જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલવામાં આવે, શિવલિંગનો ASI સર્વે કરાવાય, હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2024-01-29 17:13:30

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી વજુખાનાનો સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી હતી. હિંદુ પક્ષે તેની અરજીમાં કહ્યું હતું કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના ASI ત્યાં સર્વે કરે. ત્યાં પર શિંવલિંગ જેવું સ્ટ્રક્ચર મળવાના કારણે વજૂખાનાને સીલ કરી દીધું હતું. પોતાની અરજીમાં હિંદુ પક્ષે કોર્ટ પાસે 19 મે 2023ના આદેશને રદ્દ કરવાનો આદેશ આપવાની માગ કરી છે. આ આદેશમાં કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જોવા મળેલા "શિવલિંગ"ની વૈજ્ઞાનિક તપાસ પર રોક લગાવી દીધી હતી. 


વૈજ્ઞાનિક પધ્ધતીથી કરાવવામાં આવે તપાસ


પોતાની અરજીમાં ASIના સુપ્રિટેન્ડન્ટ પાસે સીલ કરાયેલા વિસ્તારમાં આવેલા શિવલિંગને કોઈ નુકસાન પહોચાડ્યા વગર જ તેની પ્રક્રૃતિ અને સંબંધિત વિશેષતાઓ નક્કા કરવા માટે કથિત શિવલિંગની જરૂરી તપાસ-સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી છે. અરજીમાં તે પણ માગ કરવામાં આવી છે કે શિવલિંગની આસપાસની કૃત્રિમ, આધુનિક દીવાલો, ફર્શોને હટાવીને સંપુર્ણ વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરાવીને તપાસ કરવામાં આવે. 


વજુખાનાની સફાઈનો આદેશ આપ્યો હતો 


આ પહેલા જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની અંદરના વજુખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સફાઈ વારાણસીના જિલ્લા પ્રશાસનની દેખરેખમાં થવી જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને પણ સફાઈ દરમિયાન કોર્ટના જૂના આદેશનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.