વિધાનસભા ચૂંટણી પહેલા ઉપલેટામાં લાગ્યા બેનર, ભાજપ અને કોંગ્રેસ પાસેથી સ્થાનિકોએ કરી આવી માગ


  • Published By :
  • Published Date : 2022-10-22 17:37:58

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. પરંતુ ભાજપે અને કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જેને લઈ અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ અમારે ઉમેદવાર તો સ્થાનિક જ જોઈએ. 


ઉમેદવારોને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ ધોરાજીના ઉપલેટામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરવામાં આવી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર જ તેમને પડતી મુશ્કેલીને સમજી શકે છે. અનેક વખત જોવા મળ્યું છે કે પાર્ટી અલગ ઉમેદવારને અલગ અલગ જગ્યાએથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારતા હોય છે.

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી કોંગ્રેસના MLA લલિત વસોયા લાલઘૂમ, કહ્યું-  કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત વિરોધી | Congress MLA Lalit Vasoya  angry over price ...

લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા 

આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને આજુબાજુના ગામડાની અંદર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માગણી ઉઠી છે. કોંગ્રેસ પાર્ટીમાં જેટલા લોકો પણ ટિકિટની માગણી કરી રહ્યા છે તે તમામ સ્થાનિક જ છે. ભારતીય જનતા પાર્ટીમાં બહારના લોકો ટિકિટ માગી રહ્યા છે, જેનો અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરોને હોય અને સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હોય તેવો મારો અંદાજો છે.                  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.