રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું, હવે તે 'અયોધ્યાધામ' તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-12-27 21:26:29

અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન હવે અયોધ્યાધામ તરીકે ઓળખાશે. રેલવેએ બુધવારે મોડી સાંજે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ જારી કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીનો માહોલ છે. રેલવે વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ કાર્યક્રમ દરમિયાન લાખો ભક્તો રામનગરી અયોધ્યામાં ઉમટી પડશે. અહીં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી સામેલ થશે.


1 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે સ્ટેશન ખુલ્લું મુકાશે 


અયોધ્યાધામ રેલ્વે સ્ટેશન તૈયાર છે અને 1 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી જ વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. અયોધ્યા રેલવે સ્ટેશનથી  રામ મંદિર લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન બિલ્ડિંગને મંદિર સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ છે. લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણી મોટી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.