Ram Mandir Pran Pratistha પહેલા PM Modi વિવિધ મંદિરોમાં કરી રહ્યા છે દર્શન, આજે TamilNaduના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 13:12:56

અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનુષ્ઠાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી આજે તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચ્યા હતા અને ત્યાં આવેલા શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પોતાના હાથે ગજરાજને ગોળ ખવડાવ્યો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદીએ શ્રી રામાયણ પારાયણનો પાઠ પણ સાંભળ્યો.

  

पीएम मोदी ने त्रिची के श्री रंगनाथस्वामी मंदिर में दर्शन पूजन किया. इस दौरान उन्होंने गजराज का आशीर्वाद लिया. (ANI Photo)

પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી અનુષ્ઠાન વિધી 

22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિની સ્થાપના રામ મંદિરમાં થશે. એ ક્ષણની રાહ ઘણા વર્ષો સુધી અનેક ભક્તોએ જોઈ છે. ભગવાન રામ અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભલે 22 જાન્યુઆરીએ થવાનો છે પરંતુ તે પહેલા અનેક અનુષ્ઠાનના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિધી કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હશે.


ગજરાજના લીધા પીએમ મોદીએ આશીર્વાદ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે પીએમ મોદીએ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલા રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા વિધી કરી હતી. તે બાદ ગજરાજના આશીર્વાદ લીધા, ગજરાજને ગોળ ખવડાવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદી રામેશ્વરમ પણ જવાના છે. તે બાદ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે પીએમ મોદી એવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં છે અથવા તો રામ ભગવાન સાથે જોડાયેલા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે