વિધાનસભા ચૂંટણી પહેલા ઉપલેટામાં લાગ્યા બેનર, ભાજપ અને કોંગ્રેસ પાસેથી સ્થાનિકોએ કરી આવી માગ


  • Published By :
  • Published Date : 2022-10-22 17:37:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જેને લઈ અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ. 


ઉમેદવારોને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર જ તેમને પડતી મુશ્કેલીને સમજી શકે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પાર્ટી અલગ ઉમેદવારને અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારતા હોય છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કોંગ્રેસના MLA લલિત વસોયા લાલઘૂમ, કહ્યું-  કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી | Congress MLA Lalit Vasoya  angry over price ...

લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા 

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા લોકો પણ ટિકિટની માગણી કરી રહ્યા છે તે તમામ સ્થાનિક જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોય અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હોય તેવો મારો અંદાજો છે.                  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.