Assembly Election પહેલા Congressએ કરી મોટી જાહેરાત, જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈ Rahul Gandhiએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-10-09 17:06:17

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં 7 તેમજ 17 નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવવાનું છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં જાહેરાત કરી કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે.

 

રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત  

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જાતિ આધારિત જનગણના કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક વખત તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પહેલા બિહારમાં જન આધારિત વસતી ગણતરી કરવામાં આવી છે. ત્યારે બીજા રાજ્યોમાં પણ જાતિ આધારિત વસતી ગણતરી થાય તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે. તેમણે કહ્યું આ કામ બીજેપી નથી કરી રહી. 

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

વર્કિંગ કમિટીની બેઠક બાદ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વર્કિંગ કમિટીમાં એક પણ સદસ્ય એવા ન હતા જેમણે આ વાતનો વિરોધ કર્યો હોય. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.