PMના કાર્યક્રમ પહેલા ગુજરાત પોલીસની હાલત કફોડી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:21:55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ તેઓ પ્રવાસ કરશે અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો યોજાવાના છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પરંતુ તેમની સંભાળ નથી રાખવામાં આવતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે તે મુજબ સમાચાર વહી રહ્યા છે કે પોલીસની હાતલ કફોડી છે.


ગુજરાત પોલીસની કફોડી હાલત 

પ્રધાનમંત્રીના પ્રવાસ માટે તેમની સુરક્ષાને ધ્યાને લેતા ગુજરાત પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસને સવારે પાંચ વાગ્યે બોલાવી લેવામાં આવે છે અને રાત્રે 9 વાગ્યા સુધી તેમને સેવા આપવાની હોય છે. તેમની જમવાની વ્યવસ્થા પેપર પર થઈ છે પરંતુ હકીકતમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું તેવા સમાચાર મળી રહ્યા છે. 


પોલીસ જવાનો જમવા માટે કોઈ સુવિધા નથી

અમદાવાદ ખાતે તહેનાત પોલીસ જવાનો માટે સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. કાગળિયા પર તેમને બે સમયનું ભોજન આપવામાં આવે છે પરંતુ ખરેખરમાં તેમને જમવાનું નથી આપવામાં આવતું. કાગળિયા પર સુવિધા આપી હોવા છતાં હકીકતમાં પોલીસ જવાનોને સવારે બપોરે અને સાંજે પોતાના પૈસે જમવું પડી રહ્યું છે. 


ખોટું મેનું બનાવી કોણ પૈસા ચરી ખાય છે?

પોલીસ જવાનોને સવારના નાસ્તાથી લઈ રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા કાગળિયા પર કરવામાં આવી છે. પરંતુ હકીકતમાં પોલીસને જમવાની કોઈ સુવિધા નથી ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે તો આ બિલ પાસ કોણે કરાવ્યું હતું? આ બધા બિલના પૈસા કોના ખિસ્સામાં જાય છે? પોલીસને હાલ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને જમી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. 


ઓન પેપર મેન્યૂમાં શું ભોજન છે?

27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના પોલીસના જમવાના મેન્યૂ બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટે સવારે ચા-કોફીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સવારે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી પોલીસના નાસ્તાનો સમય રખાયો છે. જો કે આપવામાં નથી આવતો તે વાત અલગ છે. બપોરે 11 વાગ્યાથી અઢી વાગ્યા સુધી બપોરનું ભોજન આપવામાં આવે છે અને કાગળિયા પર જ રાત્રે સાડા છ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી રાત્રીનું ભોજન આપવામાં આવે છે. ભોજનમાં ઘણી બધી વાનગીઓ પેપર પર લખવામાં આવે છે જે પોલીસ જવાનોને હકીકતમાં ભાગ્યે નથી. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.