નામ જાહેર થતા પહેલા ઉમેદવાર માટે ઉઠ્યા વિરોધના સુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:44:03

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થવાની છે. દરેક પાર્ટીઓ પૂર જોશમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. ભાજપ અને આપ બાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવી છે. ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. એ પહેલા જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને વિરોધ રાધનપુરમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. 

Rs 1 Crore For Alpesh Thakor's Head


'જીતશે સ્થાનિક, હારશે બહારનો' ના ઉઠ્યા સુર

ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ અમુક ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરની બદલીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સાંતલપુરના કોરડા ગામમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો'. ભાજપે આ બેઠક પર કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો અને અલ્પેશ ઠાકોરની પરાજય થઈ હતી.

Gujarat: Alpesh Thakor, Dhavalsinh Zala joins BJP

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા ઉઠી માગ

ભાજપના આ મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, લવિંગજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સર્વેની એક જ માગ હતી કે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. જો ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપે અને બહારના ઉમેદવારને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારશે તો તેનો વિરોધ કરવામાં આવશે.  જીતશે સ્થાનિક, હારશે બહારનો'ની વાત પર તેઓ અડગ રહ્યા હતા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.