ચૂંટણી હોય કે સરકારી કાર્યક્રમ એએમટીએસ બસનો થાય છે ઉપયોગ પરંતુ નથી ચૂકવાતા પૈસા, જાણો પ્રતિદિન એએમટીએસ કેટલું કરે છે દેવું


  • Published By :
  • Published Date : 2023-02-22 09:39:57

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસ ખોટમાં ચાલી રહી છે. દર વર્ષે 300 કરોડ રુપિયાની ખોટ એએમટીએસ કરી રહ્યું છે. ખોટમાં ચાલવાના અનેક કારણો છે જેમાં ખુદ સરકારી તંત્ર અને એએમસી જવાબદાર છે. ચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા એએમટીએસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ પૈસા ચૂકવવામાં આવતા નથી.       


એએમટીએસને નથી ચૂકવાતું ભાડું!

ચૂંટણી હોય કે પછી રાજ્ય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યક્રમ હોય લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસની સુવિધા મૂકવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસનો ઉપયોગ કરે છે. જેના માટે એએમટીએસ બસ દ્વારા નક્કી કરવામાં આવેલું ભાડું લેવામાં આવે છે. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૈસા એએમટીએસને ચૂકવવામાં આવતા નથી. જેને કારણે દેવું વધતું જાય છે.


ભીડ ભેગી કરવા થાય છે એએમટીએસ બસનો ઉપયોગ

ઉપરાંત માર્ચ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં 316 બસોને મૂકવામાં આવી હતી. જેનું બિલ 23.85 લાખ જેટલું થાય છે. આ બિલની ચૂકવણી હજી સુધી કરવામાં નથી આવી. વર્ષ 2022માં ખેલમહાકુંભ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 183 જેટલી બસો મંગાવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલી બસોનું ભાડું 14.73 લાખ થયું હતું પરંતુ હજી સુધી આ બિલનું પેમેન્ટ કરવામાં નથી આવ્યું. તે સિવાય કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમમાં કુલ 731 જેટલી બસો મુકવામાં આવી હતી જેનું બિલ 52.84 લાખ જેટલું થતું હતું જેમાંથી માત્ર 12.42 લાખ રુપિયા જમા થઈ ગયા છે પરંતુ બાકી રેહલા 40.42 લાખની ચૂકવણી કરવામાં આવી નથી.     


ચૂંટણી દરમિયાન પણ બસ સેવાનો લેવાય છે લાભ 

તે ઉપરાંત જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે અધિકારીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે વોર્ડની પેટાચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા એએમટીએસ બસ મૂકવામાં આવી હતી. એએમટીએસ દ્વારા કલેક્ટર કચેરીમાં કુલ 15.89 લાખ રુપિયાનું બીલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 1.15 લાખની જ ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ 14.73 લાખ રુપિયા ચૂકવવામાં આવ્યા નથી. 72.10 લાખ રુપિયા હજી સુધી આપવામાં આવ્યા નથી.     


દરરોજ એએમટીએસ કરે છે 82 લાખની ખોટ!

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે એએમટીએસ પર 3861 કરોડનું દેવું છે. પ્રતિદિન 82 લાખની ખોટ એએમટીએસ કરી રહી છે. કોર્પોરેશનને બસોના બિલ મોકલી આપવામાં આવ્યા છે પરંતુ આજ સુધી આ બિલની ચૂકવણી કરવામાં આવી નથી. ભાજપના સત્તાધીશો ભીડ ભેગી કરવા લોકોને લાવવા લઈ જવા ભાડે કરેલી બસોને પૈસા જ ચૂકવાયા નથી.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.