વૉટ્સએપ વાપરતા હોય તો સાવધાન થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:02:32

ફરી એકવાર કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (CERT-IN) એ વોટ્સએપને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીને અવગણવાથી યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ શકે છે, ત્યારપછી હેકર્સ મોબાઈલને રિમોટ એક્સેસ પર વાપરીને પોતાના કામમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ હેકિંગ માત્ર વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

એડવાઈઝરી જારી કરતી વખતે CERT-INએ કહ્યું છે કે WhatsAppમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઈ શકે છે. ત્યારપછી રિમોટ એક્સેસ પર વોટ્સએપને લઈને તેની મદદથી બેંકિંગથી લઈને મોટા ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે

 
કયા કારણો થી ખતરનાખ કહ્યું ?

કેન્દ્ર સરકારની  એજન્સી CERT-IN એ કહ્યું છે કે WhatsAppના Android અને iOS v2.22.16.12 વર્ઝન અને WhatsApp Businessના Android અને iOS v2.22.16.12 વર્ઝન, Android v2.22.16.12 અને WhatsApp iOS v2.22.15માં આ ખામી જોવા મળી છે.

 

બચવા શું કરવું ?

જો તમે પણ વોટ્સએપમાં તમારી સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારું એપ સ્ટોર ખોલો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર ખોલે છે, પછી વોટ્સએપ સર્ચ કારો  અને તમારી મોબાઇલ એપ અપડેટ કરી લો . ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.