વિધાનસભા ચૂંટણી પહેલા ઉપલેટામાં લાગ્યા બેનર, ભાજપ અને કોંગ્રેસ પાસેથી સ્થાનિકોએ કરી આવી માગ


  • Published By :
  • Published Date : 2022-10-22 17:37:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જેને લઈ અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ. 


ઉમેદવારોને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર જ તેમને પડતી મુશ્કેલીને સમજી શકે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પાર્ટી અલગ ઉમેદવારને અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારતા હોય છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કોંગ્રેસના MLA લલિત વસોયા લાલઘૂમ, કહ્યું-  કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી | Congress MLA Lalit Vasoya  angry over price ...

લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા 

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા લોકો પણ ટિકિટની માગણી કરી રહ્યા છે તે તમામ સ્થાનિક જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોય અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હોય તેવો મારો અંદાજો છે.                  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.