વરસાદ હોય કે ઉનાળો Gujaratના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-20 12:21:31

ગુજરાતને વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે. વિકાસની વાતો કરવામાં આવતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ અનેક ગામોની પરિસ્થિતિ એવી હોય છે જેને જોઈને દયા આવી જતી હોય છે. આપણા મનમાં વિચાર આવે કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહેતા હશે. સામાન્ય દિવસોમાં તો તકલીફનો સામનો તેમને કરવો પડતો હોય છે પરંતુ પરિસ્થિતિ ત્યારે વિકટ બને જ્યારે ચોમાસાની સિઝન આવે. વરસાદી પાણી જ્યારે ગામડાઓમાં ભરાય ત્યારે આવન જાવન માટે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.   

કોજ-વે પર વરસાદી પાણી ભરાતા લોકોને પડી મુશ્કેલી 

વરસાદની તબાહી પછી અનેક ગામડાઑમાંથી એવી તસવીરો સામે આવી જે દયનીય હતી. પણ આવી સ્થિતિ ગમે તે સિઝન કેમ ના હોય ત્યાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. થોડા દિવસોથી આખા ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે મોડાસામાં કંઈક એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોડાસાના માથાસૂલીયા અને અંણદાપૂર વચ્ચેના કોજ વે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર કમરસમાં પાણી વહેતા હતા જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામમાં ઈમરજન્સી સેવા પણ ખોરવાઈ છે. 


108 સુધી દર્દીને પહોંચાડવા માટે ગ્રામજનોને કરવી પડે છે મહેનત

એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં બીમાર વૃદ્ધને ખાટલામાં સુવડાવી 108 સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. પણ આ કોઈ પહેલી વાર બનેલી સ્થિતિ નથી. ગામડાઓમાં જરાક અમથો વરસાદ પડે છે અને આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિકોની વેદના જ્યારે સાંભળી ત્યારે એમ થયું કે શું આ વિસ્તારો ગુજરાતમાં નથી આવતા? વિકાસની પરિભાષામાં, વિકાસના દાવા જ્યારે કરવામાં આવે છે ત્યારે આવા ગામના દ્રશ્યોને જોવા જોઈએ.  


વરસાદ નથી હોતો ત્યારે પણ પરિસ્થિતિ સરખી હોય છે!

હવે આમાં તો તંત્ર એવું કહશે કે વરસાદના કારણે આ હાલત થઈ છે. પણ જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પણ ક્યાં સ્થિતિ સારી હોય છે.  એવા અનેક દ્રશ્યો છે જે અવાર નવાર સામે આવતા હોય છે.થોડા સમય પહેલા જ અમુક વિડીયો સામે આવ્યા હતા જેમાં પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડી પડી હતી. 


અનેક વખત સ્થાનિક લોકોએ કરી છે રજૂઆત પરંતુ મુશ્કેલી ઠેરની ઠેર!

ગુજરાતના શહેરોની પરિસ્થિતિ ભલે સારી હોય પરંતુ અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ એકદમ અલગ છે. વિકાસ માટે આજે પણ એ ગામો ઝંખે છે. અનેક એવા ગામડાઓ છે જ્યાં, એવા વિસ્તરાઓ છે જ્યાં પાકા રસ્તા જ નથી. સરકાર સુધી લોકો અવાજ પહોંચે, સ્થાનિકોને પડતી મુશ્કેલી સરકારને દેખાય, સ્થાનિકોના હિતમાં પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અંતે તો પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે. રજૂઆતો બાદ પણ તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોનો અવાજ નથી પહોંચતા તે દુખની વાત છે. સ્થાનિકોનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા...  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.