જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલવામાં આવે, શિવલિંગનો ASI સર્વે કરાવાય, હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2024-01-29 17:13:30

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી વજુખાનાનો સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી હતી. હિંદુ પક્ષે તેની અરજીમાં કહ્યું હતું કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના ASI ત્યાં સર્વે કરે. ત્યાં પર શિંવલિંગ જેવું સ્ટ્રક્ચર મળવાના કારણે વજૂખાનાને સીલ કરી દીધું હતું. પોતાની અરજીમાં હિંદુ પક્ષે કોર્ટ પાસે 19 મે 2023ના આદેશને રદ્દ કરવાનો આદેશ આપવાની માગ કરી છે. આ આદેશમાં કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જોવા મળેલા "શિવલિંગ"ની વૈજ્ઞાનિક તપાસ પર રોક લગાવી દીધી હતી. 


વૈજ્ઞાનિક પધ્ધતીથી કરાવવામાં આવે તપાસ


પોતાની અરજીમાં ASIના સુપ્રિટેન્ડન્ટ પાસે સીલ કરાયેલા વિસ્તારમાં આવેલા શિવલિંગને કોઈ નુકસાન પહોચાડ્યા વગર જ તેની પ્રક્રૃતિ અને સંબંધિત વિશેષતાઓ નક્કા કરવા માટે કથિત શિવલિંગની જરૂરી તપાસ-સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી છે. અરજીમાં તે પણ માગ કરવામાં આવી છે કે શિવલિંગની આસપાસની કૃત્રિમ, આધુનિક દીવાલો, ફર્શોને હટાવીને સંપુર્ણ વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરાવીને તપાસ કરવામાં આવે. 


વજુખાનાની સફાઈનો આદેશ આપ્યો હતો 


આ પહેલા જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની અંદરના વજુખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સફાઈ વારાણસીના જિલ્લા પ્રશાસનની દેખરેખમાં થવી જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને પણ સફાઈ દરમિયાન કોર્ટના જૂના આદેશનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે