Loksabha Election માટે BJP ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા Gautam Gambhirએ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત!, આપ્યું આ કારણ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:22:21

છેલ્લા અનેક દિવસો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતાઓ રહેલી છે. ભાજપ ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરે પોસ્ટ શેર કરી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. રાજનીતિની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને કરી છે. 

આ રાજ્યો માટે ભાજપ ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત !

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અનેક સાંસદોના પત્તા કાપી શકે છે. અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે. ગૌતમ ગંભીરની ટિકીટ કપાય તે પહેલા જ ગૌતમ ગંભીરે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે રાજનીતિમાંથી. તે દિલ્હીથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે તે પહેલા ગૌતમ ગંભીરે રાજનીતિથી સંન્યાસ લીધો છે. ભાજપની જે પ્રથમ યાદી આવવાની છે તેમાં ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ ચૂંટણી માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં કારણ કે નામ જાહેર કરવામાં ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.