વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે પેપર લીક મામલે ભાજપ સરકારને ઘેરી, હાથમાં બેનરો લઈ કર્યા સૂત્રોચ્ચાર


  • Published By :
  • Published Date : 2023-02-23 13:20:54

ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તે ઉપરાંત ધરણા પ્રદર્શન કર્યું હતું.


સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ   

ગુજરાતમાં આ વખતે ભાજપને ઐતિહાસિક જીત મળી છે. 182માંથી ભાજપના ફાળે 156 સીટો આવી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી હતી. ત્યારે આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક મુદ્દે, ભરતી કૌભાંડ સહિતના અનેક મુ્દ્દાઓને લઈ કોંગ્રેસના ધારાસભ્યો આક્રામક મોડમાં દેખાયા હતા. હાથમાં બેનરો લઈ ભાજપ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  


ધારાસભ્યોએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ  

અમિત ચાવડાએ કહ્યું કે 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકારના રાજમાં એક બે વાર નહીં પરંતુ 13 કરતા વધારે વખત પેપર ફૂટયા છે. આ પેપર ફૂટવાને કારણે જે ગુજરાતના યુવાનો ખૂબ મહેનત કરે છે, તેમને આશા છે કે સરકારી નોકરી મળે. ભવિષ્ય માટે લાખો રુપિયા ખર્ચ્યા હોય છે. તેવા યુવાનોનું ભવિષ્ય તોડવાનું કામ આ સરકારે કર્યું છે. પેપર નથી ફૂટતા પણ આ સરકાર ફૂટેલી છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે