જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરું ખોલવામાં આવે, શિવલિંગનો ASI સર્વે કરાવાય, હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2024-01-29 17:13:30

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિંદુ પક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી વજુખાનાનો સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી હતી. હિંદુ પક્ષે તેની અરજીમાં કહ્યું હતું કે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના ASI ત્યાં સર્વે કરે. ત્યાં પર શિંવલિંગ જેવું સ્ટ્રક્ચર મળવાના કારણે વજૂખાનાને સીલ કરી દીધું હતું. પોતાની અરજીમાં હિંદુ પક્ષે કોર્ટ પાસે 19 મે 2023ના આદેશને રદ્દ કરવાનો આદેશ આપવાની માગ કરી છે. આ આદેશમાં કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જોવા મળેલા "શિવલિંગ"ની વૈજ્ઞાનિક તપાસ પર રોક લગાવી દીધી હતી. 


વૈજ્ઞાનિક પધ્ધતીથી કરાવવામાં આવે તપાસ


પોતાની અરજીમાં ASIના સુપ્રિટેન્ડન્ટ પાસે સીલ કરાયેલા વિસ્તારમાં આવેલા શિવલિંગને કોઈ નુકસાન પહોચાડ્યા વગર જ તેની પ્રક્રૃતિ અને સંબંધિત વિશેષતાઓ નક્કા કરવા માટે કથિત શિવલિંગની જરૂરી તપાસ-સર્વે કરાવવાનો આદેશ આપવાની માગ કરી છે. અરજીમાં તે પણ માગ કરવામાં આવી છે કે શિવલિંગની આસપાસની કૃત્રિમ, આધુનિક દીવાલો, ફર્શોને હટાવીને સંપુર્ણ વિસ્તારમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરાવીને તપાસ કરવામાં આવે. 


વજુખાનાની સફાઈનો આદેશ આપ્યો હતો 


આ પહેલા જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી હતી. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની અંદરના વજુખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સફાઈ વારાણસીના જિલ્લા પ્રશાસનની દેખરેખમાં થવી જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને પણ સફાઈ દરમિયાન કોર્ટના જૂના આદેશનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.