Loksabha Election પહેલા ભરૂચ સીટ બની ચર્ચાનો વિષય, સાંભળો Mansukh Vasavaએ ચૂંટણી ઉમેદવારીને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-15 17:33:53

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણી સરપ્રદ રહેવાની છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારને હરાવવા માટે વિપક્ષ એક થયું છે અને INDIA સંગઠનનું નિર્માણ થયું. દેશની ચૂંટણી તો રસપ્રદ બનવાની છે પરંતુ ગુજરાતમાં જે લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે તેની પર સૌ કોઈની નજર છે. ખાસ કરીને નર્મદા બેઠકને લઈ અનેક ક્રેઝ જોવા મળી રહ્યો છે. હમણાંથી ચૂંટણીનો માહોલ જામ્યો છે.  

કોંગ્રેસના મુમતાઝ પટેલે પણ કરી ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત  

ભરૂચ સીટને લઈ ખેંચતાણ જોવા મળવાની છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ગઠબંધનમાં સામેલ છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે ગઈકાલે મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહું હતું કે લોકસભાની ચૂંટણી લડવા માટે એ તૈયાર છે.


ચૈતર વસાવાએ કરી હતી ભરૂચ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત 

એક તરફ ગુજરાત આપ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. વાતો ચાલી રહી છે કે ભેગા મળી ચૂંટણી લડી શકે છે. ત્યારે સંગઠન થાય તે પહેલા જ ડખા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસથી મુમતજ પટેલ અને એક બાજુ ચૈતર વસાવા એટલે લોકસભાની ચુંટણીમાં આ સીટનું ગણિત સૌથી રસપ્રદ રહવાનું છે. ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તે અંગેની વાત સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કરી હતી. 


શું મનસુખ વસાવાનું કપાશે પત્તું?

એક કાર્યક્રમમાં મનસુખ વસવાને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું "પાર્ટીએ મને ઘણું બધુ આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરું કે ના કરું પક્ષને જીતાડવાની જવાબદારી મારી છે" એટલે મનસુખ વસાવા આ રેસમાં આ વખતે હશે કે નહીં એ ખબર નથી. નિવેદનમાં મનસુખ વસાવાએ ઈશારો આપ્યો કે કદાચ તેમનું પત્તુ કપાઈ પણ શકે છે. 


I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે

મહત્વનું છે કે ગઈકાલે મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું' ઇન્ડિયા ગઠબંધન બાદ હાઈકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું શરૂ કરીશ.  I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. જો I.N.D.I.Aના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.