મોંઘવારી પર વાર! કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-08-27 18:34:37

ચોખાના છૂટક ભાવને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સ્થાનિક પુરવઠાને વધારવા માટે વાણિજ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ટ્રેડ પ્રમોશન બોડી એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી(APIEDA)ને ટન દીઠ 1,200 ડોલરથી નીચેના કોન્ટ્રાક્ટ રજીસ્ટર ન કરવા નિર્દેશ આપ્યો છે. વર્તમાન 1,200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રાક્ટને સ્થગિત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વિશ્વમાં ચોખાની નિકાસ પર 40 ટકા અંકુશ ધરાવતા ભારતનો નિર્ણય અમેરિકાથી લઈને આરબ દેશોમાં હાહાકાર મચવાની આશંકા છે. ભારતે અગાઉ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે બાસમતી ચોખાની નિકાસને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 


આ કારણે નિર્ણય લીધો


આ વર્ષે દેશમાં કમોસમી વરસાદ, પૂર અને અલ-નીનોના કારણે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. એટલા માટે સ્થાનિક બજારમાં ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકારે હવે પસંદગીના બાસમતી ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની સંભવિત નિકાસને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને વિગતવાર માહિતી આપી હતી.


દુનિયાભરમાં મોંઘવારી વધશે


કેન્દ્ર સરકારે ગયા મહિને જ્યારે ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ચોખાના બ્લેક માર્કેટિંગના વીડિયો સામે આવ્યા હતા. રિટેલ સ્ટોર્સની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. એક પરિવારને 9 કિલો ચોખાના મર્યાદિત સપ્લાયનો નિયમ પણ ઘણા સ્ટોર્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. દુબઈ અને ખાડી દેશોમાં ચોખાની નિકાસ અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ હોવાના રિપોર્ટ છે. બજારમાં બાસમતી ચોખાની નિકાસ પર આવા પ્રતિબંધની ભયાનક અસર થવાની આશંકા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.