બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આપશે રાજીનામું, કેસરિયો ખેસ ધારણ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-17 22:18:25

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, રાજ્યમાં એક પછી એક વિપક્ષમા ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. આજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.


કાર્યકરો સાથે ચર્ચા બાદ કરશે નિર્ણય 


મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર  ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.  


આ સીટો પર પેટા ચૂંટણી


રાજ્યમાં તે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 4 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે.  ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી  યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .