Lok sabha Election પહેલા CAAને લઈ Amit Shahએ કહી આ વાત, જાણો શું કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-02-10 13:22:57

છેલ્લા ઘણા સમયથી સીએએ એટલે કે નાગરિક્તા સંશોધન કાયદા અંગે વાતો થઈ રહી છે. એવી વાતો પણ થઈ રહી છે કે ગમે ત્યારે આ કાયદો લાગું થઈ શકે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે, અનેક મોટી જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં સીએએ લાગું કરવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સીએએ કોઈની નાગરિક્તા નહીં છીનવે. 


સીએએ લઈને અમિત શાહે કહી આ વાત

ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસને સંબોધતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. નિવેદન આપતા તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે સીએએ કોઈ પણ વ્યક્તિની નાગરિક્તા નહીં છીનવી લે. 'નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.


શું છે સીએએ? 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક શબ્દો સાંભળવા મળી રહ્યા છે જેવા કે યુસીસી, સીએએ... જો સીએએની વાત કરીએ તો નાગરિક્તા અધિનિયમ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ચોક્કસ ધાર્મિક સમુદાયો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.