Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra ભરૂચ પહોંચે તે પહેલા જુઓ ત્યાંનો માહોલ, Chaitar Vasava સાથે ઉમટ્યો જનસેલાબ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-09 15:07:49

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ભરૂચ પહોંચવાની છે. ચૈતર વસાવા આજે આ યાત્રામાં સામેલ થવાના છે. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચમાં પહોંચે તે પહેલા ચૈતર વસાવાના સમર્થકો તેમના સ્વાગતમાં પહોંચી ગયા હતા. 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં આવી હતી અને આજે આ યાત્રાનો ત્રીજો દિવસ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધીની આ યાત્રા ફરી રહી છે. એવા વિસ્તારોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આજે પણ ગામડાઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે  આજે ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે ચૈતર વસાવા હાજર છે. હજારો કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા પહોંચી ગયા છે. રાહુલ ગાંધીના સ્વાગતમાં ચૈતર વસાવાએ જબરદસ્ત ભીડ ભેગી કરી લીધી છે.   

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગતમાં પહોંચ્યા! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી બે બેઠક પર ચૂંટણી લડવાની છે જ્યારે 24 બેઠકો પરથી કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારવાની છે. ભરૂચ અને ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠક માટે ચૈતર વસાવા જ્યારે ભાવનગર માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે