21મી સદીમાં જીવીએ છીએ એ વાત કહેતા પહેલા આ સમાચાર વાંચજો, Surendranagarમાં અંધશ્રદ્ધાના નામે 10 મહિનાની દીકરીને અપાયો ડામ


  • Published By :
  • Published Date : 2023-08-05 16:45:47

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિજ્ઞાનમાં કરવામાં આવેલી પ્રગતિની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તે કહેવું ખોટું છે. આજે પણ અંધશ્રદ્ધાના નામ પર લોકોને બલી ચઢાવવામાં આવે છે, આજે પણ એવા અનેક ગામો છે જ્યાં બાળક બિમાર હોય તો તેને હોસ્પિટલ નહીં પરંતુ ભૂવાની પાસે લઈ જવામાં આવે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.   


ડામ આપ્યા બાદ પણ તબિયત ન સુધરતા ડોક્ટર પાસે લઈ જવાઈ 

અંધશ્રદ્ધાના નામ પર અનેક લોકોનો ભોગ લેવાયો છે. તે લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક આખો એવો વર્ગ હજી પણ આપણને જોવા મળે છે જે ભૂવાઓ પર વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે. જ્યારે બાળક બિમાર પડે ત્યારે ડોક્ટરની પાસે સારવાર કરાવવા લઈ જવાની બદલીમાં ભૂવાઓ પાસે લઈ જવાય છે જ્યાં બાળક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. વિરમગામથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી બીમાર પડતાં એને સોયના ડામ આપવામાં આવ્યા. જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થઈ. મળતી માહિતી અનુસાર બાળકીની સારવાર માટે માતા પિતા હોસ્પિટલની બદલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે લઈ ગયા. બાળકીનું નામ કોમલ છે, તેના પિતાનું નામ પ્રવીણભાઈ અને માતાનું નામ મનીષા છે. મંદિરે લઈ ગયા જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ આવવાનું કારણ નિમોનિયા હોવાનું સામે આવ્યું છે. 


બાળકીના પેટના ભાગે આપવામાં આવ્યા ત્રણ ડામ 

આખા ઘટનાક્રમની વાત કરીએ તો વાત એવી હતી કે બાળકીને શ્વાસની તકલીફ હતી . હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.50થી 60 હજારનો હતો એટલે મા-બાપ પાસે એટલા પૈસા ન હોવાથી તે અંધશ્રદ્ધામાં પડીને બાળકીને ડામ આપવા માટે ગયા. ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવામાં આવે છે તેવી સલાહ આપી અને તેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે બાળકીને ત્યાં લઈ જવાઈ. જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની કરી. મળતી માહિતી અનુસાર હાલ બાળકીની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ગામની આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોને ડામ આપવા માટે લઈ જવામાં આવ્યા છે.  


ક્યાં સુધી અંધશ્રદ્ધાનો બાળકો બનતા રહેશે ભોગ?

જ્યારે 10 માસની બાળકીને ડામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે હાથ નહીં ધ્રુજ્યા હોય ? મા બાપનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે તે એક મોટો પ્રશ્ન છે... આ અંધશ્રદ્ધા આપણા દેશને કઈ તરફ લઈ જશે તે એક પ્રશ્ન છે કારણ કે આવા તો અનેક કિસ્સાઓ બનતા હશે. આવા બધા જ કિસ્સાઓ આપણી સામે નહીં આવતા હોય. ગુજરાતના અનેક ગામડાઓ માંથી એવા સમાચાર આવે છે કે બાળકીની બલી ચઢાવવામાં  આવી હોય, અંધશ્રદ્ધાના નામે બાળકના ફૂલ જેવા કોમળ શરીર પર ડામ આપવામાં આવશે? આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, છેક ચાંદ સુધી પહોંચી ગયા છીએ પરંતુ લોકોમાં રહેલી સંકુચિત માનસિક્તાથી બહાર નથી આવી શક્યા..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.