Ram Mandir Pran Pratistha પહેલા PM Modi વિવિધ મંદિરોમાં કરી રહ્યા છે દર્શન, આજે TamilNaduના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 13:12:56

અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનુષ્ઠાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી આજે તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચ્યા હતા અને ત્યાં આવેલા શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પોતાના હાથે ગજરાજને ગોળ ખવડાવ્યો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદીએ શ્રી રામાયણ પારાયણનો પાઠ પણ સાંભળ્યો.

  

पीएम मोदी ने त्रिची के श्री रंगनाथस्वामी मंदिर में दर्शन पूजन किया. इस दौरान उन्होंने गजराज का आशीर्वाद लिया. (ANI Photo)

પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી અનુષ્ઠાન વિધી 

22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિની સ્થાપના રામ મંદિરમાં થશે. એ ક્ષણની રાહ ઘણા વર્ષો સુધી અનેક ભક્તોએ જોઈ છે. ભગવાન રામ અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભલે 22 જાન્યુઆરીએ થવાનો છે પરંતુ તે પહેલા અનેક અનુષ્ઠાનના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિધી કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હશે.


ગજરાજના લીધા પીએમ મોદીએ આશીર્વાદ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે પીએમ મોદીએ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલા રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા વિધી કરી હતી. તે બાદ ગજરાજના આશીર્વાદ લીધા, ગજરાજને ગોળ ખવડાવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદી રામેશ્વરમ પણ જવાના છે. તે બાદ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે પીએમ મોદી એવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં છે અથવા તો રામ ભગવાન સાથે જોડાયેલા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.