વરસાદ હોય કે ઉનાળો Gujaratના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-20 12:21:31

ગુજરાતને વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે. વિકાસની વાતો કરવામાં આવતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ અનેક ગામોની પરિસ્થિતિ એવી હોય છે જેને જોઈને દયા આવી જતી હોય છે. આપણા મનમાં વિચાર આવે કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહેતા હશે. સામાન્ય દિવસોમાં તો તકલીફનો સામનો તેમને કરવો પડતો હોય છે પરંતુ પરિસ્થિતિ ત્યારે વિકટ બને જ્યારે ચોમાસાની સિઝન આવે. વરસાદી પાણી જ્યારે ગામડાઓમાં ભરાય ત્યારે આવન જાવન માટે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.   

કોજ-વે પર વરસાદી પાણી ભરાતા લોકોને પડી મુશ્કેલી 

વરસાદની તબાહી પછી અનેક ગામડાઑમાંથી એવી તસવીરો સામે આવી જે દયનીય હતી. પણ આવી સ્થિતિ ગમે તે સિઝન કેમ ના હોય ત્યાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. થોડા દિવસોથી આખા ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે મોડાસામાં કંઈક એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોડાસાના માથાસૂલીયા અને અંણદાપૂર વચ્ચેના કોજ વે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર કમરસમાં પાણી વહેતા હતા જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામમાં ઈમરજન્સી સેવા પણ ખોરવાઈ છે. 


108 સુધી દર્દીને પહોંચાડવા માટે ગ્રામજનોને કરવી પડે છે મહેનત

એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં બીમાર વૃદ્ધને ખાટલામાં સુવડાવી 108 સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. પણ આ કોઈ પહેલી વાર બનેલી સ્થિતિ નથી. ગામડાઓમાં જરાક અમથો વરસાદ પડે છે અને આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિકોની વેદના જ્યારે સાંભળી ત્યારે એમ થયું કે શું આ વિસ્તારો ગુજરાતમાં નથી આવતા? વિકાસની પરિભાષામાં, વિકાસના દાવા જ્યારે કરવામાં આવે છે ત્યારે આવા ગામના દ્રશ્યોને જોવા જોઈએ.  


વરસાદ નથી હોતો ત્યારે પણ પરિસ્થિતિ સરખી હોય છે!

હવે આમાં તો તંત્ર એવું કહશે કે વરસાદના કારણે આ હાલત થઈ છે. પણ જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પણ ક્યાં સ્થિતિ સારી હોય છે.  એવા અનેક દ્રશ્યો છે જે અવાર નવાર સામે આવતા હોય છે.થોડા સમય પહેલા જ અમુક વિડીયો સામે આવ્યા હતા જેમાં પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડી પડી હતી. 


અનેક વખત સ્થાનિક લોકોએ કરી છે રજૂઆત પરંતુ મુશ્કેલી ઠેરની ઠેર!

ગુજરાતના શહેરોની પરિસ્થિતિ ભલે સારી હોય પરંતુ અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ એકદમ અલગ છે. વિકાસ માટે આજે પણ એ ગામો ઝંખે છે. અનેક એવા ગામડાઓ છે જ્યાં, એવા વિસ્તરાઓ છે જ્યાં પાકા રસ્તા જ નથી. સરકાર સુધી લોકો અવાજ પહોંચે, સ્થાનિકોને પડતી મુશ્કેલી સરકારને દેખાય, સ્થાનિકોના હિતમાં પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અંતે તો પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે. રજૂઆતો બાદ પણ તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોનો અવાજ નથી પહોંચતા તે દુખની વાત છે. સ્થાનિકોનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા...  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.