જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલવામાં આવે, શિવલિંગનો ASI સર્વે કરાવાય, હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2024-01-29 17:13:30

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી વજુખાનાનો સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી હતી. હિંદુ પક્ષે તેની અરજીમાં કહ્યું હતું કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના ASI ત્યાં સર્વે કરે. ત્યાં પર શિંવલિંગ જેવું સ્ટ્રક્ચર મળવાના કારણે વજૂખાનાને સીલ કરી દીધું હતું. પોતાની અરજીમાં હિંદુ પક્ષે કોર્ટ પાસે 19 મે 2023ના આદેશને રદ્દ કરવાનો આદેશ આપવાની માગ કરી છે. આ આદેશમાં કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જોવા મળેલા "શિવલિંગ"ની વૈજ્ઞાનિક તપાસ પર રોક લગાવી દીધી હતી. 


વૈજ્ઞાનિક પધ્ધતીથી કરાવવામાં આવે તપાસ


પોતાની અરજીમાં ASIના સુપ્રિટેન્ડન્ટ પાસે સીલ કરાયેલા વિસ્તારમાં આવેલા શિવલિંગને કોઈ નુકસાન પહોચાડ્યા વગર જ તેની પ્રક્રૃતિ અને સંબંધિત વિશેષતાઓ નક્કા કરવા માટે કથિત શિવલિંગની જરૂરી તપાસ-સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી છે. અરજીમાં તે પણ માગ કરવામાં આવી છે કે શિવલિંગની આસપાસની કૃત્રિમ, આધુનિક દીવાલો, ફર્શોને હટાવીને સંપુર્ણ વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરાવીને તપાસ કરવામાં આવે. 


વજુખાનાની સફાઈનો આદેશ આપ્યો હતો 


આ પહેલા જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની અંદરના વજુખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સફાઈ વારાણસીના જિલ્લા પ્રશાસનની દેખરેખમાં થવી જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને પણ સફાઈ દરમિયાન કોર્ટના જૂના આદેશનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.