Loksabha Election પહેલા Mayawatiએ ગઠબંધનને લઈ કરી વાત, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે કોઈ પણ પાર્ટી સાથે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 14:01:38

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આ ઈન્ડિયા અલાયન્સમાં અનેક રાજકીય પાર્ટીઓ સામેલ થઈ છે. પરંતુ કોઈ પાર્ટી સાથે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત બસપા પ્રમુખ માયાવતી દ્વારા કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલી લડશે. કોઈ પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી માટે તે ગઠબંધન નહીં કરે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર પર માયાવતીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.      

ગઠબંધનને લઈ માયાવતી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ભાજપને લોકસભામાં હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આજે માયાવતી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી બસપા એકલી લડશે, પોતાના દમ પર. કોઈની સાથે ગઠબંધન બસપા દ્વારા નહીં કરવામાં આવે. 


શું કહ્યું માયાવતીએ ગઠબંધન વિશે?

માયાવતીએ જાહેરાત કરતા કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી બીએસપી પોતાના દમ પર લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બસપા કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે. ચૂંટણી પછી ગઠબંધન પર વિચાર કરવામાં આવશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં અમારી પાર્ટીને નુકસાન થાય છે. ગઠબંધનમાં બસપાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.