Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra ભરૂચ પહોંચે તે પહેલા જુઓ ત્યાંનો માહોલ, Chaitar Vasava સાથે ઉમટ્યો જનસેલાબ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-09 15:07:49

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ભરૂચ પહોંચવાની છે. ચૈતર વસાવા આજે આ યાત્રામાં સામેલ થવાના છે. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચમાં પહોંચે તે પહેલા ચૈતર વસાવાના સમર્થકો તેમના સ્વાગતમાં પહોંચી ગયા હતા. 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં આવી હતી અને આજે આ યાત્રાનો ત્રીજો દિવસ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધીની આ યાત્રા ફરી રહી છે. એવા વિસ્તારોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આજે પણ ગામડાઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે  આજે ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે ચૈતર વસાવા હાજર છે. હજારો કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા પહોંચી ગયા છે. રાહુલ ગાંધીના સ્વાગતમાં ચૈતર વસાવાએ જબરદસ્ત ભીડ ભેગી કરી લીધી છે.   

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગતમાં પહોંચ્યા! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી બે બેઠક પર ચૂંટણી લડવાની છે જ્યારે 24 બેઠકો પરથી કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારવાની છે. ભરૂચ અને ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠક માટે ચૈતર વસાવા જ્યારે ભાવનગર માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.