Loksabhaની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતના સંગઠનમાં કર્યો ફેરફાર, 18 જિલ્લાનું સંગઠન કેમ બદલી નાખ્યું? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:55:13

ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. 182માંથી 156 સીટ ભાજપને ફાળે ગઈ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જેણે પોતાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે નવા શિખરો સર કર્યા છે. અત્યાર સુધીના સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતવાના રેકોર્ડ તોડી 156 બેઠકો મેળવી. એ ભારતીય જનતા પાર્ટીના નિર્ણય પર આજે વાત કરવી છે કારણ કે આટલો વિક્રમ સર્જ્યા બાદ પણ પોતાના સંગઠનમાં બદલાવો કર્યા છે. આવું કરીને પાટીલ લગભગ ગુજરાત ભાજપના નેતાઓને એવું જણાવી રહ્યા છે કે ભાજપ નેતાઓ ધ્યાન રાખે કે વ્યક્તિ મોટા નથી સંગઠન મોટું છે. સીઆર પાટીલે સંગઠનમાં મોટા બદલાવો કર્યા છે અને 18 જિલ્લાના સંગઠનમાં ફેર બદલાવો કરી દીધા છે. 


લોકસભા 2024ની તૈયારી ભાજપે હમણાંથી શરૂ કરી 

ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ જીત બાદ પણ ઓછા મંત્રીઓ રાખ્યા અને તેમાં જ કામ ચલાવી રહી છે. લગભગ તમામ મંત્રીઓ પાસે એકથી વધારે મંત્રાલયો છે એવામાં અફવાઓ એવી ઉડી રહી છે કે નવા મંત્રીઓ જોડાશે. આવી વાતોની વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે અને લોકસભા 2024 જીતવા માટે પ્રયાસો વધારી દીધા છે. ભાજપનો આ વખતે પણ પ્રયાસ છે કે ગયા વખતની જેમ 26માંથી 26 બેઠકો જીતે અને તેના માટેના ધમપછાડા પણ શરૂ જ છે. 


લગભગ 18 જિલ્લાઓમાં ભાજપે સંગઠનમાં કર્યા ફેરફાર 

સીઆર પાટીલે આજ વખતે એવું કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે ત્રણ વર્ષથી વધુ સમય સુધી હોદ્દો હોય તો તેમના હોદ્દાઓ છીનવી લેવાયા છે અને લગભગ 18 જેટલા જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે. તેમણે પાંચ મહાનગર પાલિકામાંથી બે મહાનગરપાલિકાનું સંગઠન બદલી નાખ્યું છે. આ સિવાય અનુસૂચિત જાતિ મોરચામાં પણ ઘણા ચહેરાઓ બદલી નાખ્યા છે. હજુ પણ ભાજપના સંગઠનમાં અનેક હોદ્દાઓ બાકી છે અને ખાલી છે તે ભરવા માટે આગામી સમયમાં નામ સામે આવે તો નવાઈ ન કહેવાય .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.