વૉટ્સએપ વાપરતા હોય તો સાવધાન થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:02:32

ફરી એકવાર કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (CERT-IN) એ વોટ્સએપને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીને અવગણવાથી યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ શકે છે, ત્યારપછી હેકર્સ મોબાઈલને રિમોટ એક્સેસ પર વાપરીને પોતાના કામમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ હેકિંગ માત્ર વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

એડવાઈઝરી જારી કરતી વખતે CERT-INએ કહ્યું છે કે WhatsAppમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઈ શકે છે. ત્યારપછી રિમોટ એક્સેસ પર વોટ્સએપને લઈને તેની મદદથી બેંકિંગથી લઈને મોટા ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે

 
કયા કારણો થી ખતરનાખ કહ્યું ?

કેન્દ્ર સરકારની  એજન્સી CERT-IN એ કહ્યું છે કે WhatsAppના Android અને iOS v2.22.16.12 વર્ઝન અને WhatsApp Businessના Android અને iOS v2.22.16.12 વર્ઝન, Android v2.22.16.12 અને WhatsApp iOS v2.22.15માં આ ખામી જોવા મળી છે.

 

બચવા શું કરવું ?

જો તમે પણ વોટ્સએપમાં તમારી સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારું એપ સ્ટોર ખોલો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર ખોલે છે, પછી વોટ્સએપ સર્ચ કારો  અને તમારી મોબાઇલ એપ અપડેટ કરી લો . ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.