Loksabha Election પહેલા Gujaratમાં સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં! OPSની માગ સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા કર્મચારીઓ પરંતુ..


  • Published By :
  • Published Date : 2024-03-15 16:44:04

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવની છે. ચૂંટણી પહેલા સરકાર સામે સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના સહિત અનેક મુદ્દાઓને લઈ ગાંધીનગર સચિવાલયને ઘેરવા માટે કર્મચારીઓ નીકળ્યા હતા. ગુરુવારે મહેસાણા જિલ્લામાં શિક્ષકોએ વ્યક્તિગત આવેદનપત્રો તૈયાર કર્યા હતા અને શુક્રવારે એટલે કે આજે ગાંધીનગર મુખ્યમંત્રીને આપવા માટે નવા સચિવાલય પહોચ્યા હતા. પરંતુ આવેદનપત્ર આપવા આવી રહેલા કર્મચારીઓને રોકવા માટે ગેટ બંધ કરી દેવાયા હતા તેવી માહિતી સામે આવી છે.

જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓનો હલ્લાબોલ! 

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઓપીએસને લઈ સરકારી કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો હતો. 

Image

ગાંધીનગર સચિવાલય આવવાના હતા આવેદનપત્ર આપવા!

સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અલગ અલગ માર્ગ પ્રદર્શનકારીઓએ અપનાવ્યો છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તાલુકા, જિલ્લાકક્ષાએ આવેદન, કાળી પટ્ટી પહેરવી તેમજ, કાળા કપડા પહેરવા, પેનડાઉન, ચોક ડાઉન સહિતના કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હજુ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા માટે નિર્ણય ન લેવાતાં શિક્ષક સંઘ દ્વારા દરેક શિક્ષકોને વ્યક્તિગત આવેદનપત્ર તૈયાર કરવા આહવાન કરાયું હતું. 


અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે જૂની પેન્શન યોજના!

ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન યોજનાને લઈને આંદોલન શરુ થઈ ગયું છે...... ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. .... કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.... ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મોરચો આજે મુખ્યમંત્રીને આવેદન આપવા પહોંચ્યો હતો.... તેમનું કહેવુ છે કે, સરકારે જાહેરાત કરી તેને પણ 12 મહિના વીતિ ગયા.... હજુ સુધી કોઈ ઠરાવ કર્યો નથી.... અગાઉ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો...અને હજુ પણ રજૂઆત કરીએ છીએ.... સત્વરે જૂની પેન્શન યોજના લાગૂ થાય તેવી અપેક્ષા છે,.. નહીંતર આવતી કાલે લોકસભા ચૂંટણીનું એલાન થશે તો અમારા માટે તો આજની રાત કતલની રાત છે.


Image

સત્યાગ્રહ છાવણીમાં કર્યું હતું વિરોધ પ્રદર્શન!   

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા થોડા સમય પહેલા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા હતા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.