PMના કાર્યક્રમ પહેલા ગુજરાત પોલીસની હાલત કફોડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:21:55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ તેઓ પ્રવાસ કરશે અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાવાના છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પરંતુ તેમની સંભાળ નથી રાખવામાં આવતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે તે મુજબ સમાચાર વહી રહ્યા છે કે પોલીસની હાતલ કફોડી છે.


ગુજરાત પોલીસની કફોડી હાલત 

પ્રધાનમંત્રીના પ્રવાસ માટે તેમની સુરક્ષાને ધ્યાને લેતા ગુજરાત પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસને સવારે પાંચ વાગ્યે બોલાવી લેવામાં આવે છે અને રાત્રે 9 વાગ્યા સુધી તેમને સેવા આપવાની હોય છે. તેમની જમવાની વ્યવસ્થા પેપર પર થઈ છે પરંતુ હકીકતમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું તેવા સમાચાર મળી રહ્યા છે. 


પોલીસ જવાનો જમવા માટે કોઈ સુવિધા નથી

અમદાવાદ ખાતે તહેનાત પોલીસ જવાનો માટે સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. કાગળિયા પર તેમને બે સમયનું ભોજન આપવામાં આવે છે પરંતુ ખરેખરમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું. કાગળિયા પર સુવિધા આપી હોવા છતાં હકીકતમાં પોલીસ જવાનોને સવારે બપોરે અને સાંજે પોતાના પૈસે જમવું પડી રહ્યું છે. 


ખોટું મેનું બનાવી કોણ પૈસા ચરી ખાય છે?

પોલીસ જવાનોને સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા કાગળિયા પર કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં પોલીસને જમવાની કોઈ સુવિધા નથી ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે તો આ બિલ પાસ કોણે કરાવ્યું હતું? આ બધા બિલના પૈસા કોના ખિસ્સામાં જાય છે? પોલીસને હાલ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને જમી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. 


ઓન પેપર મેન્યૂમાં શું ભોજન છે?

27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના પોલીસના જમવાના મેન્યૂ બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટે સવારે ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી પોલીસના નાસ્તાનો સમય રખાયો છે. જો કે આપવામાં નથી આવતો તે વાત અલગ છે. બપોરે 11 વાગ્યાથી અઢી વાગ્યા સુધી બપોરનું ભોજન આપવામાં આવે છે અને કાગળિયા પર જ રાત્રે સાડા છ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી રાત્રીનું ભોજન આપવામાં આવે છે. ભોજનમાં ઘણી બધી વાનગીઓ પેપર પર લખવામાં આવે છે જે પોલીસ જવાનોને હકીકતમાં ભાગ્યે નથી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે