Loksabha Election પહેલા ભરૂચ સીટ બની ચર્ચાનો વિષય, સાંભળો Mansukh Vasavaએ ચૂંટણી ઉમેદવારીને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-15 17:33:53

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણી સરપ્રદ રહેવાની છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારને હરાવવા માટે વિપક્ષ એક થયું છે અને INDIA સંગઠનનું નિર્માણ થયું. દેશની ચૂંટણી તો રસપ્રદ બનવાની છે પરંતુ ગુજરાતમાં જે લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે તેની પર સૌ કોઈની નજર છે. ખાસ કરીને નર્મદા બેઠકને લઈ અનેક ક્રેઝ જોવા મળી રહ્યો છે. હમણાંથી ચૂંટણીનો માહોલ જામ્યો છે.  

કોંગ્રેસના મુમતાઝ પટેલે પણ કરી ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત  

ભરૂચ સીટને લઈ ખેંચતાણ જોવા મળવાની છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ગઠબંધનમાં સામેલ છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે ગઈકાલે મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહું હતું કે લોકસભાની ચૂંટણી લડવા માટે એ તૈયાર છે.


ચૈતર વસાવાએ કરી હતી ભરૂચ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત 

એક તરફ ગુજરાત આપ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. વાતો ચાલી રહી છે કે ભેગા મળી ચૂંટણી લડી શકે છે. ત્યારે સંગઠન થાય તે પહેલા જ ડખા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસથી મુમતજ પટેલ અને એક બાજુ ચૈતર વસાવા એટલે લોકસભાની ચુંટણીમાં આ સીટનું ગણિત સૌથી રસપ્રદ રહવાનું છે. ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તે અંગેની વાત સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કરી હતી. 


શું મનસુખ વસાવાનું કપાશે પત્તું?

એક કાર્યક્રમમાં મનસુખ વસવાને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું "પાર્ટીએ મને ઘણું બધુ આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરું કે ના કરું પક્ષને જીતાડવાની જવાબદારી મારી છે" એટલે મનસુખ વસાવા આ રેસમાં આ વખતે હશે કે નહીં એ ખબર નથી. નિવેદનમાં મનસુખ વસાવાએ ઈશારો આપ્યો કે કદાચ તેમનું પત્તુ કપાઈ પણ શકે છે. 


I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે

મહત્વનું છે કે ગઈકાલે મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું' ઇન્ડિયા ગઠબંધન બાદ હાઈકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું શરૂ કરીશ.  I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. જો I.N.D.I.Aના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.