Aditya L1ના લોન્ચ પહેલા ISRO Scientist પહોંચ્યા આ મંદિરે દર્શન કરવા, લીધા ભગવાનના આશીર્વાદ , જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-01 14:10:14

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતનો ડંકો વિશ્વસ્તરે વાગ્યો છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્યારે ચંદ્ર સર કર્યા બાદ ઈસરોએ સૂર્યને લઈ મિશન લોન્ચ કર્યું છે. ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે એટલે કે આવતી કાલે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 અવકાશમાં જશે. થોડા સમય પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ત્યારે મિશન લોન્ચ થાય તે પહેલા આદિત્ય-L1 મોડલના એક નાનકડા મોડલને મંદિર લઈ જવાયો હતો. આંધ્રપ્રદેશ સ્થિત તિરૂમાલા શ્રી વેંકટેશ્વર મંદિરે વૈજ્ઞાનિકો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.     

મંદિરમાં દર્શન કરી વૈજ્ઞાનિકોએ લીધા આશીર્વાદ 

આવતી કાલે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી આદિત્ય-L1 લોન્ચ કરવામાં આવવાનું છે. લોન્ચિંગને લઈ દરેક પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે જેમ ચંદ્રયાનની સફળતાને લઈ પ્રાર્થના કરવા વૈજ્ઞાનિકો મંદિરે પહોંચ્યા હતા તેવી જ રીતે આદિત્ય મિશન પહેલા વૈજ્ઞાનિકો મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે આપણામાંથી અનેક લોકો કહેતા હોય છે કે વિજ્ઞાન આગળ વધી ગયું છે, જે થાય છે તે વૈજ્ઞાનિક કારણોસર થાય છે. ઈશ્વર અથવા તો કુદરતમાં આપણે નથી માનતા. પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકો પોતે સંસ્કૃતિનો, આપણા ધર્મનો એટલું આદર કરે છે તેમનામાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ.  

આદિત્ય મિશન શું છે?


આદિત્ય એલ-1 PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે. આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.



આદિત્ય  L1 મોકલવાથી શું લાભ થશે?


અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .