બહારનું ખાતા પહેલા ચેતી જજો.. સૂપમાંથી નીકળી મરેલી ગરોળી તો મહારાષ્ટ્રથી સામે આવી આ ઘટના... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-13 12:53:15

બહારનું ખાવાનું ખાવાનો શોખ અનેક લોકોને હોય છે.. ઘરનું જમવાનું જેટલું નથી ભાવતું તેટલું બહારનું જમવાનું ભાવે છે.. જ્યારે બહારનું આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ઘરના લોકો કહે છે કે બહાર કેવી રીતે જમવાનું બને છે તેની ખબર નથી. તે ખાવું શરીર માટે સારૂં નથી.. તેમ છતાયે આપણે બહારનું ખાઈએ છીએ. પરંતુ અનેક વખત જે કિસ્સાઓ સામે આવે છે તે બાદ બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. ઘણી વખત ઓનલાઈન કરવામાં આવતા ઓર્ડરમાં પણ આવી ઘટનાઓ બને છે. 

સૂપમાંથી નીકળી મરેલી ગરોળી! 

ગઈકાલથી વડોદરાનો એક કિસ્સો ચર્ચામાં છે જ્યાં રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો. સૂપ આવ્યો અડધો પત્યો અને પછી ખબર કે જે સૂપ તે પીતા હતા તેમાં મરેલી ગરોળી હતી.. ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે..  

આઈસ્ક્રીમમાંથી નીકળી માણસની આંગળી!

એક બીજી ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે.. આ ઘટનામાં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો. મળતી માહિતી અનુસાર કોન ખાવા માટે જ્યારે ખોલ્યો ત્યારે તેમાંથી એક માણસની આગંળીનો ટુકડો નીકળ્યો.. આ મામલે પોલીસને જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી અને હવે આ મામલે પોલીસ તપાસ કરશે.. 



આપણને ખબર નથી હોતી કે કેવી રીતે બની રહ્યું છે ભોજન

મહત્વનું છે કે એક સમય હતો જ્યારે કોઈ પ્રસંગ કે કોઈ અવસર હોય તો બહારનું ખાવા જતા હતા. પરંતુ હવે તો થોડા દિવસો વિત્યા નથી અને બહારનું ખાવા આપણે જતા હોઈએ છીએ.. બહારનું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણને નથી ખબર હોતી કે કેવી રીતે ત્યાં જમવાનું બને છે.. રસોડામાં સાફ સફાઈ છે કે નહીં.. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે જમવાની વસ્તુઓ બને છે તે બતાવવામાં આવતું હોય છે. મહત્વનું છે કે રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવતું ભોજન ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખબર નથી હોતી. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.