બહારનું ખાતા પહેલા ચેતી જજો.. સૂપમાંથી નીકળી મરેલી ગરોળી તો મહારાષ્ટ્રથી સામે આવી આ ઘટના... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-13 12:53:15

બહારનું ખાવાનું ખાવાનો શોખ અનેક લોકોને હોય છે.. ઘરનું જમવાનું જેટલું નથી ભાવતું તેટલું બહારનું જમવાનું ભાવે છે.. જ્યારે બહારનું આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ઘરના લોકો કહે છે કે બહાર કેવી રીતે જમવાનું બને છે તેની ખબર નથી. તે ખાવું શરીર માટે સારૂં નથી.. તેમ છતાયે આપણે બહારનું ખાઈએ છીએ. પરંતુ અનેક વખત જે કિસ્સાઓ સામે આવે છે તે બાદ બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. ઘણી વખત ઓનલાઈન કરવામાં આવતા ઓર્ડરમાં પણ આવી ઘટનાઓ બને છે. 

સૂપમાંથી નીકળી મરેલી ગરોળી! 

ગઈકાલથી વડોદરાનો એક કિસ્સો ચર્ચામાં છે જ્યાં રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો. સૂપ આવ્યો અડધો પત્યો અને પછી ખબર કે જે સૂપ તે પીતા હતા તેમાં મરેલી ગરોળી હતી.. ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે..  

આઈસ્ક્રીમમાંથી નીકળી માણસની આંગળી!

એક બીજી ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે.. આ ઘટનામાં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો. મળતી માહિતી અનુસાર કોન ખાવા માટે જ્યારે ખોલ્યો ત્યારે તેમાંથી એક માણસની આગંળીનો ટુકડો નીકળ્યો.. આ મામલે પોલીસને જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી અને હવે આ મામલે પોલીસ તપાસ કરશે.. 



આપણને ખબર નથી હોતી કે કેવી રીતે બની રહ્યું છે ભોજન

મહત્વનું છે કે એક સમય હતો જ્યારે કોઈ પ્રસંગ કે કોઈ અવસર હોય તો બહારનું ખાવા જતા હતા. પરંતુ હવે તો થોડા દિવસો વિત્યા નથી અને બહારનું ખાવા આપણે જતા હોઈએ છીએ.. બહારનું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણને નથી ખબર હોતી કે કેવી રીતે ત્યાં જમવાનું બને છે.. રસોડામાં સાફ સફાઈ છે કે નહીં.. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે જમવાની વસ્તુઓ બને છે તે બતાવવામાં આવતું હોય છે. મહત્વનું છે કે રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવતું ભોજન ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખબર નથી હોતી. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.