21મી સદીમાં જીવીએ છીએ એ વાત કહેતા પહેલા આ સમાચાર વાંચજો, Surendranagarમાં અંધશ્રદ્ધાના નામે 10 મહિનાની દીકરીને અપાયો ડામ


  • Published By :
  • Published Date : 2023-08-05 16:45:47

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિજ્ઞાનમાં કરવામાં આવેલી પ્રગતિની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તે કહેવું ખોટું છે. આજે પણ અંધશ્રદ્ધાના નામ પર લોકોને બલી ચઢાવવામાં આવે છે, આજે પણ એવા અનેક ગામો છે જ્યાં બાળક બિમાર હોય તો તેને હોસ્પિટલ નહીં પરંતુ ભૂવાની પાસે લઈ જવામાં આવે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.   


ડામ આપ્યા બાદ પણ તબિયત ન સુધરતા ડોક્ટર પાસે લઈ જવાઈ 

અંધશ્રદ્ધાના નામ પર અનેક લોકોનો ભોગ લેવાયો છે. તે લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક આખો એવો વર્ગ હજી પણ આપણને જોવા મળે છે જે ભૂવાઓ પર વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે. જ્યારે બાળક બિમાર પડે ત્યારે ડોક્ટરની પાસે સારવાર કરાવવા લઈ જવાની બદલીમાં ભૂવાઓ પાસે લઈ જવાય છે જ્યાં બાળક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. વિરમગામથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી બીમાર પડતાં એને સોયના ડામ આપવામાં આવ્યા. જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થઈ. મળતી માહિતી અનુસાર બાળકીની સારવાર માટે માતા પિતા હોસ્પિટલની બદલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે લઈ ગયા. બાળકીનું નામ કોમલ છે, તેના પિતાનું નામ પ્રવીણભાઈ અને માતાનું નામ મનીષા છે. મંદિરે લઈ ગયા જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ આવવાનું કારણ નિમોનિયા હોવાનું સામે આવ્યું છે. 


બાળકીના પેટના ભાગે આપવામાં આવ્યા ત્રણ ડામ 

આખા ઘટનાક્રમની વાત કરીએ તો વાત એવી હતી કે બાળકીને શ્વાસની તકલીફ હતી . હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.50થી 60 હજારનો હતો એટલે મા-બાપ પાસે એટલા પૈસા ન હોવાથી તે અંધશ્રદ્ધામાં પડીને બાળકીને ડામ આપવા માટે ગયા. ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવામાં આવે છે તેવી સલાહ આપી અને તેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે બાળકીને ત્યાં લઈ જવાઈ. જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની કરી. મળતી માહિતી અનુસાર હાલ બાળકીની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ગામની આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોને ડામ આપવા માટે લઈ જવામાં આવ્યા છે.  


ક્યાં સુધી અંધશ્રદ્ધાનો બાળકો બનતા રહેશે ભોગ?

જ્યારે 10 માસની બાળકીને ડામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે હાથ નહીં ધ્રુજ્યા હોય ? મા બાપનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે તે એક મોટો પ્રશ્ન છે... આ અંધશ્રદ્ધા આપણા દેશને કઈ તરફ લઈ જશે તે એક પ્રશ્ન છે કારણ કે આવા તો અનેક કિસ્સાઓ બનતા હશે. આવા બધા જ કિસ્સાઓ આપણી સામે નહીં આવતા હોય. ગુજરાતના અનેક ગામડાઓ માંથી એવા સમાચાર આવે છે કે બાળકીની બલી ચઢાવવામાં  આવી હોય, અંધશ્રદ્ધાના નામે બાળકના ફૂલ જેવા કોમળ શરીર પર ડામ આપવામાં આવશે? આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, છેક ચાંદ સુધી પહોંચી ગયા છીએ પરંતુ લોકોમાં રહેલી સંકુચિત માનસિક્તાથી બહાર નથી આવી શક્યા..  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી