બહારનું ખાતા પહેલા ચેતી જજો.. સૂપમાંથી નીકળી મરેલી ગરોળી તો મહારાષ્ટ્રથી સામે આવી આ ઘટના... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-13 12:53:15

બહારનું ખાવાનું ખાવાનો શોખ અનેક લોકોને હોય છે.. ઘરનું જમવાનું જેટલું નથી ભાવતું તેટલું બહારનું જમવાનું ભાવે છે.. જ્યારે બહારનું આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ઘરના લોકો કહે છે કે બહાર કેવી રીતે જમવાનું બને છે તેની ખબર નથી. તે ખાવું શરીર માટે સારૂં નથી.. તેમ છતાયે આપણે બહારનું ખાઈએ છીએ. પરંતુ અનેક વખત જે કિસ્સાઓ સામે આવે છે તે બાદ બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. ઘણી વખત ઓનલાઈન કરવામાં આવતા ઓર્ડરમાં પણ આવી ઘટનાઓ બને છે. 

સૂપમાંથી નીકળી મરેલી ગરોળી! 

ગઈકાલથી વડોદરાનો એક કિસ્સો ચર્ચામાં છે જ્યાં રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો. સૂપ આવ્યો અડધો પત્યો અને પછી ખબર કે જે સૂપ તે પીતા હતા તેમાં મરેલી ગરોળી હતી.. ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે..  

આઈસ્ક્રીમમાંથી નીકળી માણસની આંગળી!

એક બીજી ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે.. આ ઘટનામાં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો. મળતી માહિતી અનુસાર કોન ખાવા માટે જ્યારે ખોલ્યો ત્યારે તેમાંથી એક માણસની આગંળીનો ટુકડો નીકળ્યો.. આ મામલે પોલીસને જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી અને હવે આ મામલે પોલીસ તપાસ કરશે.. 



આપણને ખબર નથી હોતી કે કેવી રીતે બની રહ્યું છે ભોજન

મહત્વનું છે કે એક સમય હતો જ્યારે કોઈ પ્રસંગ કે કોઈ અવસર હોય તો બહારનું ખાવા જતા હતા. પરંતુ હવે તો થોડા દિવસો વિત્યા નથી અને બહારનું ખાવા આપણે જતા હોઈએ છીએ.. બહારનું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણને નથી ખબર હોતી કે કેવી રીતે ત્યાં જમવાનું બને છે.. રસોડામાં સાફ સફાઈ છે કે નહીં.. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે જમવાની વસ્તુઓ બને છે તે બતાવવામાં આવતું હોય છે. મહત્વનું છે કે રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવતું ભોજન ગુણવત્તાવાળું છે કે નહીં તેની ખબર નથી હોતી. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.