Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra ભરૂચ પહોંચે તે પહેલા જુઓ ત્યાંનો માહોલ, Chaitar Vasava સાથે ઉમટ્યો જનસેલાબ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-09 15:07:49

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ભરૂચ પહોંચવાની છે. ચૈતર વસાવા આજે આ યાત્રામાં સામેલ થવાના છે. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચમાં પહોંચે તે પહેલા ચૈતર વસાવાના સમર્થકો તેમના સ્વાગતમાં પહોંચી ગયા હતા. 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં આવી હતી અને આજે આ યાત્રાનો ત્રીજો દિવસ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધીની આ યાત્રા ફરી રહી છે. એવા વિસ્તારોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આજે પણ ગામડાઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે  આજે ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે ચૈતર વસાવા હાજર છે. હજારો કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા પહોંચી ગયા છે. રાહુલ ગાંધીના સ્વાગતમાં ચૈતર વસાવાએ જબરદસ્ત ભીડ ભેગી કરી લીધી છે.   

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગતમાં પહોંચ્યા! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી બે બેઠક પર ચૂંટણી લડવાની છે જ્યારે 24 બેઠકો પરથી કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારવાની છે. ભરૂચ અને ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠક માટે ચૈતર વસાવા જ્યારે ભાવનગર માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.