વિધાનસભા ચૂંટણી પહેલા ઉપલેટામાં લાગ્યા બેનર, ભાજપ અને કોંગ્રેસ પાસેથી સ્થાનિકોએ કરી આવી માગ


  • Published By :
  • Published Date : 2022-10-22 17:37:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જેને લઈ અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ. 


ઉમેદવારોને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર જ તેમને પડતી મુશ્કેલીને સમજી શકે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પાર્ટી અલગ ઉમેદવારને અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારતા હોય છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કોંગ્રેસના MLA લલિત વસોયા લાલઘૂમ, કહ્યું-  કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી | Congress MLA Lalit Vasoya  angry over price ...

લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા 

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા લોકો પણ ટિકિટની માગણી કરી રહ્યા છે તે તમામ સ્થાનિક જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોય અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હોય તેવો મારો અંદાજો છે.                  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"