ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર! Gujaratમાં વરસાદ નહિ પણ ગરમી હેરાન કરશે? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-10-02 12:50:03

જ્યારે હવામાનની વાત કરીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે કે આ આગાહી વરસાદને લઈ કરવામાં આવી છે. વરસાદ આવવાનો હોય ત્યારે હવામાન વિભાગ આગાહી કરે છે. પરંતુ આ સમાચાર વરસાદ નહીં પરંતુ ગરમીને લગતા છે. જી હા, અનેક શહેર એવા છે જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. 3થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે અમદાવાદનું. ઓક્ટોબર મહિનામાં ગરમીનો પારો અમદાવાદમાં 37 ડિગ્રીને પહોંચ્યો છે. પાટણ જિલ્લાનું તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. વરસાદ વિદાય લે તે પહેલા વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. 

ઓક્ટોબરની શરૂઆતમાં વધ્યું ગરમીનું તાપમાન 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ગુજરાતમાં સારી, ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુજરાતમાં 100 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ગુજરાતમાં આ વખતે 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદ નથી વરસવાનો. વરસાદની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ હશે પરંતુ અનેક શહેરોમાં તાપમાનનો પારો વધી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. 

આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન 

રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રભુત્વ વધતું જઈ  રહ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે. ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. જો પહેલી ઓક્ટોબર તાપમાનની વાત કરીએ તો પાટણમાં 38.1 ડિગી, ડીસામાં 37.7 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધારે નોંધાયું છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.