Bhavanagar સ્ટેટ જે સંગઠનમાં કેન્દ્ર સ્થાને ત્યાંના યુવરાજ શું કામ સામે?।Jaiveerrajsinh Gohilનો પત્ર


  • Published By :
  • Published Date : 2024-09-19 15:33:30

લોકસભાની ચૂંટણી વખતે સૌથી ચર્ચાયેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજના આંદોલનનો.. ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું, તે આપણે જાણીએ છીએ.. ત્યારે 20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે. 



યુવરાજે શું લખ્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં?

યુવરાજનો એક પત્ર સોશ્યિલ મીડિયા પર ખુબ વાઇરલ રહ્યો છે જેમાં યુવરાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "હું કોઈપણ સમિતિનો ભાગ નથી."અને આ સંદેશ તેમણે પોતાના સમાજને આપ્યો તેમને પોતાના સંદેશમાં લખ્યું છે કે 


હું કોઈ સમિતિ કે સમીતિ નો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્ય માં કે કાર્યક્રમ માં સામેલ નથી . ક્ષત્રિય સમાજ માટે હું હંમેશા વફાદાર રહ્યો છું અને રહીશ. સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું. આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. રાજપૂત સમાજની કોઇપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતા નો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિ થી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ.સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત.સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.... 


અને આ પત્ર વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એજ થાય કે આમાં મુખ્ય એમના કાકા જ છે તો સંઘર્ષ કઈ વાતનો ? અને જે સંગઠનમાં  ભાવનગર સ્ટેટ જ કેન્દ્રમાં હોય ત્યાં યુવરાજ સામે આવે તો આ સંઘ કાશીએ પહોંચશે ખરો ? 


આવતી કાલે અમદાવાદમાં મળવાનું છે ક્ષત્રિય સંમેલન! 

20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે અને આ મહાસંમેલનમાં ક્ષત્રિયો શક્તિ પ્રદર્શન કરશે.  આ સંમેલનમાં "સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ"ની જાહેરાત થશે. જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે એ જાહેરાત થઇ ગઈ છે કાર્યક્રમ માટે બધા આગેવાનોને નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે ગઈ કાલે આ મહાસંમેલન વિષે માહિતી આપતી પ્રેસ કોંફ્રન્સ પણ યોજાઈ હતી. જો આ રીતે એક એક કરીને મોટા આગેવાનો સંમેલનથી દૂર રહેશે તો આમ ને આમ તો એકતા ખાસી દૂર છે તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો...



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .