આઠ વર્ષથી બરોડા ડેરીના પ્રમુખ પદે રહ્યા હતા. તેમણે ભાજપ પાસેથી ટીકીટ માંગી હતી પણ ટીકીટ ન મળતા તેઓ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી દીનું મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લામાં અપક્ષ ઉમેદવાની નોંધાવીને બળવો કરનારા પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનુમામાને 22 નવેમ્બર 2022ની તારીખથી સસ્પેન્ડ કર્યા હતા.આ જ કારણે દીનું મામાએ ભાજપના સભ્ય પદની સાથે બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. ધારાસભ્ય કેતન ઇનામદારે દીનુ મામા પર ડેરીમાં સગાઓને નોકરી આપવાના તેમજ વિવિધ ગોટાળાને લઈ આક્ષેપો કર્યા હતા, જેને લઈ બરોડા ડેરીના રાજકારણમાં ભારે હલચલ મચી હતી.  જો કે હવે દીનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે. ત્યારે તેમને બરોડા ડેરીના પ્રમુખ બનાવવાનો તખ્તો ગોઠવાયાની શક્યતા છે. 


ડેરી સાથે જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે 


વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરતી ડેરી છે. બરોડા ડેરી ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના રોજના લગભગ 24 લાખ લોકોની દૂધની જરૂરિયાત સંતોષી રહી છે. ડેરીમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાની મદદથી કોઈ પણ માનવીય સ્પર્શ વિના દૂધનું પેકેજિંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, જેના દ્વારા દૂધ સંપાદનનું કાર્ય કરવામાં આવે છે. બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.