ચૂંટણી પહેલા નીતિન પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં


  • Published By :
  • Published Date : 2022-11-17 10:14:10

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને બાદ અનેક પાર્ટીઓમાં ડખા જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રચાર માટે ગયેલા નેતાઓના ભાષણ અને નિવેદનોને લઈને પણ રાજકારણ ગરમાતું રહે છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં.


મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે - નીતિન પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે નીતિન પટેલે કોંગ્રેસને લઈ એક નિવેદન આપતા કહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે. 

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થતા ઉમરેઠ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ |  Political earthquake in Umreth Congress due to alliance between Congress  and NCP

છેલ્લા અનેક વર્ષોથી મહેસાણામાં લહેરાઈ રહ્યો છે કેસરિયો 

નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી કોઈ પણ જાણીતો ચહેરો નથી. ચારેય ઉમેદવાર તદ્દન નવા છે. જેને કારણે કોંગ્રેસને મહેસાણામાં જીત નહીં મળે. મહેસાણાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણ કે અનેક વર્ષોથી ત્યાં ભાજપને જીત મળતી આવી છે. ભાજપે આ વખતે નીતિન પટેલને ટિકિટ ન આપી મુકેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.