વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે પેપર લીક મામલે ભાજપ સરકારને ઘેરી, હાથમાં બેનરો લઈ કર્યા સૂત્રોચ્ચાર


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:54

ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે ઉપરાંત ધરણા પ્રદર્શન કર્યું હતું.


સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ   

ગુજરાતમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત મળી છે. 182માંથી ભાજપના ફાળે 156 સીટો આવી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુ્દ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યો આક્રામક મોડમાં દેખાયા હતા. હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  


ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ  

અમિત ચાવડાએ કહ્યું કે 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકારના રાજમાં એક બે વાર નહીં પરંતુ 13 કરતા વધારે વખત પેપર ફૂટયા છે. આ પેપર ફૂટવાને કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે કે સરકારી નોકરી મળે. ભવિષ્ય માટે લાખો રુપિયા ખર્ચ્યા હોય છે. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.