Loksabhaની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતના સંગઠનમાં કર્યો ફેરફાર, 18 જિલ્લાનું સંગઠન કેમ બદલી નાખ્યું? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-24 16:55:13

ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચ્યો છે. 182માંથી 156 સીટ ભાજપને ફાળે ગઈ છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જેણે પોતાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપે નવા શિખરો સર કર્યા છે. અત્યાર સુધીના સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતવાના રેકોર્ડ તોડી 156 બેઠકો મેળવી. એ ભારતીય જનતા પાર્ટીના નિર્ણય પર આજે વાત કરવી છે કારણ કે આટલો વિક્રમ સર્જ્યા બાદ પણ પોતાના સંગઠનમાં બદલાવો કર્યા છે. આવું કરીને પાટીલ લગભગ ગુજરાત ભાજપના નેતાઓને એવું જણાવી રહ્યા છે કે ભાજપ નેતાઓ ધ્યાન રાખે કે વ્યક્તિ મોટા નથી સંગઠન મોટું છે. સીઆર પાટીલે સંગઠનમાં મોટા બદલાવો કર્યા છે અને 18 જિલ્લાના સંગઠનમાં ફેર બદલાવો કરી દીધા છે. 


લોકસભા 2024ની તૈયારી ભાજપે હમણાંથી શરૂ કરી 

ભારતીય જનતા પાર્ટીએ વિક્રમ જીત બાદ પણ ઓછા મંત્રીઓ રાખ્યા અને તેમાં જ કામ ચલાવી રહી છે. લગભગ તમામ મંત્રીઓ પાસે એકથી વધારે મંત્રાલયો છે એવામાં અફવાઓ એવી ઉડી રહી છે કે નવા મંત્રીઓ જોડાશે. આવી વાતોની વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે અને લોકસભા 2024 જીતવા માટે પ્રયાસો વધારી દીધા છે. ભાજપનો આ વખતે પણ પ્રયાસ છે કે ગયા વખતની જેમ 26માંથી 26 બેઠકો જીતે અને તેના માટેના ધમપછાડા પણ શરૂ જ છે. 


લગભગ 18 જિલ્લાઓમાં ભાજપે સંગઠનમાં કર્યા ફેરફાર 

સીઆર પાટીલે આજ વખતે એવું કર્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ પાસે ત્રણ વર્ષથી વધુ સમય સુધી હોદ્દો હોય તો તેમના હોદ્દાઓ છીનવી લેવાયા છે અને લગભગ 18 જેટલા જિલ્લાઓમાં ભાજપના સંગઠનમાં ફેરફારો કરી દીધા છે. તેમણે પાંચ મહાનગર પાલિકામાંથી બે મહાનગરપાલિકાનું સંગઠન બદલી નાખ્યું છે. આ સિવાય અનુસૂચિત જાતિ મોરચામાં પણ ઘણા ચહેરાઓ બદલી નાખ્યા છે. હજુ પણ ભાજપના સંગઠનમાં અનેક હોદ્દાઓ બાકી છે અને ખાલી છે તે ભરવા માટે આગામી સમયમાં નામ સામે આવે તો નવાઈ ન કહેવાય .



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.