Loksabha Election માટે BJP ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા Gautam Gambhirએ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત!, આપ્યું આ કારણ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:22:21

છેલ્લા અનેક દિવસો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતાઓ રહેલી છે. ભાજપ ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરે પોસ્ટ શેર કરી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. રાજનીતિની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને કરી છે. 

આ રાજ્યો માટે ભાજપ ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત !

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અનેક સાંસદોના પત્તા કાપી શકે છે. અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે. ગૌતમ ગંભીરની ટિકીટ કપાય તે પહેલા જ ગૌતમ ગંભીરે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે રાજનીતિમાંથી. તે દિલ્હીથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે તે પહેલા ગૌતમ ગંભીરે રાજનીતિથી સંન્યાસ લીધો છે. ભાજપની જે પ્રથમ યાદી આવવાની છે તેમાં ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ ચૂંટણી માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં કારણ કે નામ જાહેર કરવામાં ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે. 




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .