વૉટ્સએપ વાપરતા હોય તો સાવધાન થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:02:32

ફરી એકવાર કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (CERT-IN) એ વોટ્સએપને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીને અવગણવાથી યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ શકે છે, ત્યારપછી હેકર્સ મોબાઈલને રિમોટ એક્સેસ પર વાપરીને પોતાના કામમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ હેકિંગ માત્ર વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

એડવાઈઝરી જારી કરતી વખતે CERT-INએ કહ્યું છે કે WhatsAppમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઈ શકે છે. ત્યારપછી રિમોટ એક્સેસ પર વોટ્સએપને લઈને તેની મદદથી બેંકિંગથી લઈને મોટા ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે

 
કયા કારણો થી ખતરનાખ કહ્યું ?

કેન્દ્ર સરકારની  એજન્સી CERT-IN એ કહ્યું છે કે WhatsAppના Android અને iOS v2.22.16.12 વર્ઝન અને WhatsApp Businessના Android અને iOS v2.22.16.12 વર્ઝન, Android v2.22.16.12 અને WhatsApp iOS v2.22.15માં આ ખામી જોવા મળી છે.

 

બચવા શું કરવું ?

જો તમે પણ વોટ્સએપમાં તમારી સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારું એપ સ્ટોર ખોલો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર ખોલે છે, પછી વોટ્સએપ સર્ચ કારો  અને તમારી મોબાઇલ એપ અપડેટ કરી લો . ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.