Budget Session પહેલા PM Modiએ કર્યું સંબોધન, વિપક્ષ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-31 12:46:40

બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ ભવનની બહાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 2024ના રામ રામ બધાને કહ્યા હતા . વિપક્ષી સાંસદો પર પણ તેમણે પ્રહાર કર્યા છે. સંબોધનમાં તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષમાં દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું છે. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ 'હેબિચ્યુઅલ ગુંડાગીરી' બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.

નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે, એક સાંસદે ખૂબ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો. તે નિર્ણય હતો નારીશક્તિ વંદન અભિનિયમ. તે પછી 26 જાન્યુઆરીએ અમે જોયું કે શું એક રીતે, મહિલા શક્તિ, બહાદુરી અને સંકલ્પ શક્તિનો અનુભવ દેશમાં કર્તવ્ય પથ પર થયો અને આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માર્ગદર્શન હેઠળ અને આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ, એક રીતે તે શક્તિની અનુભતિનો તહેવાર છે.     

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.