Lok sabha Election પહેલા CAAને લઈ Amit Shahએ કહી આ વાત, જાણો શું કરાઈ જાહેરાત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 13:22:57

છેલ્લા ઘણા સમયથી સીએએ એટલે કે નાગરિક્તા સંશોધન કાયદા અંગે વાતો થઈ રહી છે. એવી વાતો પણ થઈ રહી છે કે ગમે ત્યારે આ કાયદો લાગું થઈ શકે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે, અનેક મોટી જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં સીએએ લાગું કરવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સીએએ કોઈની નાગરિક્તા નહીં છીનવે. 


સીએએ લઈને અમિત શાહે કહી આ વાત

ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે સીએએ કોઈ પણ વ્યક્તિની નાગરિક્તા નહીં છીનવી લે. 'નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.


શું છે સીએએ? 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક શબ્દો સાંભળવા મળી રહ્યા છે જેવા કે યુસીસી, સીએએ... જો સીએએની વાત કરીએ તો નાગરિક્તા અધિનિયમ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ચોક્કસ ધાર્મિક સમુદાયો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરે છે.   



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.