ભાદરવી પૂનમ પહેલા બનાસકાંઠાના સાંસદ Geniben Thakorએ અંબાજીના મેળા માટે અને ભક્તો માટે સરકાર પાસેથી શું માગ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-16 16:44:16

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ સામેલ થતા હોય છે.. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પગપાળા જતા હોય છે.. ભાદરવી પૂનમે દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.. પ્રશાસન દ્વારા પણ આ મેળાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે.. માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ. તેમણે પોતાના નિવેદન દરમિયાન પરિક્રમાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

બસના ભાડામાં કરવામાં આવ્યો હતો તોતિંગ વધારો 

મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરે મીડિચાને સંબોધતા એ વાત કહી જ્યારે બસના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.. 9 રૂપિયાની ટિકીટના સીધા 20 રૂપિયા કરી દીધા હતા.. રજૂઆત બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ 9 નહીં પરંતુ 15 રૂપિયાની ટિકીટના ભાવ કરવામાં આવ્યા. સવાલ થાય કે જ્યારે એક સાથે આટલા રૂપિયાનો વધારો કરવામાં આવતો હોય છે ત્યારે સામાન્ય માણસને ઘણું વેઠવાનો વારો આવે છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા આ નિર્ણયને લઈ વિચારવામાં આવ્યું અને ભાવ ઘટાડો કરવામાં આવ્યો.. 



બનાસકાંઠા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ઉલ્લેખનિય છે કે જ્યારથી ગેનીબેન ઠાકોર જીત્યા છે, સાંસદ બન્યા છે ત્યારથી તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તેમના દ્વારા આપવામાં આવતા નિવદેનની ચર્ચાઓ થતી હોય છે.. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોક્યો છે. 26માંથઈ 25 બેઠક ભાજપને ગઈ જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ અને તે બેઠક છે બનાસકાંઠા બેઠક..  ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને.. ગેનીબેન ઠાકોરની જીત થઈ અને તે સાંસદ બની ગયા. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોર અનેક વખત ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.