CMના આગમન પહેલા Junagadhમાં રસ્તાનું કરાયું સમારકામ, સાંભળો Devanshi Joshiએ મુખ્યમંત્રીને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2023-09-29 14:18:09

ખરાબ રોડ રસ્તાને જોઈ ઘણી વખત આપણા મનમાં વિચાર આવતો હોય છે કે જો મુખ્યમંત્રી આ રસ્તા ઉપરથી પસાર થાય તો રસ્તાની હાલત એકદમ સુધરી જાય. રસ્તાની ખરાબ હાલત વિશે તો અનેક વખત ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજે સારા રસ્તાની વાત કરવી છે. વાંચીને નવાઈ હશેને કે સારો રસ્તો કેવી રીતે સમાચાર બની શકે. પરંતુ ના રસ્તો સમાચાર એટલા માટે બન્યો છે કારણ કે તેનું સમારકામ મુખ્યમંત્રીના આગમન પહેલા કરવામાં આવ્યુ. મુખ્યમંત્રીના આગમન પહેલા જૂનાગઢ કોર્પોરેશને ખરાબ રસ્તા સારા કરાવ્યા. ખાડા પર ડામર પાથર્યું. 

સામાન્ય દિવસોમાં પણ રસ્તા પર જોવા મળે છે ખાડા 

માણસ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેને ખરાબ રસ્તાનો સામનો કરવો પડે છે અથવા તો રખડતા ઢોરનો ત્રાસ સહન કરવો પડે છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે સમજીએ કે રસ્તા ખરાબ થઈ જાય. પરંતુ આપણે ત્યાં તો સામાન્ય દિવસો દરમિયાન પણ રસ્તાની હાલત ખરાબ જ હોય છે. રોડ પર અનેક ખાડા પડતા હોય છે જેને જોતા આપણને લાગે કે રસ્તા પર ખાડા છે કે ખાડા પર રસ્તા છે. 

ગુજરાતમાં કોવિડ-19થી પણ જોખમી છે ખરાબ રસ્તાઓ | Bad roads in Gujarat are  even more dangerous than Kovid 19

સીએમના આગમન પહેલા રસ્તાને કરાયા સારા 

ખરાબ રોડને કારણે અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે જૂનાગઢની પ્રજા નસીબદાર છે કારણ કે જૂનાગઢના રસ્તા સારા થઈ ગયા છે. રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. સારા રસ્તા એટલા માટે છે કારણ કે તે રસ્તા પરથી સામાન્ય માણસ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પસાર થવાના હતા. જૂનાગઢ ખાતે ભૂપેન્દ્ર પટેલ જવાના હતા ત્યારે તેમના આગમન પહેલા તંત્ર દ્વારા રસ્તાને સુધારવામાં આવ્યા છે. ખરાબ રસ્તાને સરખા કરવામાં આવ્યા હતા.

એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ  પૂર્યા...! - પ્રત્યક્ષ સમાચાર

CMએ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જે રસ્તાની હાલત ખરાબ હોય!

ખરાબ રસ્તા ન માત્ર જૂનાગઢમાં છે પરંતુ દરેક શહેરના રસ્તાની આવી જ હાલત છે. રસ્તા પર ખાડા પડે છે તો વાહનચાલકોને વધારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. છોટાઉદેપુર, નર્મદા સહિતના વિસ્તારો એવા છે જ્યાં રસ્તા શોધવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રીને એક અપીલ છે કે દર થોડા દિવસે કોઈ એવી જગ્યાની મુલાકાત લેવી જોઈએ જ્યાંના રસ્તા ખરાબ હોય. જો એ રસ્તા પરથી મુખ્યમંત્રી પસાર થશે તો તે ખરાબ રસ્તાની હાલત સુધરશે.    

Gujarat High Court : બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટે નારાજ, એફિડેવિટ  ફાઈલ રજૂ કરવાનો આપ્યો આદેશ,  gujarat-high-court-awful-road-hearing-gujarat-state-legal-authority-affidavit-file  ...




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.