Assembly Election પહેલા Congressએ કરી મોટી જાહેરાત, જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ Rahul Gandhiએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-09 17:06:17

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં 7 તેમજ 17 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવવાનું છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જાહેરાત કરી કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.

 

રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત  

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જાતિ આધારિત જનગણના કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પહેલા બિહારમાં જન આધારિત વસતી ગણતરી કરવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી થાય તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. તેમણે કહ્યું આ કામ બીજેપી નથી કરી રહી. 

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્કિંગ કમિટીમાં એક પણ સદસ્ય એવા ન હતા જેમણે આ વાતનો વિરોધ કર્યો હોય. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.