Budget Session પહેલા PM Modiએ કર્યું સંબોધન, વિપક્ષ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-31 12:46:40

બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ ભવનની બહાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 2024ના રામ રામ બધાને કહ્યા હતા . વિપક્ષી સાંસદો પર પણ તેમણે પ્રહાર કર્યા છે. સંબોધનમાં તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષમાં દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું છે. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ 'હેબિચ્યુઅલ ગુંડાગીરી' બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.

નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે, એક સાંસદે ખૂબ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો. તે નિર્ણય હતો નારીશક્તિ વંદન અભિનિયમ. તે પછી 26 જાન્યુઆરીએ અમે જોયું કે શું એક રીતે, મહિલા શક્તિ, બહાદુરી અને સંકલ્પ શક્તિનો અનુભવ દેશમાં કર્તવ્ય પથ પર થયો અને આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માર્ગદર્શન હેઠળ અને આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ, એક રીતે તે શક્તિની અનુભતિનો તહેવાર છે.     

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.