ભાદરવી પૂનમ પહેલા બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ અંબાજીના મેળા માટે અને ભક્તો માટે સરકાર પાસેથી શું માગ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-16 16:44:16

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ સામેલ થતા હોય છે.. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પગપાળા જતા હોય છે.. ભાદરવી પૂનમે દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.. પ્રશાસન દ્વારા પણ આ મેળાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે.. માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ. તેમણે પોતાના નિવેદન દરમિયાન પરિક્રમાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

બસના ભાડામાં કરવામાં આવ્યો હતો તોતિંગ વધારો 

મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે મીડિચાને સંબોધતા એ વાત કહી જ્યારે બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.. 9 રૂપિયાની ટિકીટના સીધા 20 રૂપિયા કરી દીધા હતા.. રજૂઆત બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ 9 નહીં પરંતુ 15 રૂપિયાની ટિકીટના ભાવ કરવામાં આવ્યા. સવાલ થાય કે જ્યારે એક સાથે આટલા રૂપિયાનો વધારો કરવામાં આવતો હોય છે ત્યારે સામાન્ય માણસને ઘણું વેઠવાનો વારો આવે છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા આ નિર્ણયને લઈ વિચારવામાં આવ્યું અને ભાવ ઘટાડો કરવામાં આવ્યો.. 



બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ઉલ્લેખનિય છે કે જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે, સાંસદ બન્યા છે ત્યારથી તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેમના દ્વારા આપવામાં આવતા નિવદેનની ચર્ચાઓ થતી હોય છે.. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોક્યો છે. 26માંથઈ 25 બેઠક ભાજપને ગઈ જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ અને તે બેઠક છે બનાસકાંઠા બેઠક..  ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને.. ગેનીબેન ઠાકોરની જીત થઈ અને તે સાંસદ બની ગયા. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર અનેક વખત ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે..



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.