બસ નજરીએ કી હેં બાત... સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓના વીડિયો વાયરલ થયા જે જોઈ તમે પણ ખુશ થઈને કહેશો, શું વાત છે...


  • Published By :
  • Published Date : 2023-07-22 17:31:38

આપણે કહીએ છીએ છે કે દરેક માનવમાં ઈશ્વર રહેલો છે. ભગવાન પોતે આપણી સમક્ષ નથી આવતા પરંતુ કોઈ વ્યક્તિને તેમનો દુત બનાવી આપણી પાસે, આપણી મદદમાં મોકલી દેતા હોય છે. ભગવાનના રૂપમાં મદદે અનેક એવા લોકો આવતા હોય છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય. માણસોમાં પણ બે વ્યક્તિત્વ રહેલું હોય છે. એક નકારાત્મક અને એક સકારાત્મક રૂપ આપણી સૌની અંદર રહેલું હોય છે. આપણને માણસમાં રહેલી નકારાત્મકતા આપોઆપ દેખાઈ જતી હોય છે પરંતુ સકારાત્મક રૂપ આપણે શોધવું પડે છે. આ વાત પોલીસ કર્મીઓ પર પહેલા લાગુ પડતી હોય છે. 

ફરિયાદ કરવા આવેલા દાદીને ગરમી ન લાગે તે માટે પોલીસે કરી વ્યવસ્થા

કુમાર વિશ્વાસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કર્મીઓ એક વૃદ્ધ મહિલાને ગાડીમાં બેસાડી ઘરે છોડવા જાય છે. કાનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ કરવા જ્યારે 80 વર્ષની મહિલા પહોંચી ત્યારે તેમને પ્રેમભર્યો આવકાર આપવામાં આવ્યો અને દાદીને ગરમીમાં ઘરે ન જવું પડે તે માટે પોલીસે પોતાનની ગાડીમાં બેસાડી દાદીને મોકલ્યા. તે પહેલા પણ એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું હોય. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મી દાદાને નવા ચપ્પલ પહેરાવે છે. તે સિવાય પણ એવા અનેક વીડિયો સામે આવતા રહે છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી.      



પોલીસનું આવું રૂપ જલ્દી નથી જોવા મળતું 

પોલીસને આપણે હંમેશા દંડ વસૂલતા જોતા હોઈએ છીએ, વર્દીનો વટ પાડતા, દાદાગીરી કરતા દેખાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે આ વાતને સાચી સાબિત કરે છે. આ વાતને પૂર્ણ રીતે નકારી શકાય તેવી છે પણ નહીં. પરંતુ પોલીસનો એક બીજું રૂપ પણ હોય છે જે આપણે કદી નથી જોતા. જે પોલીસ આપણને એકદમ કડક દેખાતી હોય છે તે જ પોલીસના એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી. પોલીસ ઉપરાંત લોકો દ્વારા કરવામાં આવતી આવી કામગીરી માનવતાને મહેંકાવતી રાખે છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .