India-Pakની મેચ પહેલા Narendra Modi Stadiumમાં ફેન્સનો જમાવડો, જુઓ કેવો છે મેચ પહેલા ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ?


  • Published By :
  • Published Date : 2023-10-14 11:34:51

ભારતના ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે એકદમ આતુર દેખાતા હોય છે. આ મેચ જોવાની વાત જ અલગ છે તેવું ક્રિકેટ ફેન્સ કહેતા હોય છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. આ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં તો ભારે ઉત્સાહ છે પરંતુ સુરક્ષા બળોની ચિંતા વધી જતી હોય છે. થોડા કલાકો બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. વહેલી સવારથી જ ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા. ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. ભારતના તિરંગા લહેરાઈ રહ્યા છે. ઈન્ડિયા... ઈન્ડિયાના નારા ક્રિકેટ ચાહકો લગાવી રહ્યા છે. 


સુરક્ષાને ધ્યાનમાં રાખી તૈનાત કરાયા છે સુરક્ષા બળો 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડકપની ભારત - પાકિસ્તાનની મેચના કારણે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ બાદ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. DGP વિકાસ સહાયે જાહેરાત કરી હતી કે શનિવારે એટલે કે આજે રાત્રીના 8 થી12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે.

મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ

મેચને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દર્શકોમાં ભારે ઉત્સાહ છે મેચને લઈ. સવારથી સ્ટેડિયમની બહાર  જાણે કોઈ તહેવાર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે ભારત ટીમની ટી-શર્ટ પહેરી અનેક દર્શકો આવ્યા છે.   

 નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ.

સુરક્ષા બળો રહેશે તૈનાત  

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચને લઈ અમદાવાદ અને ગુજરાતમાં પોલીસે જડબેસલાક વ્યવસ્થા કરી છે. ભારત-પાકિસ્તાન મેચની માટે 5 સ્ટેજની  સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્ટેડિયમની સુરક્ષા, બોમ્બ સ્કવોર્ડની ખાસ ટીમ, અને એની સાથે ATS, SOG,NSG, RAF, NDRFનીટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત બોમ્બ સ્કવોર્ડની ખાસ ટીમ ખડેપગે રાખવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે.


આ લોકો કરવાના છે રંગારંગ કાર્યક્રમમાં પરફોર્મ 

મેચમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સુરક્ષા બળો તો તૈનાત છે. તે ઉપરાંત ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે અનેક સિંગર. બોલિવુડ એક્ટર સહિતની મોટી હસ્તી અમદાવાદની મહેમાન બની છે. મેચ પહેલા સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહ, શંકર મહાદેવન, શ્રદ્ધા કપૂર, સુખવિંદર સિંહ તેમજ સુનિધિ ચૌહાણ પરફોર્મ કરવાના છે. તે ઉપરાંત સાંજે પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં નેહા કક્કર પરફોર્મ કરવાની છે. અનુષ્કા શર્મા પણ મેચને જોવા અમદાવાદ પહોંચી છે. 

Cricket World Cup 2023 Opening Ceremony Live: આજે ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ભવ્ય રંગારંગ કાર્યક્રમ, જાણો ક્યાં અને કેટલા વાગ્યાથી જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ

 અમદાવાદ: આજે અમદાવાદમાં આજે ભારત પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે. આ હાઇવોલ્ટેજ મેચને લઇને કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ સ્ટેડિયમની બહાર ક્રિકેટરસિકોની ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ, આ મેચ જોવા માટે સેલિબ્રિટીઝ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદમાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ દિગ્ગજ સચિન તેંદુલકર, બોલિવૂડ સિંગર અરિજીત સિંઘ, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું એરપોર્ટ પર આગમન થયું હતું. (તસવીર:ANI)



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.