ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર! Gujaratમાં વરસાદ નહિ પણ ગરમી હેરાન કરશે? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-10-02 12:50:03

જ્યારે હવામાનની વાત કરીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે કે આ આગાહી વરસાદને લઈ કરવામાં આવી છે. વરસાદ આવવાનો હોય ત્યારે હવામાન વિભાગ આગાહી કરે છે. પરંતુ આ સમાચાર વરસાદ નહીં પરંતુ ગરમીને લગતા છે. જી હા, અનેક શહેર એવા છે જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. 3થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે અમદાવાદનું. ઓક્ટોબર મહિનામાં ગરમીનો પારો અમદાવાદમાં 37 ડિગ્રીને પહોંચ્યો છે. પાટણ જિલ્લાનું તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. વરસાદ વિદાય લે તે પહેલા વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. 

ઓક્ટોબરની શરૂઆતમાં વધ્યું ગરમીનું તાપમાન 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ગુજરાતમાં સારી, ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુજરાતમાં 100 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ગુજરાતમાં આ વખતે 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદ નથી વરસવાનો. વરસાદની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ હશે પરંતુ અનેક શહેરોમાં તાપમાનનો પારો વધી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. 

આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન 

રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રભુત્વ વધતું જઈ  રહ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે. ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. જો પહેલી ઓક્ટોબર તાપમાનની વાત કરીએ તો પાટણમાં 38.1 ડિગી, ડીસામાં 37.7 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધારે નોંધાયું છે.    




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.