ચૂંટણી પહેલા નીતિન પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં


  • Published By :
  • Published Date : 2022-11-17 10:14:10

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને બાદ અનેક પાર્ટીઓમાં ડખા જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રચાર માટે ગયેલા નેતાઓના ભાષણ અને નિવેદનોને લઈને પણ રાજકારણ ગરમાતું રહે છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં.


મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે - નીતિન પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે નીતિન પટેલે કોંગ્રેસને લઈ એક નિવેદન આપતા કહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે. 

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થતા ઉમરેઠ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ |  Political earthquake in Umreth Congress due to alliance between Congress  and NCP

છેલ્લા અનેક વર્ષોથી મહેસાણામાં લહેરાઈ રહ્યો છે કેસરિયો 

નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી કોઈ પણ જાણીતો ચહેરો નથી. ચારેય ઉમેદવાર તદ્દન નવા છે. જેને કારણે કોંગ્રેસને મહેસાણામાં જીત નહીં મળે. મહેસાણાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણ કે અનેક વર્ષોથી ત્યાં ભાજપને જીત મળતી આવી છે. ભાજપે આ વખતે નીતિન પટેલને ટિકિટ ન આપી મુકેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.