નામ જાહેર થતા પહેલા ઉમેદવાર માટે ઉઠ્યા વિરોધના સુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:44:03

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થવાની છે. દરેક પાર્ટીઓ પૂર જોશમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. ભાજપ અને આપ બાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવી છે. ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. એ પહેલા જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને વિરોધ રાધનપુરમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. 

Rs 1 Crore For Alpesh Thakor's Head


'જીતશે સ્થાનિક, હારશે બહારનો' ના ઉઠ્યા સુર

ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ અમુક ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરની બદલીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સાંતલપુરના કોરડા ગામમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો'. ભાજપે આ બેઠક પર કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો અને અલ્પેશ ઠાકોરની પરાજય થઈ હતી.

Gujarat: Alpesh Thakor, Dhavalsinh Zala joins BJP

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા ઉઠી માગ

ભાજપના આ મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, લવિંગજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સર્વેની એક જ માગ હતી કે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. જો ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપે અને બહારના ઉમેદવારને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારશે તો તેનો વિરોધ કરવામાં આવશે.  જીતશે સ્થાનિક, હારશે બહારનો'ની વાત પર તેઓ અડગ રહ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.