Loksabha Election પહેલા Mayawatiએ ગઠબંધનને લઈ કરી વાત, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે કોઈ પણ પાર્ટી સાથે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 14:01:38

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આ ઈન્ડિયા અલાયન્સમાં અનેક રાજકીય પાર્ટીઓ સામેલ થઈ છે. પરંતુ કોઈ પાર્ટી સાથે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત બસપા પ્રમુખ માયાવતી દ્વારા કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલી લડશે. કોઈ પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી માટે તે ગઠબંધન નહીં કરે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર પર માયાવતીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.      

ગઠબંધનને લઈ માયાવતી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ભાજપને લોકસભામાં હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આજે માયાવતી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી બસપા એકલી લડશે, પોતાના દમ પર. કોઈની સાથે ગઠબંધન બસપા દ્વારા નહીં કરવામાં આવે. 


શું કહ્યું માયાવતીએ ગઠબંધન વિશે?

માયાવતીએ જાહેરાત કરતા કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી બીએસપી પોતાના દમ પર લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બસપા કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે. ચૂંટણી પછી ગઠબંધન પર વિચાર કરવામાં આવશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં અમારી પાર્ટીને નુકસાન થાય છે. ગઠબંધનમાં બસપાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.  



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.