બસ નજરીએ કી હેં બાત... સોશિયલ મીડિયા પર પોલીસ કર્મીઓના વીડિયો વાયરલ થયા જે જોઈ તમે પણ ખુશ થઈને કહેશો, શું વાત છે...


  • Published By :
  • Published Date : 2023-07-22 17:31:38

આપણે કહીએ છીએ છે કે દરેક માનવમાં ઈશ્વર રહેલો છે. ભગવાન પોતે આપણી સમક્ષ નથી આવતા પરંતુ કોઈ વ્યક્તિને તેમનો દુત બનાવી આપણી પાસે, આપણી મદદમાં મોકલી દેતા હોય છે. ભગવાનના રૂપમાં મદદે અનેક એવા લોકો આવતા હોય છે જેમની આપણે કલ્પના પણ ન કરી હોય. માણસોમાં પણ બે વ્યક્તિત્વ રહેલું હોય છે. એક નકારાત્મક અને એક સકારાત્મક રૂપ આપણી સૌની અંદર રહેલું હોય છે. આપણને માણસમાં રહેલી નકારાત્મકતા આપોઆપ દેખાઈ જતી હોય છે પરંતુ સકારાત્મક રૂપ આપણે શોધવું પડે છે. આ વાત પોલીસ કર્મીઓ પર પહેલા લાગુ પડતી હોય છે. 

ફરિયાદ કરવા આવેલા દાદીને ગરમી ન લાગે તે માટે પોલીસે કરી વ્યવસ્થા

કુમાર વિશ્વાસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કર્મીઓ એક વૃદ્ધ મહિલાને ગાડીમાં બેસાડી ઘરે છોડવા જાય છે. કાનપુર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ કરવા જ્યારે 80 વર્ષની મહિલા પહોંચી ત્યારે તેમને પ્રેમભર્યો આવકાર આપવામાં આવ્યો અને દાદીને ગરમીમાં ઘરે ન જવું પડે તે માટે પોલીસે પોતાનની ગાડીમાં બેસાડી દાદીને મોકલ્યા. તે પહેલા પણ એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીએ લોકોનું દિલ જીતી લીધું હોય. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મી દાદાને નવા ચપ્પલ પહેરાવે છે. તે સિવાય પણ એવા અનેક વીડિયો સામે આવતા રહે છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી.      



પોલીસનું આવું રૂપ જલ્દી નથી જોવા મળતું 

પોલીસને આપણે હંમેશા દંડ વસૂલતા જોતા હોઈએ છીએ, વર્દીનો વટ પાડતા, દાદાગીરી કરતા દેખાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે આ વાતને સાચી સાબિત કરે છે. આ વાતને પૂર્ણ રીતે નકારી શકાય તેવી છે પણ નહીં. પરંતુ પોલીસનો એક બીજું રૂપ પણ હોય છે જે આપણે કદી નથી જોતા. જે પોલીસ આપણને એકદમ કડક દેખાતી હોય છે તે જ પોલીસના એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈ લાગે છે કે માનવતા હજી નથી મરી પરવારી. પોલીસ ઉપરાંત લોકો દ્વારા કરવામાં આવતી આવી કામગીરી માનવતાને મહેંકાવતી રાખે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.