ચૂંટણી પૂર્વે ખોડલધામે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે ખોડલધામ બીન રાજકીય સંસ્થા છે


  • Published By :
  • Published Date : 2022-11-15 10:13:43

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. ત્યારે દરેક પાર્ટી પાટીદાર સમાજનું સમર્થન લેવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વના પગલે તમામ પક્ષોના નેતાઓ ખોડલધામ ટ્રસ્ટીનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ખોડલધામ સંસ્થા કોઈને ટેકો નહીં આપે - સૂત્ર

ખોડલધામના સૂત્રના જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી ચૂંટણી પ્રચાર નથી કરવાના. ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલ વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમને ટેકો આપે તો વાત અલગ છે પરંતુ સંસ્થા કોઈને ટેકો આપવાનું નથી.

Naresh Patel Meeting With PM Modi : Know Which Central Cabinet Minster  Plays Key Role In Meeting Of PM Modi And Khodal Dham Naresh Patel | Naresh  Patel Meeting With PM Modi :

નરેશ પટેલે કરી હતી કે પીએમ સાથે મુલાકાત 

ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય પક્ષ છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. અને થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સંગ પીએમ મોદીની મુલાકાત લીધી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે નરેશ પટેલ થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ શકે છે.          




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.