મહેસાણાના રાજપુર ગામના આ દાદીના ઘરમાં આખા ગામના ચામાચીડિયા રહે છે.


  • Published By :
  • Published Date : 2023-10-15 13:27:30

તમે સ્પાઇડર મેન, સુપર મેન, બેટ મેન આવા નામો સાંભળ્યા હશે પણ તમે ક્યારેય 'બેટ વુમન' નામ સાંભળ્યું છે? જી હા, આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં  80 વર્ષના શાંતા બેન રહે છે જેમને આખું ગામ  “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…

નંદાસણની બાજુમાં આવેલા રાજપુર ગામમાં રહેતા શાંતાબેન પ્રજાપતિનાં ઘરમાં એક નહીં, બે નહીં, પરંતુ એક હજારથી વધુ ચામાચીડિયા રહે છે. છે ને નવાઈની વાત..!! મોટાભાગે મહિલાઓ ચામાચીડિયા, ઉંદર અને ગરોળી વગેરેથી ડરતી હોય છે. પરંતુ શાંતાબેનના ઘરમાં આજે વર્ષોથી ચામાચીડિયા વસવાટ કરે છે. અને શાંતા બેન તેમને પરિવારના સભ્યો ગણે છે

શાંતા બેનનું માનવું છે કે, પ્રભુની ઈચ્છાથી જ આ બધા ચામાચીડિયા તેમના ઘરે આવ્યા છે. તેમને ઉડાડી ને તેઓ પાપના ભાગીદાર બનવા નથી માંગતા. આ ચામાચીડિયા હવે તેમને પરિવારના સભ્યો જેવા લાગે છે. તેમનાથી શાંતાબેનને જરા પણ ડર લાગતો નથી. સાથે તેમણે જણાવ્યું કે આ ચામાચીડિયા ખૂબ જ ગંદકી ફેલાવે છે અને તેના કારણે ખૂબ દુર્ગંધ આવે છે. પરંતુ શાંતાબેન નિયમિત પણે સાફ સફાઈ પણ કરે છે.


આ બા ઘરમાં એકલા જ રહે છે

ચામાચીડિયાની સાથે રહેવાને કારણે જ લોકો શાંતા બેનને ચામાચીડિયાવાળા કહેવા માંડ્યા છે. જણાવી દઈએ કે, શાંતાબેનના પતિનું મોત થઈ ચુક્યુ છે. તેમની દીકરીઓના લગ્ન થઈ ચુક્યા છે અને હવે તે પોતાના સાસરિયામાં રહે છે. આથી, તેમની સાથે રહેનારુ કોઈ નથી અને હવે તેમણે આ ચામાચીડિયાઓને જ પોતાના પરિવારો હિસ્સો માની લીધા છે. 

શાંતા બેનના ઘરમાં ઘુસતા જ કોઈ સામાન્ય માણસને ડર લાગે તેવો માહોલ હોય છે કારણ કે ઘરની દરેક દીવાલ અને ભોંયતળિયે ઢગલો ચામાચીડિયાં જોવા મળે છે. ગામના લોકો ઘણીવાર શાંતાબેન ને ચામાચીડીયાને ઉડાડી મૂકવાની સલાહ આપે છે. પરંતુ શાંતાબેનને ચામાચીડિયાથી જરાય તકલીફ નથી. તાજેતરમાં જ નીપા વાઇરસ ફેલાઈ રહ્યો હતો, છતાં શાંતાબેને ચામાચીડીયાને ઉડાડવાનું યોગ્ય માન્યું નહોતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.