PMના કાર્યક્રમ પહેલા ગુજરાત પોલીસની હાલત કફોડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:21:55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ તેઓ પ્રવાસ કરશે અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાવાના છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પરંતુ તેમની સંભાળ નથી રાખવામાં આવતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે તે મુજબ સમાચાર વહી રહ્યા છે કે પોલીસની હાતલ કફોડી છે.


ગુજરાત પોલીસની કફોડી હાલત 

પ્રધાનમંત્રીના પ્રવાસ માટે તેમની સુરક્ષાને ધ્યાને લેતા ગુજરાત પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસને સવારે પાંચ વાગ્યે બોલાવી લેવામાં આવે છે અને રાત્રે 9 વાગ્યા સુધી તેમને સેવા આપવાની હોય છે. તેમની જમવાની વ્યવસ્થા પેપર પર થઈ છે પરંતુ હકીકતમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું તેવા સમાચાર મળી રહ્યા છે. 


પોલીસ જવાનો જમવા માટે કોઈ સુવિધા નથી

અમદાવાદ ખાતે તહેનાત પોલીસ જવાનો માટે સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. કાગળિયા પર તેમને બે સમયનું ભોજન આપવામાં આવે છે પરંતુ ખરેખરમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું. કાગળિયા પર સુવિધા આપી હોવા છતાં હકીકતમાં પોલીસ જવાનોને સવારે બપોરે અને સાંજે પોતાના પૈસે જમવું પડી રહ્યું છે. 


ખોટું મેનું બનાવી કોણ પૈસા ચરી ખાય છે?

પોલીસ જવાનોને સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા કાગળિયા પર કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં પોલીસને જમવાની કોઈ સુવિધા નથી ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે તો આ બિલ પાસ કોણે કરાવ્યું હતું? આ બધા બિલના પૈસા કોના ખિસ્સામાં જાય છે? પોલીસને હાલ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને જમી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. 


ઓન પેપર મેન્યૂમાં શું ભોજન છે?

27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના પોલીસના જમવાના મેન્યૂ બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટે સવારે ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી પોલીસના નાસ્તાનો સમય રખાયો છે. જો કે આપવામાં નથી આવતો તે વાત અલગ છે. બપોરે 11 વાગ્યાથી અઢી વાગ્યા સુધી બપોરનું ભોજન આપવામાં આવે છે અને કાગળિયા પર જ રાત્રે સાડા છ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી રાત્રીનું ભોજન આપવામાં આવે છે. ભોજનમાં ઘણી બધી વાનગીઓ પેપર પર લખવામાં આવે છે જે પોલીસ જવાનોને હકીકતમાં ભાગ્યે નથી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.