ચૂંટણી પહેલા નીતિન પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં


  • Published By :
  • Published Date : 2022-11-17 10:14:10

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને બાદ અનેક પાર્ટીઓમાં ડખા જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રચાર માટે ગયેલા નેતાઓના ભાષણ અને નિવેદનોને લઈને પણ રાજકારણ ગરમાતું રહે છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં.


મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે - નીતિન પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે નીતિન પટેલે કોંગ્રેસને લઈ એક નિવેદન આપતા કહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે. 

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થતા ઉમરેઠ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ |  Political earthquake in Umreth Congress due to alliance between Congress  and NCP

છેલ્લા અનેક વર્ષોથી મહેસાણામાં લહેરાઈ રહ્યો છે કેસરિયો 

નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી કોઈ પણ જાણીતો ચહેરો નથી. ચારેય ઉમેદવાર તદ્દન નવા છે. જેને કારણે કોંગ્રેસને મહેસાણામાં જીત નહીં મળે. મહેસાણાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણ કે અનેક વર્ષોથી ત્યાં ભાજપને જીત મળતી આવી છે. ભાજપે આ વખતે નીતિન પટેલને ટિકિટ ન આપી મુકેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.