Ram Mandir Pran Pratistha પહેલા PM Modi વિવિધ મંદિરોમાં કરી રહ્યા છે દર્શન, આજે TamilNaduના રંગનાથસ્વામી મંદિરમાં પૂજા કરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-20 13:12:56

અયોધ્યામાં ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનુષ્ઠાનનો પ્રારંભ થઈ ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. પીએમ મોદી આજે તમિલનાડુના તિરૂચિરાપલ્લી પહોંચ્યા હતા અને ત્યાં આવેલા શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પોતાના હાથે ગજરાજને ગોળ ખવડાવ્યો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદીએ શ્રી રામાયણ પારાયણનો પાઠ પણ સાંભળ્યો.

  

पीएम मोदी ने त्रिची के श्री रंगनाथस्वामी मंदिर में दर्शन पूजन किया. इस दौरान उन्होंने गजराज का आशीर्वाद लिया. (ANI Photo)

પ્રાણ પ્રતિષ્ઠાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી અનુષ્ઠાન વિધી 

22 જાન્યુઆરીના રોજ ભગવાનની મૂર્તિની સ્થાપના રામ મંદિરમાં થશે. એ ક્ષણની રાહ ઘણા વર્ષો સુધી અનેક ભક્તોએ જોઈ છે. ભગવાન રામ અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક ભક્તોની લાગણી ભગવાન રામ સાથે જોડાયેલી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભલે 22 જાન્યુઆરીએ થવાનો છે પરંતુ તે પહેલા અનેક અનુષ્ઠાનના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ વિધી કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભગૃહમાં પાંચ લોકો હાજર હશે જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત હશે.


ગજરાજના લીધા પીએમ મોદીએ આશીર્વાદ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી અલગ અલગ મંદિરોમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે પીએમ મોદીએ તમિલનાડુના તિરૂચિરાપલ્લીમાં આવેલા રંગનાથસ્વામી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરમાં પૂજા વિધી કરી હતી. તે બાદ ગજરાજના આશીર્વાદ લીધા, ગજરાજને ગોળ ખવડાવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે પીએમ મોદી રામેશ્વરમ પણ જવાના છે. તે બાદ અરૂલમિગુ રામનાથસ્વામી મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. એવી માહિતી પણ સામે આવી છે કે પીએમ મોદી એવા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેનો ઉલ્લેખ રામાયણમાં છે અથવા તો રામ ભગવાન સાથે જોડાયેલા છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.