Loksabha Election પહેલા Mayawatiએ ગઠબંધનને લઈ કરી વાત, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે કોઈ પણ પાર્ટી સાથે.... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 14:01:38

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. આ ઈન્ડિયા અલાયન્સમાં અનેક રાજકીય પાર્ટીઓ સામેલ થઈ છે. પરંતુ કોઈ પાર્ટી સાથે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી ગઠબંધન નહીં કરે તેવી જાહેરાત બસપા પ્રમુખ માયાવતી દ્વારા કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલી લડશે. કોઈ પાર્ટી સાથે 2024ની લોકસભા ચૂંટણી માટે તે ગઠબંધન નહીં કરે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સરકાર પર માયાવતીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા.      

ગઠબંધનને લઈ માયાવતી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત 

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણનીતિ સાથે આગળ વધવામાં આવી રહ્યું છે. અનેક વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ભાજપને લોકસભામાં હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે આજે માયાવતી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પોતાના જન્મદિવસ પર માયાવતીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી બસપા એકલી લડશે, પોતાના દમ પર. કોઈની સાથે ગઠબંધન બસપા દ્વારા નહીં કરવામાં આવે. 


શું કહ્યું માયાવતીએ ગઠબંધન વિશે?

માયાવતીએ જાહેરાત કરતા કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી બીએસપી પોતાના દમ પર લડશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે બસપા કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે. ચૂંટણી પછી ગઠબંધન પર વિચાર કરવામાં આવશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં અમારી પાર્ટીને નુકસાન થાય છે. ગઠબંધનમાં બસપાને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.