વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે પેપર લીક મામલે ભાજપ સરકારને ઘેરી, હાથમાં બેનરો લઈ કર્યા સૂત્રોચ્ચાર


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:54

ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે ઉપરાંત ધરણા પ્રદર્શન કર્યું હતું.


સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ   

ગુજરાતમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત મળી છે. 182માંથી ભાજપના ફાળે 156 સીટો આવી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુ્દ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યો આક્રામક મોડમાં દેખાયા હતા. હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  


ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ  

અમિત ચાવડાએ કહ્યું કે 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકારના રાજમાં એક બે વાર નહીં પરંતુ 13 કરતા વધારે વખત પેપર ફૂટયા છે. આ પેપર ફૂટવાને કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે કે સરકારી નોકરી મળે. ભવિષ્ય માટે લાખો રુપિયા ખર્ચ્યા હોય છે. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.