21મી સદીમાં જીવીએ છીએ એ વાત કહેતા પહેલા આ સમાચાર વાંચજો, Surendranagarમાં અંધશ્રદ્ધાના નામે 10 મહિનાની દીકરીને અપાયો ડામ


  • Published By :
  • Published Date : 2023-08-05 16:45:47

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિજ્ઞાનમાં કરવામાં આવેલી પ્રગતિની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તે કહેવું ખોટું છે. આજે પણ અંધશ્રદ્ધાના નામ પર લોકોને બલી ચઢાવવામાં આવે છે, આજે પણ એવા અનેક ગામો છે જ્યાં બાળક બિમાર હોય તો તેને હોસ્પિટલ નહીં પરંતુ ભૂવાની પાસે લઈ જવામાં આવે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.   


ડામ આપ્યા બાદ પણ તબિયત ન સુધરતા ડોક્ટર પાસે લઈ જવાઈ 

અંધશ્રદ્ધાના નામ પર અનેક લોકોનો ભોગ લેવાયો છે. તે લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક આખો એવો વર્ગ હજી પણ આપણને જોવા મળે છે જે ભૂવાઓ પર વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે. જ્યારે બાળક બિમાર પડે ત્યારે ડોક્ટરની પાસે સારવાર કરાવવા લઈ જવાની બદલીમાં ભૂવાઓ પાસે લઈ જવાય છે જ્યાં બાળક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. વિરમગામથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી બીમાર પડતાં એને સોયના ડામ આપવામાં આવ્યા. જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થઈ. મળતી માહિતી અનુસાર બાળકીની સારવાર માટે માતા પિતા હોસ્પિટલની બદલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે લઈ ગયા. બાળકીનું નામ કોમલ છે, તેના પિતાનું નામ પ્રવીણભાઈ અને માતાનું નામ મનીષા છે. મંદિરે લઈ ગયા જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ આવવાનું કારણ નિમોનિયા હોવાનું સામે આવ્યું છે. 


બાળકીના પેટના ભાગે આપવામાં આવ્યા ત્રણ ડામ 

આખા ઘટનાક્રમની વાત કરીએ તો વાત એવી હતી કે બાળકીને શ્વાસની તકલીફ હતી . હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.50થી 60 હજારનો હતો એટલે મા-બાપ પાસે એટલા પૈસા ન હોવાથી તે અંધશ્રદ્ધામાં પડીને બાળકીને ડામ આપવા માટે ગયા. ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવામાં આવે છે તેવી સલાહ આપી અને તેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે બાળકીને ત્યાં લઈ જવાઈ. જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની કરી. મળતી માહિતી અનુસાર હાલ બાળકીની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ગામની આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોને ડામ આપવા માટે લઈ જવામાં આવ્યા છે.  


ક્યાં સુધી અંધશ્રદ્ધાનો બાળકો બનતા રહેશે ભોગ?

જ્યારે 10 માસની બાળકીને ડામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે હાથ નહીં ધ્રુજ્યા હોય ? મા બાપનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે તે એક મોટો પ્રશ્ન છે... આ અંધશ્રદ્ધા આપણા દેશને કઈ તરફ લઈ જશે તે એક પ્રશ્ન છે કારણ કે આવા તો અનેક કિસ્સાઓ બનતા હશે. આવા બધા જ કિસ્સાઓ આપણી સામે નહીં આવતા હોય. ગુજરાતના અનેક ગામડાઓ માંથી એવા સમાચાર આવે છે કે બાળકીની બલી ચઢાવવામાં  આવી હોય, અંધશ્રદ્ધાના નામે બાળકના ફૂલ જેવા કોમળ શરીર પર ડામ આપવામાં આવશે? આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, છેક ચાંદ સુધી પહોંચી ગયા છીએ પરંતુ લોકોમાં રહેલી સંકુચિત માનસિક્તાથી બહાર નથી આવી શક્યા..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.