ચૂંટણી હોય કે સરકારી કાર્યક્રમ એએમટીએસ બસનો થાય છે ઉપયોગ પરંતુ નથી ચૂકવાતા પૈસા, જાણો પ્રતિદિન એએમટીએસ કેટલું કરે છે દેવું


  • Published By :
  • Published Date : 2023-02-22 09:39:57

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસ ખોટમાં ચાલી રહી છે. દર વર્ષે 300 કરોડ રુપિયાની ખોટ એએમટીએસ કરી રહ્યું છે. ખોટમાં ચાલવાના અનેક કારણો છે જેમાં ખુદ સરકારી તંત્ર અને એએમસી જવાબદાર છે. ચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા એએમટીએસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ પૈસા ચૂકવવામાં આવતા નથી.       


એએમટીએસને નથી ચૂકવાતું ભાડું!

ચૂંટણી હોય કે પછી રાજ્ય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યક્રમ હોય લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસની સુવિધા મૂકવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસ બસનો ઉપયોગ કરે છે. જેના માટે એએમટીએસ બસ દ્વારા નક્કી કરવામાં આવેલું ભાડું લેવામાં આવે છે. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પૈસા એએમટીએસને ચૂકવવામાં આવતા નથી. જેને કારણે દેવું વધતું જાય છે.


ભીડ ભેગી કરવા થાય છે એએમટીએસ બસનો ઉપયોગ

ઉપરાંત માર્ચ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં 316 બસોને મૂકવામાં આવી હતી. જેનું બિલ 23.85 લાખ જેટલું થાય છે. આ બિલની ચૂકવણી હજી સુધી કરવામાં નથી આવી. વર્ષ 2022માં ખેલમહાકુંભ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 183 જેટલી બસો મંગાવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલી બસોનું ભાડું 14.73 લાખ થયું હતું પરંતુ હજી સુધી આ બિલનું પેમેન્ટ કરવામાં નથી આવ્યું. તે સિવાય કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમમાં કુલ 731 જેટલી બસો મુકવામાં આવી હતી જેનું બિલ 52.84 લાખ જેટલું થતું હતું જેમાંથી માત્ર 12.42 લાખ રુપિયા જમા થઈ ગયા છે પરંતુ બાકી રેહલા 40.42 લાખની ચૂકવણી કરવામાં આવી નથી.     


ચૂંટણી દરમિયાન પણ બસ સેવાનો લેવાય છે લાભ 

તે ઉપરાંત જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે અધિકારીઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે વોર્ડની પેટાચૂંટણી દરમિયાન લોકોને લાવવા લઈ જવા એએમટીએસ બસ મૂકવામાં આવી હતી. એએમટીએસ દ્વારા કલેક્ટર કચેરીમાં કુલ 15.89 લાખ રુપિયાનું બીલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 1.15 લાખની જ ચૂકવણી કરવામાં આવી છે. પરંતુ 14.73 લાખ રુપિયા ચૂકવવામાં આવ્યા નથી. 72.10 લાખ રુપિયા હજી સુધી આપવામાં આવ્યા નથી.     


દરરોજ એએમટીએસ કરે છે 82 લાખની ખોટ!

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે એએમટીએસ પર 3861 કરોડનું દેવું છે. પ્રતિદિન 82 લાખની ખોટ એએમટીએસ કરી રહી છે. કોર્પોરેશનને બસોના બિલ મોકલી આપવામાં આવ્યા છે પરંતુ આજ સુધી આ બિલની ચૂકવણી કરવામાં આવી નથી. ભાજપના સત્તાધીશો ભીડ ભેગી કરવા લોકોને લાવવા લઈ જવા ભાડે કરેલી બસોને પૈસા જ ચૂકવાયા નથી.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.