વૉટ્સએપ વાપરતા હોય તો સાવધાન થઈ જાવ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 18:02:32

ફરી એકવાર કેન્દ્ર સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (CERT-IN) એ વોટ્સએપને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીને અવગણવાથી યૂઝર્સના એકાઉન્ટ હેક થઈ શકે છે, ત્યારપછી હેકર્સ મોબાઈલને રિમોટ એક્સેસ પર વાપરીને પોતાના કામમાં તેનો ઉપયોગ કરી શકે છે. આ હેકિંગ માત્ર વીડિયો કોલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

એડવાઈઝરી જારી કરતી વખતે CERT-INએ કહ્યું છે કે WhatsAppમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેના કારણે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ હેક થઈ શકે છે. ત્યારપછી રિમોટ એક્સેસ પર વોટ્સએપને લઈને તેની મદદથી બેંકિંગથી લઈને મોટા ગુન્હાકીય પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે

 
કયા કારણો થી ખતરનાખ કહ્યું ?

કેન્દ્ર સરકારની  એજન્સી CERT-IN એ કહ્યું છે કે WhatsAppના Android અને iOS v2.22.16.12 વર્ઝન અને WhatsApp Businessના Android અને iOS v2.22.16.12 વર્ઝન, Android v2.22.16.12 અને WhatsApp iOS v2.22.15માં આ ખામી જોવા મળી છે.

 

બચવા શું કરવું ?

જો તમે પણ વોટ્સએપમાં તમારી સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારું એપ સ્ટોર ખોલો. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર ખોલે છે, પછી વોટ્સએપ સર્ચ કારો  અને તમારી મોબાઇલ એપ અપડેટ કરી લો . ઉપરાંત, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.