ચૂંટણી પૂર્વે ખોડલધામે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે ખોડલધામ બીન રાજકીય સંસ્થા છે


  • Published By :
  • Published Date : 2022-11-15 10:13:43

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. ત્યારે દરેક પાર્ટી પાટીદાર સમાજનું સમર્થન લેવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વના પગલે તમામ પક્ષોના નેતાઓ ખોડલધામ ટ્રસ્ટીનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ખોડલધામ સંસ્થા કોઈને ટેકો નહીં આપે - સૂત્ર

ખોડલધામના સૂત્રના જણાવ્યા મુજબ ટ્રસ્ટના નિયમો મુજબ રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ખોડલધામ ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટી ચૂંટણી પ્રચાર નથી કરવાના. ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલ વ્યક્તિ વ્યક્તિગત રીતે તેમને ટેકો આપે તો વાત અલગ છે પરંતુ સંસ્થા કોઈને ટેકો આપવાનું નથી.

Naresh Patel Meeting With PM Modi : Know Which Central Cabinet Minster  Plays Key Role In Meeting Of PM Modi And Khodal Dham Naresh Patel | Naresh  Patel Meeting With PM Modi :

નરેશ પટેલે કરી હતી કે પીએમ સાથે મુલાકાત 

ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય પક્ષ છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે જેને કારણે તેમણે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી નજીક છે. અને થોડા સમય પહેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સંગ પીએમ મોદીની મુલાકાત લીધી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે નરેશ પટેલ થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ શકે છે.          




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.