ચૂંટણી પૂર્વે ખોડલધામે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે ખોડલધામ બીન રાજકીય સંસ્થા છે


  • Published By :
  • Published Date : 2022-11-15 10:13:43

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. ત્યારે દરેક પાર્ટી પાટીદાર સમાજનું સમર્થન લેવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વના પગલે તમામ પક્ષોના નેતાઓ ખોડલધામ ટ્રસ્ટીનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ખોડલધામ સંસ્થા કોઈને ટેકો નહીં આપે - સૂત્ર

ખોડલધામના સૂત્રના જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી ચૂંટણી પ્રચાર નથી કરવાના. ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલ વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમને ટેકો આપે તો વાત અલગ છે પરંતુ સંસ્થા કોઈને ટેકો આપવાનું નથી.

Naresh Patel Meeting With PM Modi : Know Which Central Cabinet Minster  Plays Key Role In Meeting Of PM Modi And Khodal Dham Naresh Patel | Naresh  Patel Meeting With PM Modi :

નરેશ પટેલે કરી હતી કે પીએમ સાથે મુલાકાત 

ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય પક્ષ છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. અને થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સંગ પીએમ મોદીની મુલાકાત લીધી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે નરેશ પટેલ થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ શકે છે.          




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે