Budget Session પહેલા PM Modiએ કર્યું સંબોધન, વિપક્ષ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-31 12:46:40

બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ ભવનની બહાર સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ 2024ના રામ રામ બધાને કહ્યા હતા . વિપક્ષી સાંસદો પર પણ તેમણે પ્રહાર કર્યા છે. સંબોધનમાં તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે આ વર્ષમાં દરેકે સંસદમાં પોતાનું કામ જે રીતે મળ્યું તે રીતે કર્યું છે. હું ચોક્કસપણે કહીશ કે કેટલાક લોકોનો સ્વભાવ 'હેબિચ્યુઅલ ગુંડાગીરી' બની ગયો છે, જેઓ આદતપૂર્વક લોકશાહી મૂલ્યોને તોડી નાખે છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરશે કે તેઓએ છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે.

નારી શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે, એક સાંસદે ખૂબ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો. તે નિર્ણય હતો નારીશક્તિ વંદન અભિનિયમ. તે પછી 26 જાન્યુઆરીએ અમે જોયું કે શું એક રીતે, મહિલા શક્તિ, બહાદુરી અને સંકલ્પ શક્તિનો અનુભવ દેશમાં કર્તવ્ય પથ પર થયો અને આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના માર્ગદર્શન હેઠળ અને આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ, એક રીતે તે શક્તિની અનુભતિનો તહેવાર છે.     

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે