વરસાદ હોય કે ઉનાળો Gujaratના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-20 12:21:31

ગુજરાતને વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે. વિકાસની વાતો કરવામાં આવતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ અનેક ગામોની પરિસ્થિતિ એવી હોય છે જેને જોઈને દયા આવી જતી હોય છે. આપણા મનમાં વિચાર આવે કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહેતા હશે. સામાન્ય દિવસોમાં તો તકલીફનો સામનો તેમને કરવો પડતો હોય છે પરંતુ પરિસ્થિતિ ત્યારે વિકટ બને જ્યારે ચોમાસાની સિઝન આવે. વરસાદી પાણી જ્યારે ગામડાઓમાં ભરાય ત્યારે આવન જાવન માટે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.   

કોજ-વે પર વરસાદી પાણી ભરાતા લોકોને પડી મુશ્કેલી 

વરસાદની તબાહી પછી અનેક ગામડાઑમાંથી એવી તસવીરો સામે આવી જે દયનીય હતી. પણ આવી સ્થિતિ ગમે તે સિઝન કેમ ના હોય ત્યાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. થોડા દિવસોથી આખા ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે મોડાસામાં કંઈક એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોડાસાના માથાસૂલીયા અને અંણદાપૂર વચ્ચેના કોજ વે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર કમરસમાં પાણી વહેતા હતા જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામમાં ઈમરજન્સી સેવા પણ ખોરવાઈ છે. 


108 સુધી દર્દીને પહોંચાડવા માટે ગ્રામજનોને કરવી પડે છે મહેનત

એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં બીમાર વૃદ્ધને ખાટલામાં સુવડાવી 108 સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. પણ આ કોઈ પહેલી વાર બનેલી સ્થિતિ નથી. ગામડાઓમાં જરાક અમથો વરસાદ પડે છે અને આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિકોની વેદના જ્યારે સાંભળી ત્યારે એમ થયું કે શું આ વિસ્તારો ગુજરાતમાં નથી આવતા? વિકાસની પરિભાષામાં, વિકાસના દાવા જ્યારે કરવામાં આવે છે ત્યારે આવા ગામના દ્રશ્યોને જોવા જોઈએ.  


વરસાદ નથી હોતો ત્યારે પણ પરિસ્થિતિ સરખી હોય છે!

હવે આમાં તો તંત્ર એવું કહશે કે વરસાદના કારણે આ હાલત થઈ છે. પણ જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પણ ક્યાં સ્થિતિ સારી હોય છે.  એવા અનેક દ્રશ્યો છે જે અવાર નવાર સામે આવતા હોય છે.થોડા સમય પહેલા જ અમુક વિડીયો સામે આવ્યા હતા જેમાં પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડી પડી હતી. 


અનેક વખત સ્થાનિક લોકોએ કરી છે રજૂઆત પરંતુ મુશ્કેલી ઠેરની ઠેર!

ગુજરાતના શહેરોની પરિસ્થિતિ ભલે સારી હોય પરંતુ અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ એકદમ અલગ છે. વિકાસ માટે આજે પણ એ ગામો ઝંખે છે. અનેક એવા ગામડાઓ છે જ્યાં, એવા વિસ્તરાઓ છે જ્યાં પાકા રસ્તા જ નથી. સરકાર સુધી લોકો અવાજ પહોંચે, સ્થાનિકોને પડતી મુશ્કેલી સરકારને દેખાય, સ્થાનિકોના હિતમાં પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અંતે તો પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે. રજૂઆતો બાદ પણ તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોનો અવાજ નથી પહોંચતા તે દુખની વાત છે. સ્થાનિકોનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા...  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.