ચૂંટણી પહેલા નીતિન પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન, કહ્યું મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં


  • Published By :
  • Published Date : 2022-11-17 10:14:10

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેને બાદ અનેક પાર્ટીઓમાં ડખા જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રચાર માટે ગયેલા નેતાઓના ભાષણ અને નિવેદનોને લઈને પણ રાજકારણ ગરમાતું રહે છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મહેસાણામાં કોંગ્રેસ ચાલશે નહીં.


મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે - નીતિન પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે નીતિન પટેલે કોંગ્રેસને લઈ એક નિવેદન આપતા કહ્યું છે મહેસાણામાં કોંગ્રેસ નહીં ચાલે. 

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થતા ઉમરેઠ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ |  Political earthquake in Umreth Congress due to alliance between Congress  and NCP

છેલ્લા અનેક વર્ષોથી મહેસાણામાં લહેરાઈ રહ્યો છે કેસરિયો 

નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાંથી કોઈ પણ જાણીતો ચહેરો નથી. ચારેય ઉમેદવાર તદ્દન નવા છે. જેને કારણે કોંગ્રેસને મહેસાણામાં જીત નહીં મળે. મહેસાણાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કારણ કે અનેક વર્ષોથી ત્યાં ભાજપને જીત મળતી આવી છે. ભાજપે આ વખતે નીતિન પટેલને ટિકિટ ન આપી મુકેશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.