ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર! Gujaratમાં વરસાદ નહિ પણ ગરમી હેરાન કરશે? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-10-02 12:50:03

જ્યારે હવામાનની વાત કરીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે કે આ આગાહી વરસાદને લઈ કરવામાં આવી છે. વરસાદ આવવાનો હોય ત્યારે હવામાન વિભાગ આગાહી કરે છે. પરંતુ આ સમાચાર વરસાદ નહીં પરંતુ ગરમીને લગતા છે. જી હા, અનેક શહેર એવા છે જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. 3થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે અમદાવાદનું. ઓક્ટોબર મહિનામાં ગરમીનો પારો અમદાવાદમાં 37 ડિગ્રીને પહોંચ્યો છે. પાટણ જિલ્લાનું તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. વરસાદ વિદાય લે તે પહેલા વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. 

ઓક્ટોબરની શરૂઆતમાં વધ્યું ગરમીનું તાપમાન 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ગુજરાતમાં સારી, ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુજરાતમાં 100 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ગુજરાતમાં આ વખતે 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદ નથી વરસવાનો. વરસાદની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ હશે પરંતુ અનેક શહેરોમાં તાપમાનનો પારો વધી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. 

આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન 

રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રભુત્વ વધતું જઈ  રહ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે. ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. જો પહેલી ઓક્ટોબર તાપમાનની વાત કરીએ તો પાટણમાં 38.1 ડિગી, ડીસામાં 37.7 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધારે નોંધાયું છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.