ભાદરવી પૂનમ પહેલા બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ અંબાજીના મેળા માટે અને ભક્તો માટે સરકાર પાસેથી શું માગ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-16 16:44:16

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ સામેલ થતા હોય છે.. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પગપાળા જતા હોય છે.. ભાદરવી પૂનમે દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.. પ્રશાસન દ્વારા પણ આ મેળાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે.. માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ. તેમણે પોતાના નિવેદન દરમિયાન પરિક્રમાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

બસના ભાડામાં કરવામાં આવ્યો હતો તોતિંગ વધારો 

મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે મીડિચાને સંબોધતા એ વાત કહી જ્યારે બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.. 9 રૂપિયાની ટિકીટના સીધા 20 રૂપિયા કરી દીધા હતા.. રજૂઆત બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ 9 નહીં પરંતુ 15 રૂપિયાની ટિકીટના ભાવ કરવામાં આવ્યા. સવાલ થાય કે જ્યારે એક સાથે આટલા રૂપિયાનો વધારો કરવામાં આવતો હોય છે ત્યારે સામાન્ય માણસને ઘણું વેઠવાનો વારો આવે છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા આ નિર્ણયને લઈ વિચારવામાં આવ્યું અને ભાવ ઘટાડો કરવામાં આવ્યો.. 



બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ઉલ્લેખનિય છે કે જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે, સાંસદ બન્યા છે ત્યારથી તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેમના દ્વારા આપવામાં આવતા નિવદેનની ચર્ચાઓ થતી હોય છે.. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોક્યો છે. 26માંથઈ 25 બેઠક ભાજપને ગઈ જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ અને તે બેઠક છે બનાસકાંઠા બેઠક..  ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને.. ગેનીબેન ઠાકોરની જીત થઈ અને તે સાંસદ બની ગયા. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર અનેક વખત ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે..



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .