Rajasthan Assembly Electionનું પરિણામ આવે તેની પહેલા Ashok Gehlotએ કરી ભવિષ્યવાણી, કહ્યું Rajasthanમાં બનશે...


  • Published By :
  • Published Date : 2023-11-30 15:41:53

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે તેલંગાણા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજી ડિસેમ્બરે તમામ રાજ્યો માટેનું પરિણામ આવવાનું છે. તમામ રાજકીય પાર્ટીઓએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો. મતદાન પૂર્ણ થઈ ગયું હવે એક્ઝિટ પોલની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નિવેદન આપ્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. 

ભાજપના ધર્મ  કાર્ડ અંગે ગેહલોતે કરી વાત  

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. એમપી, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામો પણ 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેના લઇ અશોક ગેહલોતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે અશોક ગેહલોતે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપે ધર્મની આડમાં ડરામણી અને તનાવ ભરેલી વાતો કરી છે. ભાજપનું ધર્મ કાર્ડ ચાલે તો અલગ વાત છે. ધર્મનું કાર્ડ નહીં ચાલે તો અમે ફરી સરકાર બનાવીશું. સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ભલે ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.


રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ આવશે તેના ગેહલોતે આપ્યા કારણ!  

વધુમાં ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ગમે તે કહે પરંતુ ભાજપ કોઈ પણ રાજ્યમાં નથી જીતી રહી. રાજસ્થાનમાં જનતા અમારી સરકારને પાછી લાવશે. આ નિવેદન આપવા પાછળ તેમણે ત્રણ કારણો ગણાવ્યા. પહેલું કારણ ગણાવ્યું કે સરકાર વિરૂદ્ધ કોઈ લહેર નથી એવી વાત વિશેષજ્ઞો પણ કરી રહ્યા છે. બીજા છે મુખ્યમંત્રી. બીજેપીના વોટર પણ એવું જ કહેશે કે સીએમએ વિકાસ કાર્ય કરવામાં કોઈ કસર નથી છોડી. ત્રીજું કારણ આપતા તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન પીએમ, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્વારા બોલવામાં આવતી ભાષા.એ ભાષા કોઈને પસંદ નથી આવી. મહત્વનું છે કે રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાવાનો ટ્રેન્ડ છે. 


25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું મતદાન 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું. 200 વિધાનસભાની બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા 199 બેઠકો માટે મતદાન કરાયું હતું. ચૂંટણી આયોગના પ્રમાણે 74.96 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે જે ત્રણ ડિસેમ્બરે આવવાનું છે. આ વખતે  રાજસ્થાનમાં સરકાર બદલાવવાનો ટ્રેન્ડ યથાવત રહે છે કે શું તે થોડા દિવસો બાદ ખબર પડી જશે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે