Loksabha Election પહેલા ભરૂચ સીટ બની ચર્ચાનો વિષય, સાંભળો Mansukh Vasavaએ ચૂંટણી ઉમેદવારીને લઈ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-15 17:33:53

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણી સરપ્રદ રહેવાની છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારને હરાવવા માટે વિપક્ષ એક થયું છે અને INDIA સંગઠનનું નિર્માણ થયું. દેશની ચૂંટણી તો રસપ્રદ બનવાની છે પરંતુ ગુજરાતમાં જે લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે તેની પર સૌ કોઈની નજર છે. ખાસ કરીને નર્મદા બેઠકને લઈ અનેક ક્રેઝ જોવા મળી રહ્યો છે. હમણાંથી ચૂંટણીનો માહોલ જામ્યો છે.  

કોંગ્રેસના મુમતાઝ પટેલે પણ કરી ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત  

ભરૂચ સીટને લઈ ખેંચતાણ જોવા મળવાની છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ગઠબંધનમાં સામેલ છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે ગઈકાલે મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહું હતું કે લોકસભાની ચૂંટણી લડવા માટે એ તૈયાર છે.


ચૈતર વસાવાએ કરી હતી ભરૂચ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત 

એક તરફ ગુજરાત આપ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. વાતો ચાલી રહી છે કે ભેગા મળી ચૂંટણી લડી શકે છે. ત્યારે સંગઠન થાય તે પહેલા જ ડખા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસથી મુમતજ પટેલ અને એક બાજુ ચૈતર વસાવા એટલે લોકસભાની ચુંટણીમાં આ સીટનું ગણિત સૌથી રસપ્રદ રહવાનું છે. ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તે અંગેની વાત સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કરી હતી. 


શું મનસુખ વસાવાનું કપાશે પત્તું?

એક કાર્યક્રમમાં મનસુખ વસવાને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું "પાર્ટીએ મને ઘણું બધુ આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરું કે ના કરું પક્ષને જીતાડવાની જવાબદારી મારી છે" એટલે મનસુખ વસાવા આ રેસમાં આ વખતે હશે કે નહીં એ ખબર નથી. નિવેદનમાં મનસુખ વસાવાએ ઈશારો આપ્યો કે કદાચ તેમનું પત્તુ કપાઈ પણ શકે છે. 


I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે

મહત્વનું છે કે ગઈકાલે મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું' ઇન્ડિયા ગઠબંધન બાદ હાઈકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું શરૂ કરીશ.  I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. જો I.N.D.I.Aના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે