Budget Session પહેલા PM Modiએ કર્યું સંબોધન, વિપક્ષ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-31 12:46:40

બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ ભવનની બહાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 2024ના રામ રામ બધાને કહ્યા હતા . વિપક્ષી સાંસદો પર પણ તેમણે પ્રહાર કર્યા છે. સંબોધનમાં તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષમાં દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું છે. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ 'હેબિચ્યુઅલ ગુંડાગીરી' બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.

નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે, એક સાંસદે ખૂબ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો. તે નિર્ણય હતો નારીશક્તિ વંદન અભિનિયમ. તે પછી 26 જાન્યુઆરીએ અમે જોયું કે શું એક રીતે, મહિલા શક્તિ, બહાદુરી અને સંકલ્પ શક્તિનો અનુભવ દેશમાં કર્તવ્ય પથ પર થયો અને આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માર્ગદર્શન હેઠળ અને આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ, એક રીતે તે શક્તિની અનુભતિનો તહેવાર છે.     

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે