Assembly Election પહેલા Congressએ કરી મોટી જાહેરાત, જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ Rahul Gandhiએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-09 17:06:17

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં 7 તેમજ 17 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવવાનું છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જાહેરાત કરી કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.

 

રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત  

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જાતિ આધારિત જનગણના કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પહેલા બિહારમાં જન આધારિત વસતી ગણતરી કરવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી થાય તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. તેમણે કહ્યું આ કામ બીજેપી નથી કરી રહી. 

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્કિંગ કમિટીમાં એક પણ સદસ્ય એવા ન હતા જેમણે આ વાતનો વિરોધ કર્યો હોય. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે