મોંઘવારી પર વાર! કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-08-27 18:34:37

ચોખાના છૂટક ભાવને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા માટે વાણિજ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટ્રેડ પ્રમોશન બોડી એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(APIEDA)ને ટન દીઠ 1,200 ડોલરથી નીચેના કોન્ટ્રાક્ટ રજીસ્ટર ન કરવા નિર્દેશ આપ્યો છે. વર્તમાન 1,200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રાક્ટને સ્થગિત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિશ્વમાં ચોખાની નિકાસ પર 40 ટકા અંકુશ ધરાવતા ભારતનો નિર્ણય અમેરિકાથી લઈને આરબ દેશોમાં હાહાકાર મચવાની આશંકા છે. ભારતે અગાઉ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે બાસમતી ચોખાની નિકાસને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 


આ કારણે નિર્ણય લીધો


આ વર્ષે દેશમાં કમોસમી વરસાદ, પૂર અને અલ-નીનોના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. એટલા માટે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે પસંદગીના બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.


દુનિયાભરમાં મોંઘવારી વધશે


કેન્દ્ર સરકારે ગયા મહિને જ્યારે ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ચોખાના બ્લેક માર્કેટિંગના વીડિયો સામે આવ્યા હતા. રિટેલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. એક પરિવારને 9 કિલો ચોખાના મર્યાદિત સપ્લાયનો નિયમ પણ ઘણા સ્ટોર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુબઈ અને ખાડી દેશોમાં ચોખાની નિકાસ અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ હોવાના રિપોર્ટ છે. બજારમાં બાસમતી ચોખાની નિકાસ પર આવા પ્રતિબંધની ભયાનક અસર થવાની આશંકા છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .